Morbi,તા,21
તીથવા ગામની સીમમાં આવેલ ખેતરમાં એક ઇસમેં ૫૧ ગાયો અને ૦૩ પાડા સાથે અપપ્રવેશ કરી ખેતરમાં વાવેલું જાર અને અજમાના વાવેતરમાં પશુ ચરાવી આશરે ૯૫ હજારનું નુકશાન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અહેમદરજા હુશેન શેરસીયાએ આરોપી રતાભાઈ શંકરભાઈ ભરવાડ રહે તીથવા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની જમીનમાં ચારેક માસ પૂર્વે જારના પાકનું વાવેતર કરેલ હતું જે જારનો પાક તૈયાર થઇ ગયો હતો તેમજ ત્રણેક માસ પૂર્વે અજમા પાકનું વાવેતર કર્યું હતું જે પાક અડધા ફૂટનો હતો ગત તા. ૨૯-૧૦ ના રોજ બપોરના ફરિયાદી, તેનો કાકાનો દીકરો નુરઅખ્તર બંને બાઈક લઈને વાડીએ આંટો મારવા ગયા ત્યારે વાડીમાં ઉભા પાકમાં આશરે ૫૧ જેટલી ગાયો અને ૦૩ પાડીઓ ચરતી હતી અને વાડીમાં અજમા તેમજ જાર વચ્ચેના શેઢે ગામનો રતાભાઈ ભરવાડ હાજર હતો જેની પાસે જઈને તારી ગાય ભેંસો ઉભા પાકમાં નુકશાની કરે ચેહ તેને બહાર કેમ કાઢતો નથી કહેતા ગાયો તો ચરશે તમે થઈ તે કરી લેજો કહીને ગાળો બોલવા લાગ્યો હતો
તેમજ વધારે કાઈ બોલશો તો તમને પણ મારી નાખવા છે કહેતા બીક લાગતા નાના ભાઈ ઈલ્મુંદિન, શાહબુદીન શેરશીયાને ફોન કરી વાડીએ બોલાવ્યા હતા જે થોડીવારમાં આવતા રતાભાઈએ પણ ગામના ભરવાડ રામાભાઈને વાડીએ બોલાવ્યા હતા અને સાંજે સમાધાન માટે ઘરે આવીશું કહ્યું પરંતુ કોઈ આવ્યા નહિ બાદમાં પોલીસ મથકમાં જાણ કતા તા. ૩૦-૧૦ ના રોજ અરજી કરી હતી રતાભાઈ સાથે પાકમાં થયેલ નુકશાન બાબતે સમાધાનની વ્બત આગેવાનો મારફત ચાલતી હતી પરંતુ સમાધાન થયું નહિ જેથી ફરિયાદ નોંધાવી હતી આમ ગાય અને ભેંસોએ ખેતરમાં વાવેલ જારના પાકને નુકશાની કરી ૫૦ હજારની નુકશાની તેમજ કાકાના દીકરા નુરઅખ્તરની જમીનમાં વાવેલ અજમા પાકને રૂ ૪૫ હજાર સહીત કુલ રૂ ૯૫ હજારની પાકમાં નુકશાની કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે