Morbi તા.૩૦
પાવડીયારી નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ ૪૦ વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે મોરબીના પાવડીયારી નજીક પેન્ટાગોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજુરી કરતા કવિતાબેન રાજકુમાર આદિવાસી (ઉ.વ.૪૦) નામની પરિણીતાએ લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મૃતકનો લગ્નગાળો ચાર વર્ષનો છે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે