Jamnagarતા.26
જામનગર મહાનગરપાલિકામાં ઓનલાઈન ટેન્ડરો ભરીને દસ જેટલા કામ જેને મળ્યા છે તેવી સત્યસાંઈ કન્સ્ટ્રકશન કંપની ના કામો કોઈ ને કોઈ બહાને છીનવી અન્યાય કરવામાં આવતો હોય, દલિત સંઘ દ્વારા છેલ્લા ચાર દિવસ થી મનપા કચેરી પાસે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું.હોવા નું સંસ્થાપક પ્રમુખ કે.જે. વાઘેલાએ જણાવ્યું છે.
સત્યસાંઈ કૃપા કન્સ્ટ્રકશને કામના ઓનલાઈન ટેન્ડરો ભરી મહાનગરપાલિકા, જામનગરની જુદી-જુદી શાખાઓના ૧૦ કામો મેળવેલ, તે કામોના બીલો તેમજ વર્ક ઓર્ડરો આપવામાં યેનકેન પ્રકારે ખોટા અને બનાવટી વાંધા-વચકા કરી ગ્રાન્ટ ફેરના અને શાખા ફેરના બહાને અમારા કામો છીનવી તેઓના મળતિયાઓને આપી આ એજન્સીને નુકસાન કરેલ છે. શ્રી સત્યસાંઈ કૃપા કન્સ્ટ્રકશન તેમજ દલિત સંઘ દ્વારા એક થી અનેક વખત લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં . કમિશ્નર તેમજ સિટી એન્જિનિયરના પેટનું પાણી પણ હલતું નથી અને અન્યાય કરી રહ્યાં હોય તે સામે ન્યાય મેળવવા સંયુક્ત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.