Author: Vikram Raval

Junagadh, તા. 28 જુનાગઢ તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ગત મોડીરાત્રીના મજેવડી ગામ નજીક ઉબેણ નદીના કાંઠે આરોપી  નીતિન ભીખા કાછડ (ઉ.વ.36)ને રોકી એક કરતા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ 10 નાની મોટી બોટલો મો.સા. ,એક મોબાઇલ સહિત કુલ રૂા. 36,300ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. તેમની પુછપરછમાં ભાવેશ ઉર્ફે ભાવુ નંદા  રે. ઉપરકોટ જુનાગઢવાળાનું નામ ખુલતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

Read More

Veraval,તા.28 વેરાવળ બાયપાસ નજીક ગંભીરા વિસ્તાર મા ગત મોડી રાત્રે ખૂંખાર દિપડો દેખાતા લોકો મા ફફડાટ છે અને આ વિસ્તાર મા દીપડો દેખાતા સ્થાનીક રહીશો દ્વારા વનવિભાગ તાકિદે આ દિપડા ને પીંજરે પૂરે તેવી માંગ ઉઠી છે.

Read More

Ahmedabad,તા.28 રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, ‘પ્લાસ્ટિકના દૂષણને નાથવા માટે હવે પાલિકાઓને સંવેદનશીલ બનાવવાના બદલે તેમને અમલ કરાવવાની ફરજ પાડવાની જરૂર છે. બેગ વેન્ડિંગ મશીન્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવી છે. જેમાં મોલ્સ, હોસ્પિટલ્સ, શાકમાર્કેટ, મેડિકલ સ્ટોર્સ વગેરેનો સમાવેશ છે, પરંતુ આ મશીન્સ દેખાય એવી રીતે મૂકવામાં આવે. તે સિવાય અંબાજી, ગિરનાર, ગીર-સોમનાથ, દ્વારકા જેવા પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મૂકવામાં આવે. આવા મશીનો હશે તો પ્લાસ્ટિકના પ્રદૂષણનું ડિસ્પોઝલ યોગ્ય રીતે થઈ શકશે.’ હાઈકોર્ટે…

Read More

Rajkotતા.28 રાજકોટ સહિત રાજયભરના મહેસુલી કર્મચારીઓએ વિવિધ અણઉકેલ પ્રશ્નો સબબ આંદોલનનું શસ્ત્ર ઉગામી આગામી તા.30મીને બુધવારના માસ સી.એલ.પર જનાર છે જે અંતર્ગત આજે કર્મચારીઓ દ્વારા રજા રિપોર્ટ મૂકી દેવાયા છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર-જિલ્લામાં 390 સહિત રાજયમાં મહેસુલી કર્મચારીઓનું 3800 જેટલું સંખ્યાબળ છે છેલ્લા લાંબા સમયથી આ મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો અધ્ધરતાલ લટકી રહ્યા છે.જેમાં બદલીમાં અન્યાય ખાલી જગ્યાઓ ભરવા, પ્રમોશનમાં વિસંગતતા સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે. મહેસુલી કર્મચારીઓના આ અણઉકેલ પ્રશ્નો અંગે અગાઉ મહેસુલી કર્મચારી મંડળ દ્વારા રાજય સરકારમાં અનેક વખત રજુઆત કરવામાં આવેલ હતી.પરંતુ કર્મચારીઓના આ પ્રશ્નો ઉકેલવા માટે હજૂ સુધી કોઈપણ જાતની કાર્યવાહી હાથ નહીં…

Read More

Rajkot,તા.28 સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમી ભુકકા બોલાવવા લાગી હોય અને રાજકોટ અગનગોળો બન્યુ હોય તેમ આજે બપોરે જ તાપમાનનો પારો 45.4 ડીગ્રીના સ્તરે પહોંચી ગયો હતો અને સાંજ સુધીમાં 46 ડીગ્રીને આંબે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. એપ્રિલ માસની ગરમીના તમામ રેકોર્ડ તૂટયાનુ ચિત્ર છે. ચામડી દઝાડતી ગરમીમાં માર્ગે સુમસામ બની જવા સાથે કર્ફયુનો માહોલ ઉભો થયો છે. રાજકોટમાં સૂર્યપ્રકોપ ઉભો થયો હોય તેમ બે દિવસથી તાપમાનનો પારો વધવા લાગ્યો જ હતો. આજે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ બપોરે અઢી વાગ્યે જ પારો 45.4 ડીગ્રીએ પહોંચી ગયો હતો. ચાલુ સીઝન તથા છેલ્લા દાયકાઓના એપ્રિલ મહિનાની ગરમીના રેકોર્ડ તૂટી ગયા હતા. હવામાન…

Read More

New Delhiતા.28 પહેલગામ હુમલાના પગલે જયાં પાકને ‘શિક્ષા’ કરવા ભારતની તૈયારી વચ્ચે દિલ્હીમાં નિર્ણાયક બેઠકોનો દૌર શરૂ થયો છે. ગઈકાલે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘના નિવાસે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) શ્રી અનિલ ચૌહાણ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત દોભલ સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બાદમાં આજે શ્રી રાજનાથસિંઘ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નિવાસે પહોંચ્યા હતા અને ગઈકાલની બેઠક અંગે માહિતી આપી હતી. હવે બપોરે 3ના ટકોરે સંરક્ષણ બાબતેની પેનલની બેઠક શરૂ થઈ છે જેમાં પાકને ‘શિક્ષા’ કરાતા આખરી પ્લાનને મંજુરી અપાશે અને આગામી દિવસમાં એકશન શરૂ થશે. એક તરફ પહેલગામ હુમલાની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ કાશ્મીરમાં તપાસ હવે છેક…

Read More

Mumbai તા.28 મુંબઈ શેરબજારમાં આજે તેજીની રોનક જોવા મળી હતી. ભારત-પાક વચ્ચે ટેન્શન સહિતના નેગેટીવ કારણોને ડિસ્કાઉન્ટ ગણીને માર્કેટ તેજીના માર્ગે દોડયુ હતું. સેન્સેકસમાં ઈન્ટ્રા-ડે 1005 પોઈન્ટથી અધિકનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનુ બન્યુ હતુ. અમેરિકા-ચીન વચ્ચે પણ ટ્રેડવોર હળવુ થઈ રહ્યાના સંકેતો ઉપરાંત વિદેશી નાણાંસંસ્થાઓની એકધારી જંગી લેવાલી, ચોમાસુ નોર્મલ કરતા પણ સારૂ રહેવાની આગાહી, વ્યાજદરમાં વધુ ઘટાડો થવાના સંકેત સહિતના કારણોની સારી અસર હતી. પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન છતાં કોઈ ગંભીર અસર ન હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવ પ્રમાણે ભારત માટે કોઈ ગંભીર પરિણામો નહીં સર્જાવાની ગણતરી મુકામી હતી. વિદેશી નાણાં સંસ્થાઓની સતત ધૂમ લેવાલીએ…

Read More

Islamabad,તા.28 પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એને કારણે ભારતે આકરાં પગલાં ભર્યા છે. ભારત સાથેના યુદ્ધની સંભાવનાઓને લીધે પાકિસ્તાનની સેનામાં ફફડાટ મચી ગયો છે. મોતના ડરે હજારો પાકિસ્તાની સૈનિકોએ નોકરીમાંથી રાજીનામું આપી દીધાના સમાચારની સાહી હજુ તાજી છે ત્યાં તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સહિત અન્ય ટોચના અધિકારીઓ પણ પાકિસ્તાન છોડીને ભાગી ગયા હોવાના વાવડ મળ્યા છે. એવી અટકળો ચાલી રહી છે કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Pakistan Army Chief General Asim Munir) તેમના પરિવાર સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયા છે. મુનીર ઉપરાંત આઈએસપીઆર (ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ) ના ડિરેક્ટર જનરલ અસીમ મલિક અને સીજેસીએસસી (ચેરમેન જોઈન્ટ…

Read More

New Delhi,તા.28 કામકાજ કરતાં ઓફિસોમાં મીટિંગ્સ, ઈ-મેઈલ અને ચેટ્સ વધુ હોય છે. કર્મચારીઓ તેમના વાસ્તવિક કાર્ય કરતા આખો દિવસ મીટિંગ્સ, ઈ-મેઈલ અને ચેટ્સ વધુ સામેલ હોય છે. માઇક્રોસોફ્ટના વર્ક ટ્રેન્ડ ઇન્ડેક્સ એન્યુઅલ રિપોર્ટ 2025માં આ તથ્યો સામે આવ્યાં છે. રિપોર્ટ અનુસાર આજનાં વર્ક કલ્ચરમાં કંટાળો ઘણો વધી ગયો છે. આ કારણે ઓફિસમાં કામ કરવું એક પડકાર બનીને ઊભરી રહ્યું છે. સરેરાશ કર્મચારી દર બે મિનિટમાં વિક્ષેપનો અનુભવ કરે છે. આ રિપોર્ટ 31 દેશોનાં 31,000 લોકો પર આધારિત છે. એઆઈ આપણી કામ કરવાની રીતને બદલશે :- રિપોર્ટ અનુસાર, કાર્યસ્થળોમાં દરેક કર્મચારી પાસે એઆઈ આસિસ્ટન્ટ હશે અને તે ડિજિટલ એજન્ટને સૂચના આપવા…

Read More

London,, તા.28 પહેલગામ હુમલાને લઈને લંડનમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. પાકિસ્તાની પ્રદર્શનનો સામનો કરવા લંડનમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય અને વિદેશી પ્રતિનિધિઓ ભારતીય હાઈ કમિશન પર ઉતર્યા હતા, જેને પહેલગામ આતંકી હુમલાના પગલે ’ભારતીય પ્રચાર’ તરીકે ઓળખવામાં આવ્યો હતો. ’ભારત માતા કી જય’ અને ’વંદે માતરમ’ના નારા લગાવતા અને ભારતીય ત્રિરંગો લહેરાવતા, ભારત તરફી વિરોધીઓએ રવિવારે સાંજે ઈન્ડિયા હાઉસની સામેના રસ્તા પરના બ્રિટિશ પાકિસ્તાનીઓના નાના જૂથ કરતાં વધી ગયા. પોલીસ પણ હાજર હતી રવિવારે સાંજે ઈન્ડિયા હાઉસની સામે રોડ પર બ્રિટિશ પાકિસ્તાનીઓના નાના જૂથ કરતાં ભારત તરફી વિરોધીઓની સંખ્યા વધી ગઈ હતી. ત્યાં મેટ્રોપોલિટન પોલીસ પણ હાજર હતી, જેઓ એકબીજા…

Read More