Jamnagar,તા.22
જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સાગર આનંદભાઈ ચૌહાણ નામના ૨૮ વર્ષના ખેડૂત યુવાને ગત બીજી તારીખે પોતાની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેથી તે બેશુદ્ધ બન્યો હતો, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યા ૧૮ દિવસની સારવાર બાદ ગઈકાલે સાંજે તેનું મૃત્યુ-નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ પ્રવીણભાઈ આણંદભાઈ ચૌહાણ એ પોલીસને જાણ કરતા પંચકોસી એ ડિવિઝનના એએસઆઈ ડી.એ. રાઠોડ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.