Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 નવેમ્બર નું પંચાંગ
    • 11 નવેમ્બર નું રાશિફળ
    • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
    • પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
    • 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
    • જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
    • તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
    • શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Kalol માં શ્રી રામ હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકીના મોત મુદ્દે હોબાળો
    ગુજરાત

    Kalol માં શ્રી રામ હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકીના મોત મુદ્દે હોબાળો

    Vikram RavalBy Vikram RavalDecember 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kalol,તા.24

      કલોલના વર્ધમાન નગરમાં આવેલા શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું કાન નાક અને ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ બાળકી બેભાન થઈ ગઈ હતી જેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનો સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકીનું મોત નીપજતા પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને તેઓએ કલોલના શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલના ડોક્ટર ઉપર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.

    વિરમગામ રહેતા હેતલબેન તુષારભાઈ ગોવાણીની છ વર્ષની દીકરી ક્રીશ્વીને કાનમાંથી રસી આવતી હતી જેથી તેઓ તેમના પરિચિત ડોક્ટર મેહુલ પૂજારાની હોસ્પિટલ કે જે કલોલમાં આવેલી છે તેમના ત્યાં નિદાન અર્થે આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના ડોક્ટર મેહુલ પૂજારાએ બાળકીને નાકમાં મસા તથા ગળામાં કાકડા અને કાનમાં તકલીફ હોવાનું જણાવી દવા આપી હતી અને એ દવાથી મટે નહીં તો ઓપરેશન કરવાનું જણાવ્યું હતું.

    દવાનો કોર્સ પૂરો થતાં તેઓ ફરીથી કલોલ હોસ્પિટલમાં બાળકીને બતાવવા માટે આવ્યા હતા ત્યારે હોસ્પિટલના તબીબે ઓપરેશન કરવું પડશે તેમ જણાવતા તેઓ બાળકીનું ઓપરેશન કરાવવા તૈયાર થયા હતા. ત્યારબાદ બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી જ્યાં બાળકીને એનેસ્થેસિયા આપવામાં  આવ્યો હતો અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

    ઓપરેશન બાદ બાળકી  ભાનમાં આવતી ન હોવાથી એને એનેસ્થેસિયા આપનાર મહિલા ડોક્ટરે તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ બાળકીનું ઓક્સિજન લેવલ અને ધબકારા પણ ઓછા થઈ ગયા હતા બાળકી ભાનમાં નહીં આવતા પીડીયાટ્રીકને જાણ કરવામાં આવતા તેઓ એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા અને તેઓએ પણ બાળકીને  ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો  હતો તેમ છતાં તેનામાં કોઈ ફેર પડયો ન હતો અને તેની હાલત ગંભીર થઈ ગઈ હતી જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

    બાળકીને એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખસેડતા હતા તે વખતે તેની માતાએ એમ્બ્યુલન્સમાં સાથે આવવાનું કહેતા તે લોકોએ ના પાડી દીધી હતી તેમજ બાળકીની માતાએ કહેલ હોસ્પિટલમાં નહીં લઈ જતા અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ચાર દિવસ ઉપર રાખવામાં આવી હતી અને તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ બાળકીનું હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું બાળકીના અકાળે મોતથી પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો.

    બાળકીની અંતિમ ક્રિયા કર્યા બાદ તેના પરિવારજનો કલોલ આવી ચડયા હતા અને તેઓએ ડોક્ટરને મળીને તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાવને પગલે લોકોનું ટોળું હોસ્પિટલ પાસે એકત્ર થઈ ગયું હતું ત્યારે બાળકીના સગા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.

    પરિવારજનોએ બાળકીના મોત અંગે ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ન હોવા છતાં તેણે ઓપરેશન કર્યું હતું તેના કારણે બાળકીને બચાવી શકાય ન હતી આમ તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા. 

    Kalol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    આજે ભારત-એ તથા દક્ષિણ આફ્રિકા-એ ટીમનું Rajkot માં આગમન

    November 10, 2025
    ગુજરાત

    RTI અરજદારો પર લગામ કસવામાં આવશે : વર્ષમાં માત્ર 12 અરજી કરી શકશે

    November 10, 2025
    ગુજરાત

    ટ્રાફિક સંચાલન મજબુત બનાવવા માટે AI – Robotic સર્વેલન્સનો ઉપયોગ થશે

    November 10, 2025
    ગુજરાત

    Ahmedabad: બાળકોના હિતમાં ઉદાસિનતા મુદ્દે સરકારને High Court ની ફટકાર

    November 10, 2025
    અમદાવાદ

    Ahmedabad: CM ના હસ્તે વકીલોને નોટરી પ્રમાણપત્ર એનાયત થશે

    November 10, 2025
    ગુજરાત

    Gujarat માં દર કલાકે 21, રોજ 521 સાઈબર ફ્રોડ : 1011 કરોડ ગુમાવ્યા

    November 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025

    પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ

    November 10, 2025

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.