Author: Vikram Raval

Mumbai, તા. 15 મુંબઈમાં હાલમાં વરસી રહેલાં ભારે વરસાદની વચ્ચે હોસ્પિટલો અને ક્લિનિક્સમાં તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની ભીડ સતત વધી રહી છે. આરોગ્ય નિષ્ણાતો અને સ્થાનિક ડોક્ટરોના જણાવ્યાં અનુસાર, શહેરમાં ઇન્ફલ્યુએન્ઝા-એ અને શ્વાસ સંબંધિત રોગોનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ડોક્ટરો ચેતવણી આપી રહ્યાં છે કે ચોમાસામાં આવતાં દરેક તાવને માત્ર સામાન્ય વાયરલ ચેપ ન ગણવો જોઈએ. વરસાદનાં ભરાયેલાં પાણીમાં ચાલવાથી ફેલાતી ‘લેપ્ટોસ્પાયરોસિસ’ નામની બીમારી આ દિવસોમાં મુંબઈકર્સ માટે એક મોટો ખતરો બનીને ઉભરી રહી છે. લેપ્ટોસ્પાયરોસિસ એ વાસ્તવમાં બેક્ટેરિયાથી થતો ચેપ છે, જે મુખ્યત્વે ઉંદર, કૂતરાં અને અન્ય પશુઓનાં પેશાબથી દૂષિત થયેલાં પાણી કે કાદવ દ્વારા…

Read More

Porbandar,તા.15 જો તમો પોરબંદરના કુછડીને અહીના પૌરાણીક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા ભગવાન ખીમેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખતા હો કે પછી જેઓ પક્ષીપ્રેમી છે તે અહી આવતા વિદેશી પક્ષી યાયાવર નિહાળવા પહોંચતા હોય તો ભવિષ્યમાં આ નાનુ કૃષી આધારિત ગામ ટુંક સમયમાં જ ભારતના જહાજી ઉદ્યોગના નકશા પર સ્થાન મેળવી જશે. ગુજરાત સરકાર રાજયના સર્વાંગી વિકાસ અને તેમાં આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે રાજયને દેશનું સેમીકન્ડકટર ચીપ નિર્માણ માટે હબ બનાવવા જઈ રહી છે તો વિશાળ સમુદ્રી કિનારાનો પણ લાભ લઈને અહી વ્યાપાર-ઉદ્યોગ સ્થપાય તે જોવા જઈ રહી છે. તેમાં એક મહત્વાકાંક્ષી નિર્ણયમાં પોરબંદરના કુછડીને શીપ બિલ્ડીંગમાં એક મહત્વના મથક તરીકે વિકસાવશે. શીપ…

Read More

Washington,તા.15 પશ્ચિમ એશિયામાં વધી રહેલાં ભારે સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે. અમેરિકી સેનાના જણાવ્યાં અનુસાર, છેલ્લાં સાત દિવસમાં ઈરાને જાણીજોઈને સાત કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં છે. પાડોશી દેશો તરફ ડઝનબંધ મિસાઈલો તથા ડ્રોન પણ છોડ્યાં છે. આ હુમલાઓમાં લગભગ એક ડઝન જેટલાં ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને ખોરવવાની ઈરાનની આ આક્રમક પ્રવૃત્તિઓ સામે જવાબી કાર્યવાહી કરતાં અમેરિકાએ 20થી વધુ યુદ્ધ જહાજો અને સેંકડો લશ્કરી વિમાનો સાથે ઈરાનના બંદરો પર ફરીથી દરિયાઈ નાકાબંધી શરૂ કરી દીધી છે. બીજી તરફ, હોર્મુઝ જલડમમધ્યમાં સંયુક્ત આરબ અમીરાતના બે ઓઈલ…

Read More

New Delhi, તા.15 સુપ્રીમ કોર્ટે દહેજ હત્યાનાં એક મામલામાં મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે, માત્ર સગા-સંબંધી હોવાનાં કારણે સાસરિયા પક્ષનાં 17 સભ્યોને આરોપી બનાવી દેવા એ કાયદો અને ન્યાયની સ્પષ્ટ મજાક છે. કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ પુરાવા જોતાં એવું લાગે છે કે મહિલાનું મોત રસોડામાં અચાનક લાગેલી આગમાં દાઝી જવાથી થયું હતું, નહીં કે દહેજના ત્રાસના કારણે. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2000 ના આ જૂના કેસમાં પતિને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે. જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે સ્પષ્ટ કર્યું કે માત્ર લગ્ન સંબંધના કારણે જ આખા પરિવારને ગુનેગારની જેમ કોર્ટમાં ઊભો કરી દેવો વ્યાજબી નથી.…

Read More

Ayodhya,તા.15 શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થયાના માત્ર 24 કલાકમાં, 1,000 થી વધુ અરજીઓ મળી છે. આમાં ભૂતપૂર્વ IPS અધિકારી અમિતાભ ઠાકુરનું નામ પણ સામેલ છે. સામાજિક કાર્યકર્તા તરીકે સમાચારમાં રહેલા ઠાકુરના કારણે રાજકીય અને વહીવટી ઉથલપાથલ મચી જવાની શક્યતા છે. રામ લલ્લાના પ્રસાદ ચોરી વિવાદ બાદ, ટ્રસ્ટ તેની વહીવટી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. આ સંદર્ભમાં, ટ્રસ્ટે તેની વેબસાઇટ પર CEO પદ માટે અરજીઓ મંગાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરજીઓમાં વહીવટી અધિકારીઓ, વિવિધ રાજકીય પૃષ્ઠભૂમિના લોકો, સામાજિક સંગઠનોના અનુભવી કાર્યકરો અને RSS અને વિશ્વ હિન્દુ પરિષદ…

Read More

New Delhi, તા.15 ગુજરાત સહિત દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાએ બ્રેક લીધો છે અને ચિંતા વધવા લાગી છે. જ્યારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર ઉદ્ભવતા ચોમાસુ ફરી સક્રિય થવાની આશા સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા બુલેટીન મુજબ ઉતરીય બંગાળની ખાડી તથા સંલગ્ન દક્ષિણ બાંગ્લાદેશના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કાંઠા પર ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં આજે સવારે લો-પ્રેશર બન્યું છે. તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન 7.6 કીમીની ઉંચાઇએ દક્ષિણ-પશ્ચિમી ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ સમગ્ર ઉતરીય ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં આવતા બે દિવસમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિવાય ઉત્તર ગુજરાત તથા…

Read More

New Delhi, તા.15 ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક અને વ્યાપાર સમજુતી લાગુ થવાની સાથે બન્ને દેશોના વ્યાપારિક સંબંધોમાં નવો તબકકો શરૂ થયો છે. આ વ્યવસ્થા અંતર્ગત મોટા ભાગની ભારતીય નિકાસને બ્રિટીશ બજારમાં ચાર્જ-મુક્ત પહોંચ મળશે. જ્યારે બ્રિટનથી આવતા અનેક ઉત્પાદનો પર આયાત ચાર્જ તબકકાવાર રીતે ઘટશે. આથી ઉદ્યોગ, કૃષિ, સેવાક્ષેત્ર, એમએસએમઇ અને વ્યાવસાયિકોને નવી તક મળવાની આશા છે. ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક આર્થિક તેમજ વ્યાપાર સમજુતી (સીઇટીએ) આજથી લાગુ થઇ ગઇ છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના સૌથી મોટા મુક્ત વ્યાપાર સમજુતીમાંનો એક માનવામાં આવે છે. સરકારનો દાવો છે કે, આથી ખેડૂતો, શ્રમિકો, એમએસએમઇ, નિકાસકારો અને સેવા ક્ષેત્રને…

Read More

Washington,તા.15 યુક્રેન-રશિયા વચ્ચેના સાડા ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હજું કોઈ નિર્ણાયક સ્થિતિ બની નથી પણ રશિયા પાસેથી ક્રુડતેલ-તેલ ખરીદનાર દેશો યુદ્ધમાં ટકી રહેવા માટે રશિયાને કમાણી કરાવી રહ્યા છે તેવા કારણે ભારત-ચીન સહિતના દેશો પર 500% ટેરિફ લગાવવામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીમાં હવે રાહતના સમાચાર છે. પ્રમુખ ટ્રમ્પે હવે અમેરિકી સંસદ સમક્ષ રજુ કરેલા ખરડામાં જે 500% ટેરિફનો પ્રસ્તાવ હતો તે હવે 100% કર્યો છે અને તેમાં પણ રાહત મળે તેવા સંકેત છે. ભારત-ચીન જેવા દેશો રશિયન ક્રુડતેલના મોટા આયાતકાર દેશ છે અને અમેરિકી સંસદમાં રજુ કરવા માટેના પ્રતિબંધાત્મક ખરડામાં 500% ટેરિફની જોગવાઈ હતી. હાલમાં જ દિવંગત…

Read More

Ravi Bhatt મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી, ઊંચા સ્તરે થયેલી વ્યાપક નફાવસૂલી, ક્રૂડ ઓઇલના મજબૂત ભાવ અને પ્રથમ ત્રિમાસિકના પરિણામો પહેલાં રોકાણકારોની સાવચેતીના કારણે બજારમાં વ્યાપક ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં લગભગ ૬૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાતા મોટા ભાગના ક્ષેત્રોમાં વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે નીચલા સ્તરે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા પસંદગીયુક્ત ખરીદી થતાં બજારમાં મર્યાદિત આધાર જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં બજારની દિશા મુખ્યત્વે કોર્પોરેટ પરિણામો, વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ ઉપર નિર્ભર રહેશે. સેન્સેક્સ શરૂઆતથી જ ભારે દબાણ…

Read More

Ranchi,તા.૧૪ છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે રામ મંદિરમાં પ્રસાદ સંબંધિત કથિત ગેરરીતિઓના મુદ્દા પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી. કોંગ્રેસે આ બાબતે ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ વિધાનસભા અધ્યક્ષ ડૉ. રમણ સિંહે તેને ફગાવી દીધો, તેને રાજ્ય સરકારના અધિકારક્ષેત્રની બહારનો મામલો ગણાવ્યો. વિપક્ષના નેતા ચરણદાસ મહંતે ગૃહમાં જણાવ્યું હતું કે દેશભરના લાખો ભક્તોની શ્રદ્ધા રામ મંદિર સાથે જોડાયેલી છે, અને જો દાનમાં અનિયમિતતાના આરોપો લગાવવામાં આવે છે, તો તેની ચર્ચા કરવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે છત્તીસગઢના લોકોએ પણ મંદિરના નિર્માણ અને દાનમાં યોગદાન આપ્યું છે, તેથી તેમની ભાવનાઓ સાથે સંકળાયેલા…

Read More