- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
Bhavnagar, ભુંભલી ગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.જ્યારે રિક્ષાના બેઠેલા ૧૦ જેટલા લોકોને ઇજા થયા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના રાણિકા,જુના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ઇન્કમટેક્સ વિભાગમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હરેશભાઈ પરસોતમભાઈ મેર ,તેમના પત્ની આરતીબેન ,દિકરી મનાલી ,દિકરો રૂષિન માતા સવિતાબેન ,મોટા બેન દેવુબેન નટુભાઈ ગોહેલ, રેખાબેન અરવિંદભાઈ ચુડાસમા, બેન ગીતાબેન જેન્તીભાઈ ડાભી, રેખાબેનના દીકરા મિતુલની દીકરી વિંજલબેન તેમના વિસ્તારમાં રહેતા ધનેશભાઈ રણછોડભાઈ ચુડાસમાની રીક્ષા નંબર જી.જે.૦૪ – ડબલ્યુ ૧૨૧૭ માં ચૈત્ર માસની અમાસ હોવાથી કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શને ગયા હતા. અને સાંજના સમયે…
Bhavnagar,તા.29 જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ગેરકાયદેસર રીતે વસતા ઘુસણખોરો સામે પોલીસની સ્ટ્રાઈક આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી. જેમાં ભાવનગર એસઓજી દ્વારા વાળુકડની મસ્જીદ અને ઉમરાળાના અમુક વિસ્તારોમાં પોલીસે શંકાસ્પદ પરપ્રાંતિય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે આ તપાસમાં પોલીસને કોઈ શંકાસ્પદ મળ્યું નથી. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ગેરકાયદેસર રીતે વસતા ઘુસણખોરો સામે પોલીસની સ્ટ્રાઈક ભાવનગરમાં આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત્ રહી હતી. જેમાં વાળુકડની મદીના મસ્જીદમાં હિંદી ભાષી લોકોની ચહલ-પહલ વધી હોવાની અફવાના પગલે ભાવનગર એસઓજીની ટીમ દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મસ્જીદમાં ૧૫ જેટલા લોકોની ઝીણવટ ભરી પુછપરછ…
Bhavnagar,તા.29 પાલિતાણામાં અખાત્રીજના જૈન મેળામાં તમાકુ, પ્લાસ્ટકિની ચીજવસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળાના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક માર્ગીય રસ્તા અને નો પાર્કિંગ ઝોનનું પણ જાહેરનામું જારી કર્યું છે. પાલિતાણા તળેટી, ગીરીરાજ ડુંગર સહિતના વિસ્તારમાં આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તા.૨૯-૪ અને તા.૩૦-૪ના રોજ અખાત્રીજના જૈન મેળાનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ દર્શનાર્થે આવવાના હોય, આ વિસ્તારોમાં ગેરકાયદે રીતે પાન-મસાલા, ગુટકા, તમાકુ, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટિકની કોથળીઓ, પાઉચ, બોટલો જેવી ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તે માટે બન્ને દિવસ આવી ચીજવસ્તુઓના વેચાણ ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ તા.૨૯-૪ અને તા.૩૦-૪ના…
Bhavnagar,તા.29 વૈશાખ માસના આરંભ સાથે જ ઉનાળો આકરો બન્યો છે. એક જ દિવસમાં ગરમીનો પારો સડસડાટ પાંચ ડિગ્રી ઉપર પહોંચીને ૪૨.૦૨ ડિગ્રીને અડી જતાં આગ ઓકતી ગરમીથી ભાવનગરવાસીઓ હાશતોબા પોકારી ગયા હતા. બહાર અંગ દઝાડતા આકરા તાપથી લોકો ત્રાસી ગયા હતા. તો ઘરની દિવાલો જાણે ધગધગી રહી હોય તેમ ગરમ થઈને લૂ ફેંકતા ઘરની અંદર રહેવું મુશ્કેલ બની ગયું હતું. ભાવનગરમાં આજે સપ્તાહના આરંભે ગરમીનો પારો ૪૨.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ચાલુ વર્ષ ઉનાળાની સિઝનમાં છેલ્લા ૧૫ દિવસની અંદર જ બીજી વખત મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રીને આંબી જતાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરના…
Jaipur,તા.29 જયપુરમાં વૈભવ સૂર્યવંશીની જય-જયકાર જોવા મળી રહી છે. 14 વર્ષના આ ખૂંખાર બેટ્સમેનની સેન્ચુરી ઈનિંગ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યું છે. બિહારના આ લાલ એ પહેલી જ મેચમાં રેકોર્ડ્સને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તેણે પોતાની ત્રીજી જ IPL મેચમાં રેકોર્ડ્સનો અંબાર લગાવી દીધો છે. વિરાટ-રોહિત સહિત મોટા-મોટા દિગ્ગજ સૂર્યવંશીના રેકોર્ડની આસ-પાસ પણ નજર નથી આવી રહ્યા. વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. વૈભવના દમ પર રાજસ્થાને 8 વિકેટથી એકતરફી જીત હાંસલ કરી. IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ વર્ષોથી ક્રિસ…
Jaipur,તા.29 IPL 2025માં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે જયપુરમાં મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સની ભવ્ય જીત થઇ હતી. ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે 210 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જો કે, વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગના સહારે રાજસ્થાને 15.5 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરીને ગુજરાત સામે સરળતાથી જીત મેળવી હતી. ગુજરાત ટાઇટન્સે આપેલા 210 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમના ઓપનર બેટર્સ યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ આજની મેચમાં તોફાની બેટિંગ કરી હતી.…
Jaipur,તા.29 જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી હતી. વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારવાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. વૈભવ IPLમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટર બની ગયો છે. મેચ દરમિયાન, તેણે મોહમ્મદ સિરાજથી લઈને ઇશાંત શર્મા અને વોશિંગ્ટન સુંદર સુધીના ગુજરાત ટાઇટન્સના બધા બોલરોની ધોલાઇ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારવાની સાથે જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે IPLની આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી. રાજસ્થાન રોયલ્સ માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી. આ સાથે, ગુજરાત ટાઇટન્સ સામે આ IPLમાં સૌથી…
New Delhi,તા.29 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. પછી ભલે તે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાની વાત હોય કે પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાની બાબત હોય. પાકિસ્તાને ભારતીય વિમાનોને એર સ્પેસ આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. એવામાં હવે સમાચાર આવી રહ્યા છે કે બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ પણ વધી શકે છે. પાકિસ્તાની એરલાઇન્સ માટે એર સ્પેસ અને બંદરો પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર પડશે. કારણ કે પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA સિંગાપોર અને થાઇલેન્ડ ઉપરાંત કુઆલાલંપુર સહિત દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો સુધી પહોંચવા માટે ભારતીય એર…
Jammu and Kashmir,તા.29 પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ખીણ અને પહાડો પર આવેલા 48 જેટલા રિસોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપત્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા વિવિધ પર્યટન સ્થળો પણ પ્રવાસ માટે બંધ કરાયા છે. પહલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકોને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યા નહિંવત્ત થઈ છે. તેમજ ઉમર અબ્દુલ્લાહ સરકાર દ્વારા રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવતાં મુલાકાતીઓ પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે. જેના લીધે સ્થાનિકોની રોજગારી છીનવાઈ છે. તેમની…
