Rajkot, તા. 5
રાજકોટમાં ભગવાન શ્રી રામના વનવાસ સહિતના જીવનચરિત્રને જીવંત કરતા રામવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આવતીકાલે રામનવમીએ રામવનમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ મળશે તેમ મનપાના પદાધિકારીઓએ જાહેર કર્યુ છે.
વોર્ડ નં.15માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. આવતીકાલ તા.6 રામનવમી નિમિતે આ રામવનની મુલાકાત માટે તમામ મુલાકાતીઓને નિ:શુલ્કની પ્રવેશ આપવામાં આવશે.
કોર્પો. દ્વારા મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહીતના આકર્ષણો દર્શાવતું રામવનનું નિર્માણ કરવામાં આવેલ છે. ભગવાનશ્રી રામના જીવનચરિત્રના પ્રસંગોમાંથી પ્રેરણા મેળવે તેમજ ભગવાન શ્રીરામ પ્રત્યેના ભક્તિભાવથી અવગત કરવાના ઉમદા હેતુથી રામનવમીના દિવસે અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તમામ વય જૂથના મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. નાગરીકો મર્યાદાપુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્ર પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર રામનવમીના પવિત્ર દિવસે મુલાકાત માટે તમામ મુલાકાતીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
રામનવમીના પવિત્ર દિવસે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રના પ્રસંગોને આલેખતી વિશાળ પ્રતિમાઓ સહીતના આકર્ષણો દર્શાવતું અર્બન ફોરેસ્ટ (રામવન)ની તમામ વય જૂથના મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવનાર હોય મુલાકાત લેવા માટે મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ શહેરીજનોને અનુરોધ કરેલ છે.