રાજકોટ શહેર અને ગ્રામ્યના માત્ર જે એ ખાચરની પસંદગી, હાલ તમામ ફરજ ના સ્થળે જ પોસ્ટિંગ
Rajkot,તા.08
રાજ્ય પોલીસ બેડામાં બઢતી અને બદલીના દોર ચાલુ છે. ગત સપ્તાહ એ.એસ.આઇ ને પ્રમોશન આપી ફોજદાર બનાવવામાં આવ્યા છે.ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 33 પીએસઆઇને પીઆઇ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 10 પીએસઆઇનો સમાવેશ થાય છે.વધુ વિગત મુજબ રાજ્ય પોલીસવાડા વિકાસ સહાય દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પીએસઆઇને હંગામી ધોરણે પીઆઇ તરીકે બઢતીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 33 પીએસઆઇને આ બઢતીનો લાભ મળ્યો છે જેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છના 10 પીએસઆઇનો સમાવેશ થાય છે.રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા બિન હથિયારધારી ફોજદારોને પીઆઇ તરીકેના પ્રમોશનના હંગામી હુકમ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા ડી.વી.કાનાણી, પોરબંદરના એમ.એલ. આહીર, મોરબીના પી.આર. સોનારા, પોરબંદરના કે.એન.ઠાકરિયા, બોટાદના એન.જી. પરમાર ગાંધીધામના પી.સી.મોલિયા, મોરબીના એન.એમ.ગઢવી, ભુજના કે.એ. જાડેજા અને ભુજના જે.કે. બારીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટમાં એસપી કચેરીમાં ફરજ બજાવતા પીએસઆઇ જે.એ. ખાચરને પણ પીઆઇ તરીકેની બઢતીનો લાભ મળ્યો છે.આ સિવાય જે પીએસઆઇને પીઆઈ તરીકેની બઢતીનો લાભ મળ્યો છે તેમાં બનાસકાંઠાના સી.એફ.ઠાકોર, આણંદના એમ.ડી.પુવાર, સુરતના કે.એચ.રોએલા, બનાસકાંઠાના એલ.જી. દેસાઈ, અરવલ્લીના બી.કે.વાઘેલા, જી-ટુ શાખાના કે.એન. ડોડીયા, પાટણના એચ.ડી.મકવાણા, સુરતના એ.એમ. પરમાર, મહીસાગરના જી.એસ. મહિડા, અમદાવાદ ગ્રામ્યના ડી.એ.ધાંધલીયા, ભરૂચના ડી.એ. ઝાલા, ખેડાના એસ.બી.દેસાઈ, એ.બી. મહેરીયા, નવસારીના એચ.આર. બારોટ, વડોદરાના સી.જી.તોમર, અમદાવાદના પી.એમ.દેસાઈ, એચ.એમ. આહીર, એટીએસના કે.બી. સોલંકી, ગાંધીનગરના ડી.ડી. ચૌહાણ, સુરત ગ્રામ્યના એલ.જી. રાઠોડ, આઇબીમાંથી એન.એ.શુક્લા, વડોદરા ગ્રામ્યમાંથી એ.એ. ભરવાડ અને સાબરકાંઠામાંથી ડી.સી. પરમારનો સમાવેશ થાય છે.