Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું
    • અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley
    • મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી
    • America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી
    • ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ
    • ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ
    • મરાઠી ભાષાનું સમર્થન કરતા Actress Kajol વિવાદમાં ફસાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»chikungunya થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઇ શકે : નવો સ્ટ્રેન જોવા મળ્યો
    ગુજરાત

    chikungunya થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઇ શકે : નવો સ્ટ્રેન જોવા મળ્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા,11

    ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના કેમ બમણા થઈ ગયાં છે. ચિકનગુનિયા સાથે એન્સેફેલાઇટિસ હોય તો કિડની, મગજ જેવા અંગોને નુકસાન થવાનું પણ જોખમ રહે છે.

    બમણી ગતિએ વધ્યો ચિકનગુનિયા

    સામાન્ય રીતે ડેન્ગ્યુ કરતાં ચિકનગુનિયાના કેસ 10 ગણા ઓછા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચિકનગુનિયાના 30 ટકાથી વઘુ કેસ નોંધાયા છે. હાલ જે સત્તાવાર આંકડા સામે આવી રહ્યા છે તેના કરતાં પણ ચિકનગુનિયાના કેસ અનેકગણા વધુ છે. આ વખતે ચોમાસા દરમિયાન ચિકનગુનિયાના કેસમાં બમણી ગતિએ વધારો થવા લાગ્યો છે. ડૉક્ટરોના મતે આ વખતે કેટલાક દર્દીઓમાં ચિકનગુનિયાની સાથે એન્સેફેલાઇટિસ પણ જોવા મળે છે. આ દર્દીઓમાં ચિકનગુનિયા જેવા જ તાવ, સાંધાના દુખાવા, ફોલ્લીઓ થવાના લક્ષણો હોય છે. આ પછી બીજા સપ્તાહમાં બળતરા મગજ સુધી પહોંચવા લાગે છે.

    ચિકનગુનિયાના લક્ષણો

    જેના કારણે દર્દી અશક્તિ, વધુ ઉંઘ આવવી, ચાલવામાં સમસ્યા, અનિયમિત યુરિનરી જેવી ફરિયાદ કરે છે. દિલ્હીમાં આ પ્રકારના લક્ષણ સાથેના દર્દીના સેમ્પલ જોવા મળ્યા છે તેને પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ વિરોલોજીમાં પરિક્ષણ માટે મોકલાયા છે. જેના આધારે વાયરસ મ્યુટેશન છે કે ચિકનગુનિયાનો કોઇ નવો સ્ટ્રેઇન તે સ્પષ્ટ થશે. આ પ્રકારના કેસનું પ્રમાણ હાલ દેશમાં ખૂબ જ ઓછું છે. પરંતુ આ ગંભીર પ્રકારની બીમારીને ‘ગુઇલિયન બેર સિન્ડ્રોમ’ તરીકે ઓળખાય છે. જેમાં ચેતાતંતુઓને અસર થવા ઉપરાંત ભારે અશક્તિ આવવી, પેરાલિસિસ થવાનું જોખમ પણ રહે છે. કેટલાક દર્દીઓ એવા પણ છે જેમને ભારે અશક્તિ આવવાથી ચાલતા-ચાલતા પડી જાય છે.

    આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, ‘આપણે ત્યાં આ વખતે ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના કેસ ખૂબ જ વધારે જોવા મળ્યા છે. જૂન સુધી ચિકનગુનિયાના કેસ પ્રમાણમાં ઓછા હતાં. પરંતુ હવે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દર વર્ષે ડેન્ગ્યુ કરતાં 10માં ભાગના ચિકનગુનિયાના કેસ હોય છે.

    30 ટકાથી વધી ગયાં ચિકનગુનિયાના કેસ

    જોકે, આ વખતે ચિકનગુનિયાના કેસ પણ વધારે જોવા મળે છે. ગત વર્ષ કરતાં ચિકનગુનિયાના કેસ 30 ટકાથી વઘુ વધી ગયા છે. ચિકનગુનિયા એન્સેફેલાઇટિસના કેસ આપણે ત્યાં હજુ વધારે જોવા મળ્યા નથી. આ વાયરસ શરીરના કોઇપણ ઓર્ગનને જોખમ પહોંચાડી શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે દર્દીને તેનું નિદાન મોડું થાય તો તકેદારી જરૂરી છે. ’

    દર્દીને 8 થી 10 દિવસ ICUમાં સારવાર લેવી પડે છે

    ચિકનગુનિયાથી મગજને અસર પડી હોય તેવા ગુજરાતમાં હજુ સુધી કેસ નોંધાયા નથી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, દિલ્હી-મહારાષ્ટ્રમાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે, જેમાં ચિકનગુનિયાથી મગજને અસર થતાં દર્દીને ચાર-પાંચ દિવસ તો કેટલાક કિસ્સામાં 8-10 દિવસ આઇસીયુમાં સારવાર આપવી પડી છે. આ દર્દીના મગજનું સ્કેન કરાતાં તેમાં મગજમાં સોજો જોવા મળ્યો હતો.

    અમદાવાદમાં તાવના રોજના 6 હજારથી વઘુ દર્દી

     

    અમદાવાદમાં તાવના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં 1 હજાર જેટલી ખાનગી હોસ્પિટલ આવેલી છે અને તેમાં દરરોજ આવતા સરેરાશ 50 દર્દીમાંથી 6 થી 8 તાવની સમસ્યા સાથેના હોય છે. આ સ્થિતિએ અમદાવાદની હોસ્પિટલોમાં રોજના 6 હજાર દર્દી નોંધાય છે. તાવના આ અંદાજે 6 હજાર દર્દી પૈકી 1 હજાર ડેન્ગ્યુ-ચિકનગુનિયાના હોય છે. આ ઉપરાંત તાવના રોજના 10 ટકા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

    દર વર્ષે આ સિઝન દરમિયાન ચિકનગુનિયાના કેસ જોવા મળે છે. ત્યારે આ વર્ષે જૂન 2024 સુધીમાં 189 કેસ સામે આવ્યા છે.

    ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં ચિકનગુનિયાના કેસ

    વર્ષ
    શંકાસ્પદકન્ફર્મ
    201810,6011,290
    20198,084669
    20208,1201,061
    202132,3724,044
    202220,8551,046
    202324,124513
    20248,437189
    Chikungunya GUJARAT Health Mosquito-borne-disease
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025
    ગુજરાત

    ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ

    August 6, 2025
    રાજકોટ

    Rajkot: મુસાફરો નહીં મળતા રાજકોટ-ભુજ સ્પે.ટ્રેન રદ્દ

    August 6, 2025
    રાજકોટ

    Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ

    August 5, 2025
    રાજકોટ

    Rajkot: પાંચ સ્થળોએ જુગારના દરોડા: લાખોનો મુદ્દામાલ કબજે

    August 5, 2025
    રાજકોટ

    Rajkot: માલધારી સોસાયટીમાં બુઢાપાથી થી કંટાળી વૃધ્ધનો આપઘાત

    August 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025

    મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી

    August 6, 2025

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.