Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 7, 2025

    08 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 7, 2025

    Gujarat ના ૧૩૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ; કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ

    September 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 08 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Gujarat ના ૧૩૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ; કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ
    • Ambaji Mela ના સાતમા અને છેલ્લા દિવસે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન
    • Ahmedabad: બગોદરા-બાવળા હાઇવે પર કાર પલટી, ૨ લોકોના મોત
    • Dahod જિલ્લાના દેવગઢ બારીઆમાં અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત
    • Unjha માં નરાધમ પિતાએ ૯ વર્ષ ની દીકરીના કપડાં ફાડી જઘન્ય અપરાધ કર્યો
    • Morbi ના જયસુખ પટેલની અજંતા કંપની ફરી વિવાદમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ના મિસ્ટ્રી બનેલા મર્ડર કેસનો આખરે ૧૪ વર્ષ બાદ ભેદ ઉકેલાયો
    અમદાવાદ

    Ahmedabad ના મિસ્ટ્રી બનેલા મર્ડર કેસનો આખરે ૧૪ વર્ષ બાદ ભેદ ઉકેલાયો

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૨૭

    આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શહેરમાં સર્જાયેલી એક સનસનીખેજ હત્યાના આરોપીને ૧૪ વર્ષના લાંબા સમય બાદ ઝડપી પાડવામાં સફળતા મળી છે. વર્ષ ૨૦૧૦ માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં મનીષ ગુપ્તા નામના શખ્સની સનસની અને ફિલ્મી સ્ટોરી જેવી હત્યાના નોંધાયેલા ગુનાના આરોપી રમેશ દાનાભાઇ દેસાઇને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જેમાં હત્યા પાછળનુ કારણ પણ સૌને ચોંકાવી દે તેવું સામે આવ્યુ છે.

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગીરફ્તમાં ઉભેલો આ શખ્સ છે રમેશ દાનાભાઇ દેસાઇ…જેને વર્ષ ૨૦૧૦ માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મનીષ ગુપ્તા નામના શખ્સની હત્યાના ગુનામાં ઝડપી પાડવામાાં આવ્યો છે. નોંધનીય છેકે વર્ષ ૨૦૧૦ ની ૨૯ જુને શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે હત્યા મનીષ ગુપ્તા નામના શખ્સની થઇ હતી. અમદાવાદના મિસ્ટ્રી બનેલા મર્ડર કેસનો આખરે ૧૪ વર્ષ બાદ ભેદ ઉકેલાયો છે.

    આજથી ૧૪ વર્ષ પહેલાં વેજલપુરની હોટલના મેનેજરની હત્યા કર્યા બાદ તેની લાશને કિચનમાં દાટી સફેદ સિમેન્ટ અને ઈંટોથી ચણી દેવામાં આવી હતી. મનીષ ગુપ્તાની હત્યા કર્યા બાદ રમેશ નાસતો-ફરતો હતો અને તેણે અલગ-અલગ નામ ધારણ કર્યા હતા. મનીષની હત્યા બાદ રમેશ તેના નામ અને ઓળખ બદલી નાખ્યા હતા. રમેશ હત્યા કર્યા બાદ સીધો રાજસ્થાન જતો રહ્યો હતો, જ્યા તેણે નિખિલ ગુર્જર તરીકેનું નામ ધારણ કર્યુ હતું. નિખિલ બની ગયા બાદ તેણે આધારકાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ પણ બનાવી દીધુ હતું. રાજસ્થાનમાં તે ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતો હતો.

    અત્યંત ક્રુરતાપૂર્વ કરાયેલી આ હત્યાની હકીકત એવી છે કે, આજથી ૧૪ વર્ષ પહેલાં મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની એવા ૩૪ વર્ષના શિવનાયારણ ઉર્ફે મનીષ ગુપ્તા ત્રણેક મહિનાથી સેટેલાઈટની પંજરી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. હોટલ મેનેજમેન્ટ તરફથી તેમને વેજલપુર રામનગરના બી બ્લોકમાં આવેલો ૨૦૬ નંબરનો ફલેટ રહેવા માટે આપ્યો હતો. તેમની સાથે રૂમમાં, વેઈટર રમેશ રબારી અને કેશીયર હરિસિંઘ પણ રહેતા હતા.

    ૩૦મી જૂન, ૨૦૧૦ની મોડી રાત્રે ૩.૩૦ વાગ્યે હરિસિંઘ ફલેટ પર પહોંચ્યો, ત્યારે દરવાજો બંધ હતો. તેની પાસે પણ એક ચાવી રહેતી હોવાથી તેણે દરવાજો ખોલ્યો હતો, પરંતુ ફલેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી તે ગભરાયો હતો. તે કિચનમાં જોયું તો પ્લેટફોર્મ પર લોહીના ડાઘા હતા. હરિસિંઘે પ્લેટફોર્મની નીચેના ભાગે જોયું ત્યાં માત્ર અંડરવેર પહેરેલી હાલતમાં ગુપ્તાની લાશ હતી. તેનું માથુ કિચનના નીચે ભાગે વ્હાઈટ સિમેન્ટ અને ઈંટોથી ચણી નાંખવામાં આવ્યું હતું અને બાકીના લાશ પર ધાબળો ઢાંકી દેવામાં આવ્યો હતો. હરિસિંઘ ગભરાઈ ગયો હતો અને તેણે તુરંત જ હોટલના માલિકને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ૩૦મી જૂને ૧૧ વાગ્યે રમેશ રબારી ફલેટ પર હતો અને ત્યારબાદ તે, ગુપ્તાની હોન્ડા લઈને ભાગી ગયો હતો.

    વણ ઉકેલાયા હત્યા કેસનો ભેદ ઉકેલવાની ચેલેન્જ ક્રાઇમ બ્રાંચે લીધી હતી અને ૧૪ વર્ષ બાદ સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે રમેશ રબારીની મહેસાણાથી ધરપકડ કરીને મનીષ ગુપ્તા હત્યા કેસનો ભેદ ઉકેલી દીધો છે. રમેશ રબારી અને મનીષ ગુપ્તા વચ્ચે સમલૈગિક સંબંધ હતા. ઘટનાની રાતે મનીષ ગુપ્તાએ રમેશ રબારી સાથે શરીર સંબંધ બાંધવાની માંગ કરી હતી, પરંતુ તેણે ઇન્કાર કરી દીધો હતો. મનીષ ગુપ્તાએ રમેશ રબારીને ગુપ્ત ભાગે બચકુ ભરી લીધુ હતું, જેથી રમેશે આવેશમાં આવીને મનીષના માથા પર બોથડ પ્રદાર્થ મારી દીધો હતો. મનીષનું મોત થતાની સાથેજ તેની લાશને ચણીને તે ફરાર થઇ ગયો હતો.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat ના ૧૩૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ; કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ

    September 7, 2025
    અમદાવાદ

    Ahmedabad: બગોદરા-બાવળા હાઇવે પર કાર પલટી, ૨ લોકોના મોત

    September 7, 2025
    ગુજરાત

    બંગાળની ખાડીની સિસ્ટમેનો વળાંક, પાકિસ્તાન જવાને બદલે Gujarat આવી

    September 7, 2025
    અમદાવાદ

    Ahmedabad માં મોડીરાતથી એકધારો વરસાદઃ ધરોઈમાંથી પાણી છોડાતા એલર્ટ જાહેર

    September 7, 2025
    અમદાવાદ

    ૪ જિલ્લામાં અપાયું Red alert, મેઘરાજા બોલાવશે ધબધબાટી

    September 7, 2025
    અમદાવાદ

    Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી

    September 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 7, 2025

    08 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 7, 2025

    Gujarat ના ૧૩૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ; કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ

    September 7, 2025

    Ambaji Mela ના સાતમા અને છેલ્લા દિવસે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન

    September 7, 2025

    Ahmedabad: બગોદરા-બાવળા હાઇવે પર કાર પલટી, ૨ લોકોના મોત

    September 7, 2025

    Dahod જિલ્લાના દેવગઢ બારીઆમાં અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

    September 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 7, 2025

    08 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 7, 2025

    Gujarat ના ૧૩૯ તાલુકામાં સાર્વત્રિક વરસાદ; કપરાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ

    September 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.