- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
Author: Vikram Raval
Bhavnagar,તા.૨૧ મુંબઈથી દારૂ લાવી શહેરમાં વેચવા લાવેલી ત્રણ મહિલા અને ચાર પુરૂષોને ભાવનગર એલસીબીએ રૂવાપરી રોડ ટેકરી ચોક વિસ્તારમાંથી ઉઠાવી લીધા હતા. કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આડોડીયાવાસ વિસ્તારની ત્રણ મહિલા સહિત સાત લોકો પાસેથી દારૂ તથા કાર મળી પોલીસે રૂા.૪.૫૨ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કારમાં દારૂનો મોટો જથ્થો આડોડિયાવાસ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીે રૂવાપરી રોડ ટેકરી ચોક નજીક વોચમાં હતી. દરમિયાનમાં મોડી રાત્રે પસાર થઈ રહેલી સફેદ આટગા કારનં. જીજે.૦૪.ડીજે.૫૪૦૫ પર શંકા જતાં તેને અટકાવી હતી, કારની તપાસ કરતા કારમાંથી…
New Delhi,તા.૨૧ દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના તમામ ગામડાઓમાં એલપીજી સિલિન્ડરની જોગવાઈની માંગ કરતી પીઆઇએલને ફગાવી દીધી છે. બુધવારે મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચે આ મામલાની સુનાવણી કરી. આ દરમિયાન અરજદારે કહ્યું કે સરકારે સંસદમાં કહ્યું હતું કે તેમને એલપીજી કનેક્શન આપવાનો અધિકાર છે. આના પર ચીફ જસ્ટિસે કહ્યું, ’તમે આવો અધિકાર કેવી રીતે માંગી શકો છો?’ આ સત્તા ક્યાંથી આવે છે? કઈ જોગવાઈ?, સંસદમાં કરવામાં આવેલ દરેક નિવેદન કાયદો બને છે? મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ કોર્ટ એ પણ ઈચ્છશે કે દરેકને ફક્ત એલપીજી જ નહીં પરંતુ દરેક પ્રકારની સુવિધા મળે. સમાજમાં ઘણા બધા રોગો…
New Delhi,તા.૨૧ છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં માઓવાદી મહાસચિવ નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજ સહિત ૨૭ નક્સલીઓ માર્યા ગયા. આ એન્કાઉન્ટર ઓપરેશન બ્લેક ફોરેસ્ટનો એક ભાગ હતો અને સુરક્ષા દળોને તેમાં મોટી સફળતા મળી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને નક્સલવાદ સામે ઐતિહાસિક જીત ગણાવી અને ૨૦૨૬ સુધીમાં નક્સલવાદનો નાશ કરવાનો દાવો કર્યો. છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના મહાસચિવ નંબલા કેશવ રાવ ઉર્ફે બસવરાજ સહિત ૨૭ નક્સલવાદીઓ માર્યા ગયા. બસવરાજ પર ૧ કરોડ રૂપિયાનું ઇનામ હતું અને તે નક્સલ ચળવળનો ટોચનો નેતા હતો.…
Ahmedabad,તા.૨૧ શહેરમાંથી તાંત્રિક વિધિના નામે ઠગાઈ થઈ હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોલામાં વિસ્તારમાં લાંબા સમયથી કમરના દુઃખાવાથી પીડાઈ રહેલી મહિલાને દુઃખ મટાડવાની લાલચ આપી એક તાંત્રિક ભુવો ૧૫ લાખના સોના-ચાંદીના દાગીના પડાવીને ફરાર થઈ ગયો હતો. આટલું જ નહીં, તેણે એક સગીરા સાથે છેડતીનો પણ પ્રયાસ કર્યો હતો. જેથી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપી ભુવો હાલ પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછ હાથ ધરાઈ છે. ઘટનાની મળતી માહિતી મુજબ સોલા વિસ્તારમાં રહેતા એક મહિલા લાંબા સમયથી કમર દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. તેઓએ અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી પણ તેમને કોઈ રાહત ન મળતા અંતે મહિલાનો પતિ ચંદ્રકાંત નામના…
Islamabadતા.૨૧ ફરી એકવાર પાકિસ્તાનમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. દેશમાં પાણીને લઈને હોબાળો મચી રહ્યો છે. સિંધ અને પંજાબ વચ્ચે પાણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો એટલો વધી ગયો કે, લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. સિંધ પ્રાંતના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરના ઘર પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો છે. આ દરમિયાન, વિરોધીઓએ ઘરને પણ આગ ચાંપી દીધી હતી. પંજાબ અને સિંધ વચ્ચે પાણી વિતરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દા પર હિંસા ફાટી નીકળી હતી. બેકાબૂ ભીડે ગૃહમંત્રીના ઘરને નિશાન બનાવ્યું હતું. ગૃહમંત્રીના ઘર પર હુમલો કરનારા વિરોધીઓ બંદૂકો લઈને આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં…
Dahod,તા.૨૧ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની લાશ મળી હતી. આ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને તેની હત્યા શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દાહોદમાં ૬ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે ઘટનાના માત્ર ૧૨ દિવસમાં ગંભીરતા પૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં ૧૫૦ સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ૩૧ સાક્ષી સરકાર…
Gandhinagar,તા.૨૧ ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ૨૬ અને ૨૭મેએ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન કરશે. ઉલ્લેખનીય છે કે, દાહોદ ખાતે ૨૦ હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, જેમાં બનેલા ૯૦૦૦ એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં ૧૦ વર્ષમાં ૧૨૦૦ એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ…
New Delhi,તા.૨૧ કેન્દ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વકફ એક ઇસ્લામિક ખ્યાલ છે પરંતુ તે ઇસ્લામનો આવશ્યક ભાગ નથી. તેથી, તેને બંધારણ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે દાવો કરી શકાતો નથી. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે જ્યાં સુધી વકફને ઇસ્લામના આવશ્યક ભાગ તરીકે માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી બાકીના બધા નિષ્ફળ જાય છે. મહેતાએ કહ્યું, વકફ એક ઇસ્લામિક ખ્યાલ છે જેને નકારી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી તેને ઇસ્લામના આવશ્યક ભાગ તરીકે સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી અન્ય દલીલોનો કોઈ અર્થ નથી. વકફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ ને પડકારતી અરજીઓ પર…
Tokyo,તા.૨૧ જાપાનના કૃષિ મંત્રી તાકુ ઇટોને ચોખા અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. ઇટોએ તાજેતરમાં કહ્યું હતું કે તેમને ક્યારેય ચોખા ખરીદવાની જરૂર નથી કારણ કે તેમના સમર્થકો તેમને ચોખા ભેટમાં આપતા રહે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જાપાનમાં ચોખાની અછત અને આસમાને પહોંચેલા ભાવોએ સામાન્ય લોકોને પરેશાન કર્યા છે. ઈટોના નિવેદન અંગે લોકોમાં ભારે ગુસ્સો હતો, ત્યારબાદ તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધ્યું. એટોએ વડા પ્રધાન શિગેરુ ઇશિબાને પોતાનું રાજીનામું સુપરત કર્યું, જે સ્વીકારવામાં આવ્યું. “જ્યારે ગ્રાહકો ચોખાના વધતા ભાવોથી સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે મેં ખૂબ જ અયોગ્ય ટિપ્પણી કરી,”…
Islamabadતા.૨૧ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ હવે પાકિસ્તાની પત્રકાર અને સોશિયલ મીડિયા પ્રભાવક હીરા બતૂલ તેમના સમર્થનમાં સામે આવી છે. હીરાએ જ્યોતિની ધરપકડનો વિરોધ કર્યો છે, જોકે તેણે યુટ્યુબરનું નામ લીધું નથી. જ્યોતિનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, ’ભારતે હવે પોતાના જ લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારતે આ બિનજરૂરી કાર્યવાહી બંધ કરવી જોઈએ. જ્યોતિ મલ્હોત્રા, જે તેની યુટ્યુબ ચેનલ ’ટ્રાવેલ વિથ ઝો’ માટે જાણીતી છે, ૨૦૨૩ માં પાકિસ્તાનની મુલાકાત દરમિયાન હીરા બતૂલને મળી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને ’બહેનો’ કહેતી પોસ્ટ શેર કરી હતી.…
