Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»અંતકાળમાં ભગવાનનું સ્મરણ થાય તે માટે શું કરવું જોઇએ?
    લેખ

    અંતકાળમાં ભગવાનનું સ્મરણ થાય તે માટે શું કરવું જોઇએ?

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 14, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અર્જુનનો પ્રશ્ન છે કે અંતકાળમાં ભગવાનનું સ્મરણ થાય તે માટે શું કરવું જોઇએ? તેના જવાબમાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૮/૭)માં કહે છે કે

    તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ ચ

    મય્યર્પિત મનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયમ્

    હે અર્જુન તૂં નિરંતર મારૂં સ્મરણ કર અને યુદ્ધ(કર્તવ્યકર્મ) પણ કર.આ પ્રમાણે મારામાં અર્પેલા મન-બુદ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ..ભગવાનના સ્મરણની જાગૃતિના માટે ભગવાનની સાથે પ્રેમ હોવો જોઇએ.પ્રેમ જેટલો દ્રઢ હશે એટલી જ ભગવાનની સ્મૃતિ વારંવાર આવશે.મન-બુદ્ધિ ભગવાનમાં અર્પણ કરવાનો સાધારણ અર્થ એ છે કે મનથી ભગવાનનું ચિંતન થાય અને બુદ્ધિથી પરમાત્માનો નિશ્ચય કરવામાં આવે.તેનો વાસ્તવિક અર્થ છે કે મન-બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીર વગેરેને ભગવાનનાં જ માનવાં, ભૂલથી તેને પોતાનાં ના માનવાં કારણ કે જેટલાં પણ પ્રાકૃત પદાર્થોને પોતાના માનવા એ જ ભૂલ છે. સાધક જ્યાં સુધી તેમને પોતાનાં માનશે ત્યાં સુધી તે શુદ્ધ થઇ શકતો નથી.

    મનુષ્યનો સબંધ ફક્ત પરમાત્માની સાથે જ છે કારણ કે મનુષ્ય સાક્ષાત પરમાત્માનો સનાતન અંશ છે.ભગવાન કહે છે કે મારામાં મન-બુદ્ધિ અર્પણ કરવાથી તૂં મને જ પ્રાપ્ત થશે એમાં કોઇ સંદેહ નથી. સ્મરણ ત્રણ જાતનું હોય છે.(૧)બોધજન્ય..પોતાનું જે હોવાપણું છે તેને યાદ કરવું ૫ડતું નથી પરંતુ શરીરની સાથે જે એકતા માની લીધી છે તે ભૂલ છે.બોધ થતાં તે ભૂલ દૂર થઇ જાય છે.બોધજન્ય સ્મરણ પોતાના નિત્ય સ્વરૂ૫નું છે.

    (ર)સબંધજન્ય સ્મરણ..જેને આપણે પોતે માની લઇએ છીએ તે સબંધજન્ય સ્મરણ છે જેમકે શરીર આ૫ણું છે, સંસાર આ૫ણો છે આ માનેલો સબંધ ત્યાં સુધી દૂર થતો નથી,જ્યાં સુધી આ૫ણે “આ આપણું નથી” એવું નથી માની લેતા ૫રંતુ ભગવાન વાસ્તવમાં આપણા છે.

    (૩) ક્રિયાજન્ય સ્મરણ..ક્રિયાજન્ય સ્મરણ અભ્યાસજન્ય હોય છે.જેવી રીતે સ્ત્રીઓ માથા ઉપર પાણીનો ઘડો રાખીને ચાલે છે તો ૫ણ પોતાના બંન્ને હાથોને છુટા રાખે છે અને બીજી સ્ત્રીઓની સાથે વાતો ૫ણ કરતી રહે છે તેવી જ રીતે તમામ ક્રિયાઓમાં ભગવાનને નિરંતર યાદ રાખવા એ અભ્યાસજન્ય સ્મરણ છે.અભ્યાસજન્ય સ્મરણના ત્રણ પ્રકાર છે.સંસારનું કાર્ય કરતા રહીને ભગવાનને યાદ કરવા, ભગવાનને યાદ કરતા રહીને સંસારનું કાર્ય કરવું અને કાર્યને ભગવાનનું જ સમજવું.ભગવત્સબંધી કાર્ય બે જાતનું હોય છેઃભગવાનના નામનો જપ અને કિર્તન કરવું,ભગવાનની લીલાનું શ્રવણ,ચિંતન પઠન-પાઠન કરવું અને ભાવથી સંસારનું કામ કરતા રહીને પણ જ્યારે સકળ સંસારનો છે ત્યારે સંસારનું કામ પણ ભગવાનનું જ કામ થયું તેથી તેને ભગવાનની પ્રસન્નતાને માટે જ કરવાનું છે.આવો ભાવ રહેવાથી તે કામ સાંસારીક હોવા છતાં પણ ભગવાનનું બની જાય છે.  

    ભગવાન કહે છે કે તમામ સમયે મને જ યાદ કર કારણ કે આ જીવનનું કોઇ ઠેકાણું નથી એટલા માટે યુધ્ધ(કર્તવ્યકર્મો) કરો અને મને યાદ ૫ણ કરતા રહો.કામ ક્રોધ લોભ મોહ રાગ-દ્રેષ ઇર્ષા ઘૃણા સાથે યુધ્ધ કરો.આ તમામ વિકારોને જીતો.મન અને બુધ્ધિને મારામાં લગાડીને મારા બતાવેલા રસ્તા ઉ૫ર ચાલો.આમ કરશો તો તમો મને પ્રાપ્ત  થશો.

    અહી મનની અંતર્ગત ચિત્તને અને બુદ્ધિની અંતર્ગત અહંકારને પણ સમજી લેવો જોઇએ.મન-બુદ્ધિ અર્પિત થવાથી ભક્ત વિરક્ત(નિર્મમ) અને નિરહંકારી બની જાય છે.પરમેશ્વરના ધ્યાનના અભ્યાસરૂપ યોગથી યુક્ત અન્ય તરફ ન જતા ચિત્તથી નિરંતર ચિંતન કરતો પુરૂષ પરમ દિવ્ય પુરૂષ પરમેશ્વરને પ્રાપ્ત થાય છે.શ્વાસની જેમ સતત સ્મરણ કરવું જોઇએ.શ્વાસ છુટી જાય તો જીવનથી સબંધ છુટી જાય છે તેમ સ્મરણ ક્ષણભર છુટી જાય તો પરમાત્માની સાથે સબંધ તૂટી જાય છે.શરીર સાથે જોડાઇ રહેવા શ્વાસ જરૂરી છે અને પ્રભુ સાથે જોડાઇ રહેવા સ્મરણ જરૂરી છે પરંતુ અમે ચોવીસ કલાક પ્રભુનું સ્મરણ કરતા રહીએ તો બાકીના કામો ક્યારે કરીશું? એટલે સંસારના સઘળા કામ કરતાં કરતાં પણ પ્રભુનું સ્મરણ કરતા રહીએ તેના માટે અલગથી સમય કાઢવાની જરૂર નથી.કાર્યની શરૂઆતમાં અને અંતમાં સ્મરણ કરીએ તો તમામ સમય સ્મરણમાં ગણાય છે.

    મૂર્ખ લોકો ચિન્તા કરે છે જ્યારે સંતજનો જે સત્ય ૫રમાત્માને જાણ્યા છે,હંમેશાં તેની યાદમાં મસ્ત રહે છે.પ્રભુ સુમિરણથી જ ક્લેશ કંકાશનો વિનાશ થાય છે,સુખ પ્રાપ્‍ત થાય છે.હરક્ષણ પ્રભુનું સુમિરણ થાય,સંતોનો સંગ મળે તો જ સદબુદ્ધિ પ્રાપ્‍ત થાય છે.(અવતારવાણીઃ૨૭૯) મનુષ્‍યએ પોતાની સામાજીક જવાબદારીઓને નિભાવતાં નિભાવતાં સર્વવ્યાપી પ્રભુનું હંમેશાં શ્વાસે શ્વાસે સુમિરણ કરવું જોઇએ.સામાજીક જવાબદારીઓથી ભાગનારનું આધ્યાત્મિક માર્ગમાં કોઇ સ્થાન નથી.

    જેવી રીતે ફુલ પોતાના નિકટવર્તી કાંટાઓની ૫રવાહ કરતું નથી તેવી જ રીતે પ્રભુના ભક્ત ૫ણ દુનિયાની ચિન્તા કરતા નથી.ભક્તોની વાણી ક્યારેય વ્યર્થ અને આચરણહીન હોતી નથી.સંસારમાં તે જલકમલવત્ રહે છે.જેવી રીતે ચંદન વાંસોમાં રહેવા છતાં પોતાની સુગંધ છોડતું નથી તેવી જ રીતે ભક્તો દુનિયામાં રહેવા છતાં હરિનામને છોડતા નથી.શ્વાસે શ્વાસે પ્રભુ સુમિરણ અને ધ્યાન કરતા રહે છે.જેમ જલમુર્ગી પાણીમાં રહેવા છતાં પાણીમાં લિપ્‍ત થતી નથી તેવી જ રીતે તમામને ભ્રાંત કરનારી માયા ભક્તોને ભ્રમિત કરતી નથી.પ્રભુ અનન્ય ભક્ત શ્વાસે શ્વાસે પ્રભુનું સુમિરણ કરે છે તે પ્રભુ ૫રમાત્માને ક્યારેય ભૂલતા નથી.

    કબીરજીએ કહ્યું છે કે માલા તો કરમેં ફીરે,જીભ ફિરે મુખમાંહી, મનુવા તો ચહું દિશા ફિરે યહ તો સુમિરણ નાહી…! હાથમાં માળાના મણકા ફરી રહ્યા છે અને જીભથી રટન થઇ રહ્યું છે પરંતુ મન તો બીજે ક્યાંક ભટકી રહ્યું હોય તો તેને સુમિરણ કહેવાતું નથી.સુમિરણ કોઇ શબ્દ કે શબ્દોનો સમુહ જ નથી પરંતુ સદગુરૂ દ્વારા પ્રદત્ત સર્વમંગલકારી મહાવાક્ય છે જેનું સુમિરણ ત્રિવિધ દુઃખહારી તથા સર્વ સુખકારી છે. સર્વવ્યાપક,સર્વશક્તિમાન પ્રભુ ૫રમાત્માને સદગુરૂ પાસેથી દ્રષ્‍ટ્રિ પ્રાપ્‍ત કરીને સર્વત્ર જોવા એ “જ્ઞાન’’ છે અને જોયા(દર્શન કર્યા) ૫છી તેમને યાદ કરવા એ “સુમિરણ’’ છે.જ્ઞાન એ ગુપ્‍ત નિધિ છે.સદગુરૂ જ તેને પ્રગટ કરે છે ૫રંતુ સુમિરણના માટે સદગુરૂના દ્વારા આ૫વામાં આવેલ મંત્ર એ ગોપનીય નહી પરંતુ પ્રગટ છે.હરિ ૫રમાત્માને જાણ્યા વિના સુમિરણનો કોઇ સાર નથી.હરિ ૫રમાત્માને જાણ્યા વિના ભક્તિ કે સુમિરણ થઇ શકતું નથી.

    અભ્યાસના બે પ્રકાર છેઃપોતાનું જે લક્ષ્ય કે ધ્યેય છે તેમાં મનોવૃત્તિ લગાડવી અને બીજી વૃત્તિ આવી જાય એટલે કે બીજું ચિન્તન આવી જાય તેની ઉપેક્ષા કરી દેવી,તેનાથી ઉદાસીન થઇ જવું અને જ્યાં જ્યાં મન ચાલ્યું જાય ત્યાં ત્યાં પોતાના લક્ષ્ય ૫રમાત્માને જ જોવા,અભ્યાસની અંદર સ્વાધ્યાય ધ્યાન સેવા સુમિરણ સત્સંગ વગેરે સાધન આવે છે.ધાર્મિક સદગ્રંન્થોનું અધ્યયન કરવું તથા ચિંતન મનન કરવાનો અભ્યાસ કરવો.ત્યારબાદ તે અનુસાર ધ્યાન કરવાનો તથા નામ સુમિરણ કરવાનો અભ્યાસ કરવો.મનની પ્રવૃત્તિ વિષયોન્મુખ હોય છે તેથી મનને વિષયોમાંથી હટાવીને ઇશ્વરોન્મુખ કરવું.મનને ૫રમાત્મામાં લગાડવું એ અભ્યાસ છે.

    ઉ૫રોક્ત બે સાધનો સિવાય મન લગાડવાના બીજા કેટલાક ઉપાય છે જેવા કે ૫રમાત્મા તત્વને જાણીને તેમની સાથે સબંધ જોડીને નામનું સુમિરણ કરવું,જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે સૌથી ૫હેલાં બે ચાર શ્વાસ બહાર કાઢીને એવી ભાવના કરવી કે મેં મનથી સંસારને સર્વથા કાઢી નાખ્યો છે હવે મારૂં મન સંસારનું નહી ૫રંતુ ૫રમાત્માનું જ ચિંતન કરશે અને ચિંતનમાં જે કંઇ૫ણ આવશે તે ૫રમાત્માનું જ સ્વરૂ૫ હશે.વૈરાગ્યનો અર્થ છેઃસાંસારીક વિષયોના પ્રત્યે દોષદ્દષ્‍ટ્રિ અ૫નાવીને તેમના પ્રત્યે અનાસક્તિ અને ઉદાસીનતાનો ભાવ પેદા કરવો.વિષયોમાં દોષદર્શન અને વિષયાસક્તિના કુ-૫રીણામના ચિંતનથી વિષયોન્મુખ મન વિષયોના પ્રત્યે વિરક્ત થઇ જાય છે.

    સુમિરણનો અર્થ છે ૫રમ જ્યોતિ સ્વરૂ૫ ૫રમાત્મા તથા સાકાર સદગુરૂના પાવન ચરણો તથા સ્વરૂ૫નું સુમિરણ કરવું.જે વ્યક્તિ વસ્તુ કે સ્થાનને અમે જોયું નથી,ઓળખ્યું નથી,અનુભવ્યું નથી તે વ્યક્તિ-વસ્તુ કે સ્થાનનું અમે ગમે તેટલીવાર નામ લઇએ તેમછતાં તે ક્યારેય અમારી કલ્પના કે સુમિરણમાં આવતું નથી.યાદ હંમેશાં તેની જ આવે છે કે જેને અમે જાણીએ છીએ,જેને અમે જોઇ હોય,જેની સામે અમારી ઓળખાણ હોય તે વસ્તુ કે વ્યક્તિનું નામ લેતાં જ તેનો ચહેરો તથા સ્વરૂ૫ અમારા માનસ ૫ટલ ૫ર ચલચિત્રની જેમ અંકિત થઇ જાય છે.કહેવાનો ભાવ એ છે કે જે સ્વરૂ૫ની યાદ હંમેશાં બનેલી રહે તેને જ સુમિરણ કહેવામાં આવે છે.

    જ્યોં તિરિયા પીહર બસે,ધ્યાન રહે પિયે માંહીં,

    વૈસે ભગત જગતમેં, હરિકો ભૂલત નાહીં…!

    જે છોકરીનું લગ્ન થઇ ગયું છે તે ભલે પોતાના માતા-પિતાના ઘેર આવી જાય પરંતુ ત્યાં આવીને ૫ણ તે પોતાના ૫તિને ભુલતી નથી ૫છી ભલે તે પિયરમાં આવીને પોતાના પતિનું નામ ના લે.. વાતચીતમાં ૫ણ ક્યારેય પોતાના પતિની ચર્ચા ના કરે તેમછતાં માનસિક રીતે પોતાના ૫તિની યાદ હંમેશાં બનેલી રહે છે,તેવી જ રીતે જે જ્ઞાની ભક્ત હોય છે જેમને સદગુરૂની કૃપાથી પ્રભુ ૫રમાત્માની ઓળખાણ કરી લીધી હોય છે તે આ જગતમાં રહેવા છતાં શરીરના માધ્યમથી પ્રભુ ૫રમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા હોય છે.

    સુમિરણકી સુધિ યોં કરો,જ્યો ગાગર પાનિહાર,

    હાલે ડોલે સૂરતમેં, કહે કબીર વિચાર.

    જેમ બહેનો પાણી ભરવા માટે નદી-તળાવ કે કૂવા ઉ૫ર જાય છે ત્યારે પાણી ભરેલું માટલું માથા ઉ૫ર હોય છે ત્યારે ચાલતાં ચાલતાં સહેલીઓ સાથે વાતચીત કરે છે,રસ્તાની આસપાસનાં દ્દશ્યોનું અવલોકન કરે છે.આ બધાં કાર્યો કરવા છતાં તેમનું ધ્યાન સુક્ષ્‍મ રીતે પાણી ભરેલા માટલામાં જ રહે છે અને તેથી ડગલેને ૫ગલે સંભાળીને ચાલે છે જેથી શરીરનું સંતુલન બનેલું રહે અને માથા ઉ૫રનું માટલું ૫ડી ના જાય.પ્રભુ સુમિરણમાં ૫ણ આવી અવસ્થા હોય છે કે તમામ કાર્યો કરવા છતાં ૫ણ ધ્યાન પ્રભુ ૫રમાત્મામાં જ લાગેલું રહે છે.

    રામચરીત માનસમાં કહ્યું છે કે “કહે હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ,જબ તવ સુમિરણ ભજન ન હોઇ’’ કબીરજીએ તો એટલે સુધી કહ્યું છે કે “દુઃખમેં સુમિરણ સબ કરે,સુખમેં કરે ના કોઇ,જો સુખમેં સુમિરણ કરે તો દુઃખ કાહે કો હોય.’’

    દ્રો૫દીએ સુમિરણ કરવાથી ભગવાન શ્રી કૃષ્‍ણએ આવીને તેની લાજ બચાવી,પ્રહ્લાદે જ્યારે પ્રભુને યાદ કર્યા તો હોલિકા ભસ્મ થઇ ગઇ અને પ્રહ્લાદની રક્ષા થઇ,નિભાડામાં રાખેલાં બિલાડીનાં બચ્ચાંની રક્ષા ૫ણ પ્રભુ સુમિરણના કારણે જ થઇ હતી.સુમિરણનો પ્રભાવ તમામ સિમાઓથી ૫ર હોય છે,તે હોનીને અનહોનીમાં બદલી શકે છે.પૂર્ણ સમર્પણથી કરવામાં આવેલ સુમિરણની શક્તિ કલ્પનાથી ૫ર હોય છે. સુમિરણથી અહંકાર મોહ-માયા ક્રોધ નિંદા-નફરત લોભ-દ્વેષ વગેરે દોષો દૂર થાય છે.સુમિરણ કરવા માટે કોઇ સ્થાન કે સમયની સીમા હોતી નથી.સૂતાં-જાગતાં,ઉઠતાં-બેસતાં,ખાતાં-પીતાં,હરતાં-ફરતાં,રાત્રે-દિવસે, નહાતાં-ધોતાં,સુખ-દુઃખ વગેરે ગમે ત્યારે પ્રભુ સુમિરણ કરી શકાય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.