Anand,તા.06
આણંદના સોજિત્રાના ખણસોલ ગામના સિવિલ ઈજનેરે ચાર વર્ષથી પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી છે. તેમણે મ્યુચ્યુલ ફંડમાં લાંબા અને ટૂંકા ગાળાના રોકાણ હોય તેમ પ્રાકૃતિક ખેતી કરવાની આગવી પદ્ધતિ અપનાવી છે. ૧૫ વીઘા જમીનમાં કમલમ (ડ્રેગન ફ્રુટ)નું વાવેતર કરી વાર્ષિક રૂ.૭.૫૦ લાખની કમાણી કરી છે.
સોજિત્રાના ખણસોલ ગામે રહેતા સિવિલ ઈજનેર જીતેન્દ્રભાઈ પટેલે છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
રાસાયણિક ખેતીવાળા ધાન્ય અને શાકભાજી ખાવાથી લોકોને કેન્સર થઈ શકે છે તે અંગેની જાણ થતાં તેમણે પોતાની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે.
ખેડૂત જણાવે છે કે, જેમ મ્યુચ્યુલ ફંડમાં શોર્ટ ટર્મ, મીડ ટર્મ અને લોન્ગ ટર્મ પ્રકારના રોકાણનો કોન્સેપ્ટ છે તેમ પ્રાકૃતિક ખેતીમાં શોર્ટ ટર્મ માટે શાકભાજી, મીડ ટર્મ માટે બાગાયતી પાકમાં ડ્રેગન ફ્રુટ અને લોન્ગ ટર્મમાં એગ્રો ફોરેસ્ટ્રીમાં સફેદ ચંદનનું વાવેતર કર્યું છે. કમલમ (ડ્રેગન ફ્રુટ)ના એક હાજર પોલ ઉભા કર્યા છે.
એક પોલ ઉપર પાંચ કિલો કમલમનું ઉત્પાદન થાય છે. જેથી સિઝનમાં એકંદરે પાંચ ટન કમલમના ઉત્પાદનથી રૂ.૭.૫૦ લાખની રકમની કમાણી કરી છે.