Rajkot,તા.07
રાજકોટ શહેરના લોહાનગર માં માતાજીના મંદિરે ધજા ચડાવવા ચડેલા યુવાનના હાથમાં રહેલી લોખંડનો પાઇપ અકસ્માતે વીજતારને અડી જતા શોર્ટ લાગવાથી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું .આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ લોહાનગર માં આવેલા ચાર બાઈ માના મંદિરે ગઈકાલે ધ્વજા ચડાવવા માટે મંદિર પર ચડેલા યુવાન સાથે રોહિત વિજયભાઈ કણસાગરા (૨૫) ધજા ચડાવવાની કામગીરી કરતો હતો ત્યારે પવન ની અચાનક ફૂંક આવતા રોહિત નું સંતુલન બગડ્યું હતું, અને હાથમાં રહેલ પાઇપ જીવતા વીજ વાયરને અડી જતા વીજ કરંટ નો ઝટકો લાગતા રોહિત મંદિર પરથી નીચે પડ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે કરવામાં આવતા ડો, ઉર્વશીબેન ખાંભલાએ મૂર્ત જાહેર કર્યા હતા, આગે મૃતકના મિત્ર સાગરભાઇએ જણાવ્યું હતું કે રોહિત ના પિતા બે વર્ષ પહેલા ગુજરી ગયા હોય વિધવા માતા અને બહેન રોહિત સાથે રહેતા હતા, મોટો ભાઈg પરણીને અલગ થઈ ગયો હોય માતા અને બેન માટે રોહિત આશ્રય હોય તેનું મૃત્યુ નીપજતા પરિવાર પર આભતૂટી પડ્યું હતુંઆ અંગે એ ડિવિઝન પોલીસને તપાસ કરી છે