- Amreli: ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ: Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh: ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshanનું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
રણવીરનાં અગાઉનાં માફીનામાંમાં જરા પણ ગંભીરતા નહિ હોવાનું ખુદ કોર્ટે નોંધ્યું Mumbai, તા.૧૧ રણવીર સિંહે ‘કાંતારા ચેપ્ટર વન’માં ઋષભ શેટ્ટીની એક્ટિંગની પ્રશંસા કરવાના પ્રયાસમાં દેવીની મિમિક્રી કરી હોવાના વિવાદમાં ફરી નવેસરથી માફીનામું લખી પવાની બાંહેધરી કર્ણાટક હાઈકોર્ટને આપી છે. રણવીરે અગાઉ પણ હાઈકોર્ટમાં માફીનામું આપ્યું હતું. પરંતુ, ખુદ કોર્ટે નોંધ્યું હતું કે તેમાં કોઈ પ્રકારની ગંભીરતા હોય તેવું જણાતું ન હતું. રણવીરે તેમાં જણાવ્યું હતું કે પોતે સિંધી માહોલમાં ઉછર્યો હોવાથી આ દેવી બાબતે ધાર્મિક લાગણીઓનો તેને ખ્યાલ ન હતો. હવે રણવીરે હાઈકોર્ટને કહ્યું છે કે તે તા. ૨૩મી એપ્રિલે નવું માફીનામું રજૂ કરશે. જેમાં અદાલત તથા અરજદારને સંતોષ થાય…
કલ્યાણી પ્રિયદર્શન આ ફિલ્મમાં ‘ચંદ્રા’નું મુખ્ય પાત્ર ભજવે છે, જેને ‘કલિયાંકટ્ટુ નીલી’ તરીકે ઓળખવામાં આવે છે Mumbai, તા.૧૧ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, મમ્મુટ્ટીએ ‘લોકાહ ચેપ્ટર ૧’માં પોતાના કેમિયો વિશે ખુલાસો કર્યો અને ફિલ્મના સીક્વલ વિશે પણ વાત કરી હતી. જ્યારે ડોમિનિક અરુણની સુપરહિરો ફિલ્મ ‘લોકાહ ચેપ્ટર ૧ઃ ચંદ્રા’ ગયા વર્ષે થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે કલ્યાણી પ્રિયદર્શન, નસ્લેન અને સેન્ડી સ્ટારર આ ફિલ્મે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યાં હતાં. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું અને દુલકર સલમાન, જેણે ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, તેણે પોતાના પિતા મમ્મુટ્ટીના અવાજનો ઉપયોગ ‘મૂથોન’ના પાત્ર માટે કર્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મામ્મુટ્ટીએ મમ્મુટ્ટીને ‘લોકાહ’માં સુપરહિરો…
જો શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં જોડાશે, તો તે મેડડોક ફિલ્મ્સ સાથેનો તેનો વધુ એક મોટી ફિલ્મ માટે કામ કરશે Mumbai, તા.૧૧ વિકી કૌશલે ‘છાવા’માં પોતાની પરફોર્મન્સથી દર્શકોને પ્રભાવિત કર્યા તેને એક વર્ષ થઈ ગયું છે. ફિલ્મના મજબૂત બોક્સ ઓફિસ રન પછી ફેન્સ હવે તેની આગામી ફિલ્મ વિશે ઉત્સુક છે. તેની આવનારી ફિલ્મોમાંથી એક ‘મહાવતાર’ છે, જે મેડોક ફિલ્મ્સ સાથે તેની ત્રીજી ફિલ્મ છે. જોકે, નિર્માતાઓ હજુ સુધી તેની સામે લીડ એક્ટ્રેસ માટે શોધમાં છે.હવે તાજી ચર્ચા મુજબ શ્રદ્ધા કપૂરને આ ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ અંગેના અહેવાલો મુજબ, શ્રધ્ધાને આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મુખ્ય અભિનેત્રી તરીકે લેવાની વિચારણા…
ફિલ્મ ‘ધુરંધર ૨’એ ક્રિસ હેમ્સવર્થની ‘ક્રાઇમ ૧૦૧’ અને ઝેન્ડાયા ની ‘ધ ડ્રામા’ને પણ પાછળ છોડી Mumbai, તા.૧૧ ભારતમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાની સાથે આદિત્ય ધરની સ્પાય ડ્રામા ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ વૈશ્વિક સ્તરે પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ભારત અને નોર્થ અમેરિકા ખાતે મળેલી અદ્ભુત સફળતાએ ફિલ્મને આ વર્ષે વિશ્વની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં સ્થાન અપાવ્યું છે.થિયેટરમાં ત્રીજું અઠવાડિયું પૂરું થવાનું છે, ત્યારે ‘ધુરંધર ૨’એ ભારતમાં ૧૦૦૦ કરોડથી વધુ નેટ અને ૧૨૪૬ કરોડ ગ્રોસ કમાણી કરી છે, જે હિન્દી ફિલ્મ માટે એક મોટો રેકોર્ડ છે. વિદેશમાં પણ ફિલ્મને સફળતા મળી છે, ભલે તે ગલ્ફ દેશોમાં રિલીઝ…
Rajkot,તા.૧૧ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. ૭૨ બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા અને ભડકો થયો હતો. ૨૦૧૪માં ભાજપ કાર્યાલયને તાળાબંધી થયા બાદ પ્રથમ વખત ૧૨ વર્ષે કાર્યકરોમાં ભાજપ વિરુદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળો છે. શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતી ભાજપમાં કોંગ્રેસ પાર્ટીમાં જે વિરોધ થતો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નં ૧૩, ૩ અને ૧૮માં કાર્યકરો નેતાના સમર્થનમાં આવ્યા અને ટીકીટ નહિ તો વોર્ડ હારશે તેવા સૂત્રોચ્ચાર થયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડ માટે ૭૨ ઉમેદવારોની ભાજપે મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. યાદી જાહેર કરતા જ કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. કાર્યકરોની નારાજગી વચ્ચે આજે…
Amreli,તા.૧૧ અમરેલી જિલ્લા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર થતા રાજકીય સમીકરણોમાં ચહલપહલ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકોમાંથી અત્યાર સુધીમાં ૨૮ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ૬ બેઠકો માટે ઉમેદવારોના નામ હજુ વિચારણાધીન રાખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માટે ટિકિટ વિતરણમાં અનેક જગ્યાએ આંતરિક ચર્ચા અને ગોઠવણો ચાલી રહી હોવાનું જાણવા મળે છે. તાલુકા પંચાયત સ્તરે પણ ઉમેદવારોની જાહેરાત સાથે રાજકીય ચકચાર મચી છે. અમરેલી તાલુકા…
Gir Somnath,તા.૧૧ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે જાણીતી ગાયિકા રાજલ બાંભણીયા હવે રાજકારણના મેદાનમાં ઉતરતા ચર્ચાનો વિષય બની છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજલ બાંભણીયા ઉના નગરપાલિકાના વોર્ડ નંબર ૭માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ આજે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવશે. તેમની એન્ટ્રીથી રાજકીય વાતાવરણ સાથે સાથે ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજલ બાંભણીયા સોશિયલ મીડિયા અને સ્ટેજ પ્રોગ્રામ્સ દ્વારા ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. ભાજપે તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આને ભાજપની ‘ગ્લેમર સ્ટ્રેટેજી’ તરીકે…
Jamnagar તા.૧૧ જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના આ નિર્ણય બાદ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, અને વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓએ ’કેસરિયો’ ત્યાગીને ’હાથી’ની સવારી કરી છે. જામનગર મનપાના વોર્ડ નંબર ૪ ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જડીબેન સરવૈયાને આ વખતે ભાજપે ટિકિટ ન આપતા પક્ષમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી પક્ષની સેવા કરતા આ નેતાઓની અવગણના થતા તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. માત્ર નારાજગી જ નહીં, પરંતુ કેશુભાઈ માડમે પોતાના ૧૦૦ જેટલા સક્રિય સમર્થકો સાથે ભાજપનો…
New Delhi,તા.૧૧ જો તમે દિલ્હીમાં રહો છો અને નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા ચહેરા પર સ્મિત લાવશે. પ્રદૂષણ સામેની લડાઈને વધુ તીવ્ર બનાવતા, દિલ્હી સરકારે જાહેર ક્ષેત્રમાં નવી ઈવી નીતિનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ નવી નીતિનું સૌથી મોટું આકર્ષણ વિશાળ સબસિડી અને સંપૂર્ણ કર મુક્તિ છે. સરકારે સબસિડીની ગણતરી એવી રીતે કરી છે કે જૂની કારને સ્ક્રેપ કરીને નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાથી તમને ૧.૫ લાખ (સબસિડી + કર બચત) સુધીનો સીધો ફાયદો થઈ શકે છે. દિલ્હી સરકારે આ નીતિનો ડ્રાફ્ટ જાહેર જનતા અને નિષ્ણાતોના અભિપ્રાય માટે જાહેર કર્યો છે. સરકારનો સ્પષ્ટ ધ્યેય દિલ્હીને વાહનોના…
Bhuj,તા.૧૧ પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર અંકુશ લાવવા પોલીસે લાલ આંખ કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) ભુજ દ્વારા ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનીજના ખોદકામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વાંઢ ગામની સીમમાં દરોડો પાડીને ખનીજ ચોરીમાં વપરાતું ૫૦ લાખ રૂપિયાની કિંમતનું એસ્કેવેટર (હિટાચી) મશીન સીઝ કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના એસપી વિકાસ સુંડાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, એલસીબીના પી.એસ.આઈ. એમ.એચ. શીણોલની ટીમને…
