નીજ ટ્રેલીકના ઓઠા હેઠળ સ્કીમોમા કરેલા રોકાણની રકમ પરત કરવા આપેલા બે ચેક પરત ફર્યા તા
Rajkot, તા.09
શહેરમાં નીજ ટ્રેલીકના અંકુર કરગથરાએ સ્કીમો આપી રોકાણ કરેલ રૂપિયા પરત કરવા રોકાણકારોને બે બે ચેક આપ્યા હતા. જેમાં એક રોકાણકારના બંને ચેક રિટર્ન થતા કોર્ટે નીજ ટ્રેલીકના અંકુર કરગથરાને એક વર્ષની જેલની સજા અને ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરમાં નીજ ટ્રેલીકના અંકુર કરગથરાએ ઘણાં ઈન્વેસ્ટરોને ઈન્વેસ્ટમેન્ટ સ્કીમો આપી રકમ લીધેલ ત્યારબાદ ઈન્વેસ્ટ કરેલ રકમનું વળતર ઘણાં ઈન્વેસ્ટરોને ન ચુકવતા ઈન્વેસ્ટરો દ્વારા રકમ પરત માંગતા અંકુરે ઈન્વેસ્ટમેન્ટ કરેલ રકમોના બે ચેકો ઈન્વેસ્ટરોને આપી અને પોતાની ઈન્વેસ્ટમેન્ટ કંપની બંધ કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ રાજકોટના રહીશ હર્ષિલ હરેશભાઈ શાહને અંકુરે આપેલા બે ચેકો બેંકમાં જમા કરાવતા તે ચેકો અપુરતા ભંડોળને કારણે પરત ફર્યા હતાં. જે અંગે કોર્ટમાં ચેક રીટર્નની ફરીયાદ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતાં બંને પક્ષની રજુઆત બાદ ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે અંકુર કરગથરાને એક વર્ષની જેલની સજા અને ચેક મુજબની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના અભિમન્યુ લો ફર્મના યુવા ધારાશાસ્ત્રીઓ સી.કે. કુકરેચા, સી.જી. પરમાર, સી.બી. તલાટીયા, કે.કે. ચૌહાણ, વી.એ. સોલંકી, ડી.બી. ભટ્ટી અને એ.કે.ભટ્ટી, રોકાયા હતા.