Morbi તા.૩૦
ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આજે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ અરજી મામલે બંને પક્ષે દલીલો રજુ કરી હતી અને સરકાર તરફે જે કલમ હેઠળ ગુનો નોંધાયો તે મુજબ કેસ ચલાવવા જવાબ રજુ કરાયો હતો તો પીડિતના વકીલે જવાબ રજુ કરવા સમય માંગતા આગામી તા. ૧૦ ડીસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવી છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં ગત તા. ૧૯ ના રોજ તમામ ૧૦ આરોપીઓ દ્વારા અલગ અલગ પાંચ અરજીઓ કરી પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી ડીસ્ચાર્જ માટેની માંગ કરી હતી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ચાર્જ ફ્રેમ થાય તે પૂર્વે આરોપીઓએ કરેલી અરજી મામલે આજે બંને પક્ષે દલીલો રજુ કરી હતી જેમાં સરકાર પક્ષે જે કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને ચાર્જશીટ રજુ કરવામાં આવી છે તે કલમો હેઠળ જ કેસ ચલાવવાની રજૂઆત કરવામાં આવી હતી જયારે પીડિત પક્ષના વકીલે જવાબ રજુ કરવા સમય માંગતા કોર્ટે આગામી તા. ૧૦ ડીસેમ્બરની નવી તારીખ આપી છે નવી મુદતે અરજીઓ મામલે આગળની સુનાવણી થાય તેવી શક્યતા છે