Jamnagarતા ૨૪
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા એક ક્ષત્રિય યુવાને પોતાની આર્થિક ભીંસના કારણે જિંદગીથી તંગ આવી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા અને હાલ ખેતી કામ કરતા શક્તિસિંહ ગંભીર સિંહ વાળા નામના ૩૨ વર્ષના યુવાને પોતાની વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ બન્યો હતોઝ અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હાર્દિકસિંહ ગંભીરસિંહ વાળાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એમ. કંચવા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાન અગાઉ પ્રાઇવેટ નોકરી કર્યા બાદ તેણે નોકરી છોડી દીધી હતી, અને હાલ ખેતી કામ કરતા હતા. પરંતુ તેઓને પૈસાની ખૂબ જરૂરિયાત હતી, અને આર્થિક સંકળામણ ભોગવતા હોવાના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જણાવાયું છે.