Jamnagar,તા.21
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર રાજકોટ હાઇવે રોડ પર ધ્રોળ નજીકથી એલ.સી.બી.ની ટુકડીએ ઝડપી લીધા છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.
ધ્રોલ પોલીસ મથકમાં ચાર માસ પહેલાં મારમારીનો ગુનો નોંધાયો હતો, જેમાં રાજકોટના સંદીપસિંહ ઉર્ફે લકકી અમરસિંહ રાણા, તેમજ દીગવીજયસિંહ ઉર્ફે દિગો દિલીપસિંહ ઝાલા નાસ્તા ફરતા રહ્યા હતા, જેફરી ધ્રોળ પંથકમાં આવ્યા છે, તેવી બાતમીના આધારે ગઈ કાલે રાત્રે એલસીબીની ટુકડીએ જામનગર રાજકોટ રોડ પર વોચ ગોઠવી હતી, અને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. તેઓને ધ્રોલ પોલીસ મથકમાં સોંપી દેવાયા છે.