Jamnagarતા.૨૦
જામનગર તા ૨૦, જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતા એક મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરના રાજીવ નગર વિસ્તારમાં રહેતા રાજુબેન મેઘજીભાઈ ભરાડીયા નામના મહેશ્વરી જ્ઞાતિ ના ૭૭ વર્ષના બુઝુર્ગ મહિલા કે જેઓએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ આ બનાવ અંગે મૃતકના પુત્ર મેઘજીભાઈ ભરાડીયા એ પોલીસને કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સાહિત કાર્યવાહી હાથ ધરી છે.