Jamnagar,તા.21
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને પોતાની પત્ની અને સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે. જેણે લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગર શહેરના ગુલાબનગર ખાતે રહેતા દિલીપ ચંદ્રકાંત જેઠવાણી, (જાતેસિંધી ઉ.વ. ૨૮ વર્ષ) એ પોતાની સાસુ અને પત્ની સાથેના અણબનાવો ને લઈને ઘરકંકાસ થી કંટાળી જઈ ગત શનિવાર ના રોજ સવારના અરસામાં રણજીતસાગર ડેમ નજીક ખેતી માટે વપરાશ ની દવા નું વિષપાન કરતાં ખળભળાટ મચી ગયો છે.જે યુવાન હાલ બેભાન હાલતમાં જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ માં આઈ.સી.યુ.માં તબીબી સારવાર હેઠળ ખસેડાયો છે.જે બનાવની જાણ થતાં પંચકોષીએ. ડિવિઝન નો પોલીસ સ્ટાફ જી.. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઈ.
યુવક દ્વારા લખેલી ચિઠ્ઠી પરિવાર ને હાથ લાગતાં તેમાં પોતે હારી થાકીને પત્ની તેમજ સાસુના ત્રાસ ના કારણે વિષપાન કરી રહ્યો છે, તેવો ઉઠોખ કર્યો હતો. જે ચાર પાનાની ચિઠ્ઠી પરિવાર દ્વારા પોલીસને સુપ્રત કરાઈ હતી, જે ચિઠ્ઠી ના આધારે પોલીસ તંત્ર આગળની તપાસ ચલાવી રહ્યું છે.