- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસમાં પાંચ ટેસ્ટની સિરીઝ રમવા જઈ રહી છે તે અગાઉ જ બંને ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી હતી New Delhi, તા.૨૪ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર રોહિત અને કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ વગર રમવાનો ટીમ સામે પડકાર રહેશે. પરંતુ બીજીતરફ યુવા ખેલાડીઓને જવાબદારી સ્વીકારવાની તક પણ પ્રાપ્ત થશે. કોહલી અને રોહિતે ચાલુ મહિને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસમાં પાંચ ટેસ્ટની સિરીઝ રમવા જઈ રહી છે તે અગાઉ જ બંને ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી હતી. શનિવારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ટીમ જાહેર થશે.ખેલાડીએ ક્યારે રમવાનું શરૂ…
આરસીબીને આ મેચમાં જીત સાથે ટોચની બે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક હતી પરંતુ તેણે ગુમાવી હતી Lucknow, તા.૨૪ સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૪૨ રને હરાવીને આશ્વાસનરૂપ વિજય મેળવ્યો હતો. ઈશાન કિશનના તોફાની ૯૪* રનની મદદથી હૈદરાબાદે છ વિકેટે ૨૩૧ રનનો સ્કોર રજૂ કર્યો હતો. જવાબમાં બેંગ્લોર ૧૯.૫ ઓવરમાં ૧૮૯માં ઓલ આઉટ થયું હતું.આરસીબીને આ મેચમાં જીત સાથે ટોચની બે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક હતી પરંતુ તેણે ગુમાવી હતી. આરસીબી તરફથી ઓપનર ફિલ સોલ્ટે ૩૨ બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાના સહાર ૬૨ રન કર્યા હતા. વિરાટ કોહલીએ ૪૩ રન ફટકારીને તેનો સાથ…
રૂબરૂ સુનાવણી દરમિયાન એવી વિગતો પણ જાહેર થઇ હતી કે, આગળના બે-ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષથી ફી ઉઘરાવી છે Ahmedabad, તા.૨૪ અમદાવાદ ઝોનમાં આવેલી ખાનગી સ્કૂલો પૈકી કેટલીક સ્કૂલો મંજૂરી વગર તોતિંગ ફી ઉઘરાવતી હોવાની ફરિયાદ બાદ હાલમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ૭ સ્કૂલને રૂપિયા ૫ હજારથી લઇને ૨૫ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે રચવામાં આવેલી ફી કમિટી દ્વારા નિર્ધારિત કરાયેલી ફીના સ્લેબ કરતા ઓછી ફી વસૂલ કરનારી સ્કૂલોએ કમિટી સમક્ષ એફિડેવિટ કરવાની હોય છે. આજ રીતે વધુ ફી વસૂલ કરનારી સ્કૂલોએ દરખાસ્ત કરવાની હોય છે. ફી કમિટી દ્વારા હાથ ધરવામાં…
એક બાદ એક અલ્પુ સિંધી સામે પ્રોહિબીશન સહિત ગંભીર ગુના નોંધાતા, તમામ ગુનાઓની સમિક્ષા કરવામાં આવી હતી Vadodara તા.૨૪ Vadodaraમાં દારૂના ધંધાને ખતમ કરવા માટે ઘનિષ્ઠ કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ગુજરાનમાં ચાલતી ગેરકાયદેસર દારૂની સિન્ડીકેટના ૧૩ સામે ગુજીસીટોક હેઠળ ગુનો નોંધી તેમની કમર તોડી નાખી હતી. તે બાદ આજે Vadodara ઁઝ્રમ્ શાખાએ લીસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી ગેંગના ૮ સાગરીતો વિરૂદ્ધ ગુજીસીટોક હેઠળ ગુનો દાખલ કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. Vadodara શહેરમાં મારા મારી અને દારૂના ગેરકાયેદસર ચાલતા ધંધામાં પોતાની ધાક જમાવવા લીસ્ટેડ બુટલેગર અલપેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી (સિંધી)એ પોતાની ગેંગ બનાવી થોડા સમય પહેલા ફતેગંજ…
સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કલમ-૪૨૦ની ફરિયાદ નોંધાઇ હતી Surat , તા.૨૪ કોલસાના વેપારમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપીને જામીન પર મુક્ત કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. આ કેસની મહિલા આરોપીએ મુખ્ય આરોપી સાથે મળીને લોકોનું ૪.૫૭ કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનો આક્ષેપ છે. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કલમ-૪૨૦ની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ કરનાર પોતે એક વિધવા મહિલા હતી. જેનો વિશ્વાસ કેળવીને કોલસાના વેપારમાં રોકાણ કરાવવાનું કહીને તેના અને તેના સંબંધીઓ પાસેથી રોકડ તેમજ લોન મેળવીને કુલ ૧.૩૦ કરોડ રૂપિયા જેટલી રકમ આરોપીએ મેળવી લીધી હતી. ત્યારબાદ પરત આપવાનો ઈનકાર કરતાં મામલો બગડ્યો હતો. પોલીસ તપાસમાં…
એક કિલો મીઠાનો ભાવ ૧૨૫ થી ૧૪૫ રૂપિયા કીલો દીઠ પહોંચ્યો: આ વર્ષે મીઠાનું કુલ ઉત્પાદન માત્ર ૨૩ ટકા જેટલું જ થયું છે Sri Lanka, તા.૨૪ શ્રીલંકાના પુટ્ટલમ્ જિલ્લાના મીઠાના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે થયેલા ભારે વરસાદને લીધે લગભગ ૧૫,૦૦૦ મે.ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. આથી મીઠાની એક બોરીની કિંમત પાંચ ગણી વધી ગઈ છે.ભારે વરસાદને લીધે એક તરફ મીઠાનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે, તો બીજી તરફ ઉત્પાદિત મીઠાના ડુંગરો વરસાદમાં ધોવાઈ ગયા છે. આથી શ્રીલંકામાં મીઠાનું ઉત્પાદન નહીં સમાન બની રહ્યું છે. લોકો મીઠા જેવી અનિવાર્ય જીવન જરૂરિયાતની ચીજના ભાવ આસમાને પહોંચ્યા છે. મીઠાના વેપારીઓ જેમની…
Rice સદીઓથી જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન છે ૨૦૨૩માં ફસલ ઓછી થઈ ૨૦૨૪માં ભૂકંપની ભીતિને લીધે ખરીદી એકદમ વધી ગઈ Japan તા.૨૪ જાપાનમાં આજકાલ Riceની ગંભીર કટોકટી ઊભી થઈ છે. શુક્રવારે તા. ૨૩ મેના દિવસે પ્રસિદ્ધ કરાયેલા મોંઘવારીના આંકડા ઉપરથી જાણવા મળ્યું છે કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે Riceની કિંમતમાં ૯૮ ટકા વધારો થયો છે, એટલે કે ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. આ કટોકટી હલ ન થઈ શકતાં ખાદ્યાન્ન મંત્રીને ત્યાગપત્ર આપવું પડયું છે સાથે વડાપ્રધાન શિગેરૂ ઈશિબા માટે આ કટોકટી માથાનો દુઃખાવો બની ગઈ છે. આ અચાનક ભાવ વૃદ્ધિનાં ૪ મુખ્ય કારણો છે (૧) પહેલું કારણ તે છે કે,…
આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાડોશીઓએ બંધ રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણકારી પોલીસને આપી હતી Jamshedpur તા.૨૪ જમશેદપુરથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં ગમહરિયામાં આવેલી ટાટા સ્ટીલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે તહેનાત કેન્સરથી પીડિત ૪૦ વર્ષીય એન્જિનિયર કૃષ્ણ કુમારે પત્ની અને બે બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી. શુક્રવારે રાત્રે ચારેયના મૃતદેહ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાડોશીઓએ બંધ રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણકારી પોલીસને આપી હતી. જેના બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. કૃષ્ણ કુમાર તાજેતરમાં જ કેન્સરની સારવાર કરાવીને મુંબઈથી પરત ફર્યા હતા. તેમને નિયમિત કીમોથેરાપી કરાવવા…
દરેક રાષ્ટ્રને ત્રાસવાદ વિરુદ્ધ પોતાનો બચાવ કરવાનો અધિકાર છે તેવી જર્મનીની સમજને અમે આવકારીએ છીએ Berlin,તા.૨૪ ત્રાસવાદ વિરુદ્ધ ભારતની નીતિ હંમેશા ઝીરો ટોલરન્સની રહી છે અને તે ક્યારેય ન્યૂક્લિયર બ્લેકમેઈલિંગને તાબે નહીં થાય તેમ વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું. બર્લિન ખાતે જર્મનીના વિદેશમંત્રી સાથેની મંત્રણા બાદ જયશંકરે જણાવ્યું હતું કે, આ મામલે કોઈ પણ જગ્યાએ લેશમાત્ર ગૂંચવણ ના હોવી જોઈએ. દરેક રાષ્ટ્રને ત્રાસવાદ વિરુદ્ધ પોતાનો બચાવ કરવાનો અધિકાર છે તેવી જર્મનીની સમજને અમે આવકારીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ ભારતે આપેલી પ્રતિક્રિયા બાદ હું જર્મની આવ્યો છું. ભારત ક્યારેય ત્રાસવાદને સાંખી નહીં લે કે…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! વૈશ્વિક મોરચે રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા અમેરિકાના સોવરિન ડેટના આઉટલુકમાં ઘટાડો કરતાં અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓને લઈ વિશ્વ સ્તબ્ધ હોઈ ભારત માટે પણ ટ્રશ્વપના શૂન્ય ટેરિફ માટે સંમત થયાના વિવાદાસ્પદ નિવેદન અને બીજી તરફ ચાઈના અને અરબ દેશો તરફના ઝુંકાવને લઈ વૈશ્વિક વેપાર સ્થિતિ અનિશ્ચિત બની રહેતા સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો, જો કે જેપી મોર્ગન દ્વારા ભારતનું અર્થતંત્ર વિવિધ પડકારો વચ્ચે પણ મજબૂત ગ્રોથ સાથે વેગવાન રહેવાનો રિપોર્ટ અને સ્થાનિક સ્તરે આર્થિક વૃદ્ધિમાં વધારો તેમજ ફુગાવો કંટ્રોલમાં રહેવાની અપેક્ષાએ સપ્તાહના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની…
