Surendranagar તા.29
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાટસર રોડ ઉપર બેફામ ચાલતી સ્કોર્પિયો કાર ચાલક દ્વારા ત્રણ ભેંસને ઉડાડવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળે બે જેટલી ભેંસોના મોત નીપજવા પામ્યા હતા અને અન્ય એક ભેંસને ઈજા પહોંચવા પામી હતી ત્યારે માલધારી સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે વહેલી સવારે માલ2 ભેંસોના ઘટના સ્થળે મોત થયા માલધારી સમાજમાં રોષ
ધારીઓ પોતાની માલ ઢોર અને ભેંસો લઈ અને ચારવા જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર ચાલક દ્વારા આ ભેંસોને ઉડાડવામાં આવી હતી અને હડફેટે લેવામાં આવી હતી.
ત્યારે ઘટના સ્થળે બે ભેંસોના મોત થયા હતા સદનસીબે ચાલકના નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને બે જેટલી ભેંસોના મોત થયા બાદ માલધારી સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે આ અંગે ઇજાગ્રસ્ત ભેંસને સારવાર માટે તાત્કાલિક ડોક્ટરોની ટીમો બોલાવવામાં આવી હતી અને સ્થાનિક લોકોએ પણ આ મુદ્દે એકઠા થઈ અને ભેંસ બચે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા.
પરંતુ બે ભેંસોના મોત થતાં ભેંસના માલિક દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ અંગે પોલીસને જાણ કરી અને આગળની કાર્યવાહી અને તજવીજ શરૂ કરવામાં આવી છે.

