સગીરાનું બંગલાદેશથી અપહરણ કરી ભારતમાં વેંચી દીધી : ખરીદનાર મહિલા સુલોતાસિંહની ધરપકડ
સ્પેશિયલ શાખાના પીઆઈ જી આર ચૌહાણની બાતમીના આધારે એએચટીયુ અને પેરોલ ફર્લો સ્કવોડનું ઓપરેશન
Rajkot
રાજકોટ શહેર પોલીસની ટીમે બાંગ્લાદેશથી અપહરણ કરાયેલી 14 વર્ષીય સગીરાને અમદાવાદ ખાતેથી મુક્ત કરાવી ખરીદનાર મહિલા સુલોતાસિંઘની ધરપકડ કરી છે. બાંગ્લાદેશ ખાતેથી 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી ભારત લઈ આવી તેને વેચી મારવામાં આવી હતી. દોઢ વર્ષ પૂર્વે બનેલી ઘટના અંગે બાંગ્લાદેશની એનજીઓએ ભારતની એનજીઓને જાણ કરતા મામલો મુંબઈ, દિલ્હી અને અમદાવાદ પોલીસ સુધી પહોચ્યો હતો. દરમિયાન રાજકોટ શહેર પોલીસની સ્પેશયલ શાખાના પીઆઈ જી આર ચૌહાણની બાતમીના આધારે અમદાવાદ ખાતેથી સગીરાને મુક્ત કરાવી ખરીદનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
બાદમાં ફરી એકવાર પીઆઇ જીઆર ચૌહાણને બાતમી મળી હતી કે, અપહ્યત સગીરા અને ખરીદદાર હાલ અમદાવાદ ખાતે હાજર છે. આ બાતમી અંગે પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પીઆઇ જી આર ચૌહાણ તેમજ એએચટીયુના કર્મચારીઓ અમદાવાદ ખાતે દોડી ગયા હતા. રાજકોટ પોલીસની ટીમે અમદાવાદ શહેરના નારોલ વિસ્તાર ખાતે જઈ તપાસ કરતા ભોગ બનનાર અપહ્યત અને તેની ખરીદી કરનાર આરોપીને શોધી ભોગ બનનાર સગીરાનું રેસક્યુ કરી અમદાવાદ શહેરની એએચટીયુ શાખાને આગળની કાર્યવાહી અર્થે સોંપી દેવામાં આવી હતી.રાજકોટ પોલીસની ટીમએ સગીરાને ખરીદનાર મહિલા સુનોતાસિંહ ઉર્ફે બુલીની ધરપકડ કરી અમદાવાદ પોલીસને સોંપી 14 વર્ષીય સગીરાના આંતરરાષ્ટ્રીય અપરણ કેસનો ભેદ ઉકેલ્યો હતો.