Author: Shri Nutan Saurashtra

New Delhi તા.1 મધ્યપુર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ભારતમાં અમુક અંશે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે સરકારે તગડો ઝટકો આપ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કોમર્શિયલ રાંધણગેસ સીલીન્ડરના ભાવમાં 195.50 રૂપિયાનો ધરખમ ભાવવધારો ધરવામાં આવ્યો છે. આ સાથે કોમર્શિયલ એલપીજી સીલીન્ડરની કિંમત 2000 રૂપિયાને પાર થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે સબસીડીયુક્ત ઘરેલુ ગેસની કિંમતમાં કોઈ ભાવવધારો કરાયો નથી તેમાં છેલ્લે ગત 7 માર્ચે 60 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. કોમર્શિયલ રાંધણગેસ સિલિન્ડરમાં તોતીંગ ભાવવધારાને પગલે મોંઘવારી ભડકે બળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય વર્ગ પર બોજ વધશે. હોટલ-રેસ્ટોરાં ઉપરાંત કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા ઔદ્યોગીક એકમો પર મોટો…

Read More

Washington,તા.01 ઈરાન સામેના યુદ્ધમાં સતત નવા નવા વિધાનો- આક્રમણ વલણથી સમાધાનની જાહેરાત કરનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન પરના મીલીટ્રી ઓપરેશન અંગે વધુ એક મોટુ વિધાન કરતા જણાવ્યું હતું કે અમેરિકા આગામી બે ત્રણ સપ્તાહમાં ઈરાન છોડી દેશે. ટ્રમ્પે જાહેર કર્યુ કે, આ દરમ્યાન ઈરાની અધિકારીઓ સાથે વાતચીત ચાલુ રહેશે અને હુમલામાં પણ ચાલુ જ રહેશે. હોર્મુઝ જળમાર્ગથી ઈરાનના ઓઈલ મથક જેવા ખર્ગના ટાપુઓ પર કબ્જો કરવા અગાઉ એલાન કરી ચુકેલા ટ્રમ્પે હવે તેના પર મૌન સેવી લીધુ છે. વ્હાઈટ હાઉસમાં પત્રકારોએ ટ્રમ્પના પગલે ક્રુડતેલની સતત વધતી જતી કિંમત અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે મારે બસ ઈરાનથી નિકળવું…

Read More

Tehran તા.1 મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ‘જરૂરી ઈચ્છાશક્તિ’ ધરાવે છે. જોકે, આ શાંતિ પ્રસ્તાવ સાથે ઈરાને શરત મૂકી છે કે તેમને ભવિષ્યમાં થનારા કોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત ‘સુરક્ષા ગેરંટી’ આપવામાં આવે. આ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વની કડી એ છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, તેમને અમેરિકન વાર્તાકાર સ્ટીવ વિટકોફ તરફથી સીધો સંદેશ મળ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે આ જંગ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે…

Read More

Mumbai,તા.01 આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ (PCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ગુજરાત ટાઈટન્સ(GT)એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટને સર કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી છે. કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કરતા 44 બોલમાં 72 રન તો પ્રભસિમરન સિંહે 24 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન, રબાડાએ એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન શુભમન ગિલે 39 અને…

Read More

Mumbai,તા.01 રવીન્દ્ર જાડેજા માટે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો મુકાબલો ખૂબ જ ભાવુક રહ્યો હતો. રાજસ્થાનની ગુલાબી જર્સીમાં મેદાન પર ઉતરેલા જાડેજાએ સ્વીકાર્યું કે ચેન્નાઈના ખેલાડીઓને ફરીથી મળવું તેમના માટે ખૂબ જ ભાવુક ક્ષણ હતી. પરંતુ ગુવાહાટીમાં ચાહકોને MS ધોની અને જાડેજાનું જોરદાર બોન્ડિંગ જોવા મળ્યું ન હતું. જ્યારે જાડેજાને પૂછવામાં આવ્યું કે શું તેમણે ધોની સાથે વાત કરી હતી, તો તેમણે હસતા હસતા કહ્યું કે એવું શક્ય ન બન્યું કારણ કે માહી પોતાનો ફોન બંધ રાખે છે. તેને કહ્યું કે,-‘વાત નથી થઈ, કારણ કે માહી ભાઈ ફોન બંધ જ રાખે છે. પણ જ્યારે પણ હું…

Read More

Mumbai,તા.01 IPL 2026માં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. બધાની નજર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પર તો હતી જ, પરંતુ તેની સાથે-સાથે સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા કેવું પ્રદર્શન કરશે તે અંગે પણ વધુ રુચિ હતી. રાજસ્થાન રોયલ્સે CSK ને એકતરફી અંદાજમાં હરાવી દીધું હતું. પહેલી વાર પીળી જર્સીમાં રમી રહેલ સંજુ ફ્લોપ રહ્યો, પરંતુ જાડેજા ગુલાબી જર્સીમાં પણ હિટ રહ્યો. હવે એક અખબારે પોતાને રિપોર્ટમાં પોતાના ઈમ્પેક્ટ લેજર મોડેલ દ્વારા સમજાવ્યું કે, સંજુના ફ્લોપ થવાથી આ મેચમાં CSKને 1.81 કરોડનું ‘કાલ્પનિક નુકસાન’ થયું છે, જ્યારે જાડેજાની ઈમ્પેક્ટના કારણે રાજસ્થાન રોયલ્સને 77 લાખ રૂપિયાનો ફાયદો…

Read More

Mumbai,તા.01 મિલાપ ઝવેરી અને હર્ષવર્ધન રાણે ‘એક દીવાને કી દીવાનિયત’ પછી  બીજી વખત  ફિલ્મ ‘યુનિફોમ’ર્માં સાથે કામ કરશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,આ ફિલ્મમાં અનિલ કપૂરની એન્ટ્રી પણ થવાની શક્યતા  છે. અનિલકપૂરનો આ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અનેઆકાંક્ષા શર્મા મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મનું શૂટિંગ મે ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. જોકે અનિલ કપૂરની આ ફિલ્મની એન્ટ્રી વિશે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.   ઉલ્લખનીય છે કે, અનિલ કપૂરે પોતાની પાંચ દાયકાની  લાંબી કારકિર્દીમાં સાત વખત પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે.

Read More

Mumbai, ‘ધુરંધર ટુ’માં ભારતના જાસૂસો પાકિસ્તાનમાં કેવી રીતે કામ કરે છે તેનો વધુ યથાર્થવાદી ચિતાર હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ‘ધુરંધર’ના સર્જક આદિત્ય ધરની પત્ની તથા એકટ્રેસ યામી ગૌતમને મુખ્ય ભૂમિકામાં લઈ ‘રાઝી ટુ’ બનાવવાની દરખાસ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે યામી ‘ધુરંધર ટુ’માં કેમિયો કરી ચૂકી છે. એક નેટ  યૂઝરે મૂૂળ લેખિકા હરિન્દર સિક્કાને  મેન્શન કરીને કહ્યું હતું કે  હવે ‘રાઝી ટુ’ની તૈયારી કરવી જોઇએ. આ ફિલ્મમાં મુખ્ય રોલ માટે યામી ગૌતમ પરફેક્ટ અભિનેત્રી સાબિત થશે. જેનો જવાબમાં સિક્કાએ સ્વીકાર્યું હતું કે યામી એક ઉત્તમ  અભિનેત્રી છે. દરમિયાન હરિન્દરે અન્ય એક  સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાના મૂળ પુસ્તક ‘કોલિંગ સહમત’ નો…

Read More

Mumbai,તા.01 હાલ ઇરાન-ઇઝરાયલ યુદ્ધને લીધે દુબઇની પરિસ્થિતિ વણસી ગઇ હોવાથી હવે ત્યાં શૂટિંગ થઇ શકે એમ ન હોવાથી બોલિવુડની અનેક ફિલ્મોનાં શૂટિંગ કેન્સલ થઇ રહ્યા છે. હાલમાં જ શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કેન્સલ કરીને પાર્લાના એક સ્ટુડિયોમાં કરવાનો નિર્ણય લીધો હતો. હવે અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું દુબઇનું શૂટિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુબઇમાં આ ફિલ્મના એક ગીતના દ્રશ્યનું શૂટિંગ કરવાનું હતું જે હવે મલાડના મઢ આઇલેન્ડમાં કરવામાં આવશે. ફિલ્મ દિગ્દર્શક અહમદ ખાને પોતાની આ કોમેડી ફિલ્મના ગીતનું શૂટિંગ  માટે  મઢ આઈલેન્ડ તથા ગોરેગામના સ્ટુડિયોમાં તૈયારી આદરી છે. સ્ટુડિયોમાં  નાઇટ ક્લબ, કસીનો અને પ્રાઇવેટ…

Read More

Mumbai,તા.01 સિંગર અલકા યાજ્ઞિાકે જણાવ્યું છે કે તેની કાનની બીમારી હજુ યથાવત હોવાથી હજુ પણ કેટલાક સમય માટે પોતે કોઈ ગીત ગાઈ શકે તેમ નથી. તેણે કહ્યું હતું કે સંગીતકારો ગીત ગાવા માટે મારો સંપર્ક કરે છે, પરંતુ હું તેમની સાથે કામ કરવા સક્ષમ નથી.અલકા યાજ્ઞિાકે ઇમ્તિઆઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલામાં ગાયું  હતું. જે ૨૦૨૪માં ંરિલીઝ થઇ હતી.  બે વર્ષ પહેલાં તેને સેન્સોરિયલ નર્વ હિયરિંગ લોસનું નિદાન થયું હતું. કોઈ વાયરલ એટેકના કારણે તેને આ બીમારી થઈ છે. અલકાએ અગાઉ ૨૦૨૪માં જણાવ્યું હતું કે એક ફલાઈટમાંથી ઉતરતી વખતે પોતાને સહસા ખ્યાલ આવ્યો હતો કે પોતે કશું સાંભળી શકતી નથી.…

Read More