(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૮ઃ
શેત્રુંજી વન વિભાગ હેઠળ આવતા લીલીયા રેન્જમાં ગઈકાલે મોડી રાત્રે વનવિભાગ અને રેલવે ટીમની સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ સંકલનને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. અને એક માદા સિંહણનો સુરક્ષિત બચાવ થયો છે. (મિલાપ રૂપારેલ દ્વારા)અમરેલી તા.૧૮ઃ
અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસોના આરોપીઓ પકડવા ખાસ અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટ, ધારીના ફોજદારી કેસ નં.૨૩૯/૨૦૦૪ મુજબના ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસના નાસતા ફરતા આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકન્ીકલ સોર્સ આધારે હકીકત મેળવી તા.૧૫ ના રોજ ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસના નાસતા ફરતા ૩ આરોપીઓને નીજાનંદ આશ્રમ, વાસણા (છોટા ઉદેપુર) ખાતેથી તેમજ એક આરોપીને વેજલપુરજિ.અમદાવાદ) ખાતેથી પકડી આગળની ઘટતી કાર્યવાહી સારૂ ધારી પોલિસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ ક્રિમીનલ ટાર્ગૅટેડ કેસમાં પેરોલ ટીમ દ્વારા છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા બાબતે ખૂબ જ ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવેલ જે તપાસમાં આરોપીઓ વિરૂદ્ધમાં દાખલ થયેલ કેસ બાબતની વિગત નામ. એડી. કોર્ટ, ધારીથી મેળવવામાં આવેલ તેમજ આરોપીઓ સદર કેસ સમયે ધારી તાલુકાના દલખણીયા વિસ્તારમાં રહેતા હતા અને તેમનુ મુળ ગામ બગસરા ખાતે હતુ. જેથી ટીમ દ્વારા સદર બંને જગ્યાએ હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ કરવામાં આવેલ પણ કોઇ ફળદાયક હકીકત મળેલ નહી. તેમજ સદરહું આરોપીઓ બાબતે ઇગુજકોપ પોર્ટલ, પોર્ટલ, તથા ગાંડીવ પોર્ટલમાં આરોપીઓના નામ સર્ચ કરવામાં આવેલ પરંતુ તેમા પણ કોઇ ફળદાયક હકીકત મળેલ નહી.
ત્યારબાદ પેરોલ ટીમને અંગત બાતમીદાર મારફતે હકીકત મળેલ કે સદરહું કેસના મુખ્ય આરોપી હર્ષદભાઇ વ્યાસની દીકરી રાજકોટ સાસરે હોવાની હકીકત મળેલ જેથી રાજકોટ ખાતે હ્યુમન ઇન્ટેલીજન્સથી તપાસ કરાવતા સદર કેસના આરોપીઓ જે તે સમયે ધારી વિસ્તારમાં રહેતા હતા. ત્યાંથી પ્રથમ રાજકોટ શીફ્ટ થયેલ ત્યાં થોડા વર્ષો રહ્યા બાદ અમદાવાદ શીફ્ટ થયેલ ત્યારબાદ નર્મદા જિલ્લાના કેવડીયા વિસ્તારમાં શીફ્ટ થયેલ અને હાલમાં આ કેસના ત્રણ આરોપીઓ હર્ષદભાઇ શામળજીભાઇ ઉર્ફે શામળભાઇ વ્યાસ અને તેના બંને દીકરા સમીરભાઇ હર્ષદભાઇ વ્યાસ તથા નીરજ હર્ષદભાઇ વ્યાસ સંખેડા તાલુકાના વાસણા ગામે શીફ્ટ થયેલ હોય, જેમાં આરોપી નીરવ જે હાલમાં સ્વામી નીજાનંદગીરી તરીકે નીજાનંદ આશ્રમ ચલાવતા હોવાની હકીકત અલગ અલગ માધ્યમથી મેળવવામાં આવેલ અને આરોપી મુકેશભાઇ વ્યાસ જે હાલમાં અમદાવાદ, વેજલપુર વિસ્તારમાં રહી મંદિરમાં સેવાપૂજા કરતા હોવાની હકીકત મેળવવામાં આવેલ જે તમામ માહિતી બાબતે ખરાઇ કરવામાં આવેલ ત્યારબાદ પેરોલ ટીમ દ્વારા સંખેડા તાલુકાના વાસણા ગામે જઇ સદર કેસના ૩ આરોપીને વાસણા આશ્રમ ખાતેથી તેમજ ૧ આરોપીને અમદાવાદ વેજલપુર ખાતેથી શોધી કાઢી અટક કરવામાં આવેલ છે. અને આગળની ઘટતી કાર્યવાહી સારૂ ધારી પોલિસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ બનાવમાં મળતી વિગત મુજબ લીલીયા તાલુકાના હાથીગઢ ગામથી લીલીયા તરફથી આવી રહેલ માઇલ સ્ટોન નંબર ૨૮/૧ અને ૨૮/૨ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે એક સિંહણ અચાનક રેલવે ટ્રેક પર આવી ચડી હતી. ટ્રેક પર સિંહણ આવી જતાં સંભવિત અકસ્માતની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ડી.સી.એફ. ચિરાગ અમીન અને એ.સી.એફ. રાજન જાદવના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમે તુરંત જ સ્થળ પર દોડી જઈ મોરચો સંભાળ્યો હતો. વનવિભાગના ફોરેસ્ટર ઇમરાન પઠાણ તેમજ વનમિત્રો અને રેલમિત્રની ટીમે પરિસ્થિતિ પર સતત નજર રાખીને સિંહણને બે વખત સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર ખસેડી હતી. વનવિભાગની સુચના અને સતર્કતાને પગલે ગુડ્સ ટ્રેનને તાત્કાલિક અડધા કલાક સુધી થંભાવી દેવામાં આવી હતી. સિંહણ સુરક્ષિત રીતે ટ્રેક ક્રોસ કરીને પોતાના કુદરતી રહેઠાણ તરફ જતી રહ્યા બાદ જ ગુડ્સ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.વનવિભાગ અને રેલવે ટીમોના પરસ્પર સંકલન અને ત્વરિત પગલાંને કારણે રેલવે ટ્રાફિક પણ સુચારુ રહ્યો હતો અને વન્યજીવનો જીવ બચાવીને મોટો અકસ્માત ટાળવામાં સફળતા મળી છે.

