Morbi, તા.6
મોરબીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું વિક્રમ સંવત 2081 નું નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન પરિવાર સાથે યોજાશે. મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે તેઓની સંસ્થામાં નોંધાયેલા જ્ઞાતિના સભ્યોનું સ્નેહમિલન સંસ્થાની ભોજન શાળા ખાતે રાખવામાં આવશે. આગામી તા.17 નવેમ્બર રવિવારના રોજ સાંજે 05:30 કલાકે યોજનાર આ સ્નેહમિલનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ માટે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (ભોજનશાળા), વાંકાનેર દરવાજા પાસે, સબજેલ આગળથી સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ દિનાંક 8/11 થી 16/11 સુધીમાં ભોજન-પાસ મેળવી લેવાના રહેશે.