Jamnagar,તા ૨૫,
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભીમાનુ ગામમાં રહેતા એક ખેડૂત યુવાને કોઈ અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
કાલાવડ નજીક ભીમાનું ગામમાં રહેતા અને ખેતી કામ કરતા નિલેશ દિલીપભાઈ નામના બોરીચા જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાની વાડીમાં લીમડાના ઝાડની ડાળીમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેથી તેને નીચે ઉતારીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા દિલીપભાઈ ખીમાભાઈ બોરીચાએ પોલીસને જાણ કરતાં એ.એસ.આઇ. જી..આઈ. જેઠવાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકે ક્યાં સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો,તે મામલામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.