Jamnagar,તા.26
જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરીને ભાગી છૂટેલા હત્યા કેસના એક આરોપીને ગઈ રાત્રે જામનગર તાલુકાના મૂંગણી ગામમાંથી ઝડપી લીધો છે, અને અમદાવાદની જેલમાં મોકલી આપ્યો છે.
આ કાર્યવાહી અંગેની વિગત એવી છે કે મૂળ રાજકોટ જિલ્લાના આજીડેમ પાસે રહેતા બાબુભાઈ દેવરાજભાઈ નામના દેવીપુજક શખ્સ સામે અગાઉ હત્યા ના ગુનો નોંધાયો છે, જે હત્યાના ગુન્હાના મુખ્ય સૂત્રધાર ને અમદાવાદની સાબરમતી જેલમાં રખાયો હતો, અને ત્યાંથી પાંચ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરીને ભાગી છૂટ્યો હતો.
તેની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવતી હતી, દરમ્યાન ગઈકાલે રાત્રે ઉપરોક્ત આરોપી જામનગર તાલુકાના મુંગણી ગામમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટુકડીએ આરોપી બાબુભાઈ દેવીપુજકને ઝડપી લીધો હતો, અને અમદાવાદની જેલમાં સુપ્રત કરી દીધો છે.