- Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
- Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
- ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
- દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
- વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
- Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
- South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
- રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Author: Vikram Raval
New Delhi,તા.28 જો તમે જીમેલનો ઉપયોગ કરો છો, તો સાવચેત રહેજો. ગૂગલે પોતાની ઈમેલ સર્વિસના 3 અબજથી વધુ યૂઝર્સ માટે મહત્વની ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી એક ખતરનાક ફિશિંગ કૌભાંડની છે, જેમાં સ્કેમર્સ યુઝર્સ પાસેથી લોગિન ડિટેલ્સ ચોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ ફિશિંગ એટેકનો ખુલાસો એક સોફ્ટવેર ડેવલપર દ્વારા કરવામાં આવ્યો છે, જેણે એક્સ પર કહ્યું હતું કે, તેને ’NoReplyGoogle.com’ તરફથી એક શંકાસ્પદ ઇમેઇલ મળ્યો છે. ઇમેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુઝરના ગૂગલ એકાઉન્ટ ડેટાને લઇને સમન જારી કરવામાં આવ્યું છે. આ કૌભાંડ કેવી રીતે કામ કરે છે ? :- આ ફેક ઈમેઈલમાં એક લિંક હોય છે,…
Ahmedabad,તા.28 ભારત એ વિશ્વનું ફાર્મા હબ બની રહ્યું છે તો ગુજરાત એ દેશનું સૌથી મોટું 183 નવા ફાર્મા પ્લાંટને મંજુરી આપવામાં આવી છે જે દેશમાં સૌથી વધુ છે. રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરીટીના કમીશ્નર ફાર્મા ઉત્પાદક રાજય બની ગયુ છે અને આ સ્થિતિ મજબૂત કરી અને 2024/25ના નાણાકીય વર્ષમાં રાજયમાં એસ.જી.કોશીયાએ આ માહિતી આપતા જણાવ્યુ હતું. 2021 બાદ સમગ્ર દેશમાં એક જ સર્વેમાં આ સૌથી વધુ મંજુરી છે અને માર્ચ 2019 પછી સરકારે કુલ 800 નવા પ્લાંટને મંજુરી આપી છે અને ગુજરાત એ વિશ્વની ફાર્મસી બનશે. શ્રી કોશીયાએ માહિતી આપી કે સરેરાશ આ પ્રત્યેક પ્લાંટ પાછળ ઓછામાં ઓછુ રૂા.50…
Islamabad,તા.28 પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલાં પગલાથી પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ છે અને મોટા-મોટા નેતાઓના પરિવારો દેશ છોડીને ભાગી રહ્યા છે. પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનિરના પરિવારે દેશ છોડી દીધો છે ત્યારે હવે જાણવા મળે છે કે બિલાવલ ભુટ્ટોના પરિવારે પણ પાકિસ્તાન છોડી દીધું છે અને આ પરિવાર કેનેડા જતો રહ્યો છે.ભારતે સિંધુ જળકરાર સસ્પેન્ડ કર્યો એના પગલે બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી હતી કે પાકિસ્તાનને આપવામાં આવતું પાણી રોકવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે. આ ધમકી આપ્યાના એક દિવસ બાદ જાણવા મળે છે કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના પરિવારના સભ્યો બખ્તાવર ભુટ્ટો અને આસિફા ભુટ્ટો ગઈ કાલે…
New Delhi,તા.28 નાણાકીય વ્યવહારો ડિજીટલ સ્વરૂપમાં વધતા જાય છે અને હવે બેન્કોને ચેક-પેમેન્ટ સિસ્ટમમાં પણ રાહત છે કે વ્યક્તિગત- નાના વ્યવહારોમાં એક અપાતા નહી હોવાથી તેના કલીયરીંગ વિ.ની પ્રક્રિયા ઘટી ગઈ છે છતાં પણ હજું વ્યાપાર-ધંધા અને મોટા વ્યક્તિગત વ્યવહારોમાં ચેકનો ઉપયોગ થાય છે અને તેની સાથે ચેક બાઉન્સ થવાનું- રીટર્ન થવાનું પ્રમાણ પણ વધી ગયુ છે અને તે હવે નેગોશીયેશન એકટની કલમ 138 મુજબ અપરાધ પણ છે અને હવે ચેક રીટર્ન એક શસ્ત્ર બની ગયુ છે. જમાં જેઓ નાણાકીય કે તેવા કારણોસર ચેક પાસ કરાવી શકતા નથી. તેઓને જેમ સજા થાય છે પણ ચેક રિટર્નના સતત વધતા જતા કેસ…
New Delhi, તા.28 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ’મન કી બાત’માં દેશવાસીઓને નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા તૈયાર કરવામાં આવેલી સચેત મોબાઇલ ઍપ્લિકેશનને તેમના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાની વિનંતી કરી હતી. આ ઍપ કુદરતી આફતો જેવી કે પૂર, વાવાઝોડું અને ભૂસ્ખલન વિશે ઍડવાન્સમાં જાણકારી આપે છે અને લોકોને અલર્ટ કરે છે. આ મુદ્દે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘કોઈ પણ કુદરતી આફત વખતે આ ઍપ અલર્ટ આપે છે. એ ઍપ તમારા મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવાથી તમે કોઈ કુદરતી આફતમાંથી બચી શકો છે અને તેથી એનું નામ સચેત રાખવામાં આવ્યું છે. પૂર, વાવાઝોડું, ભૂસ્ખલન, સુનામી, જંગલમાં…
New Delhi,તા.28 પહેલગામ આતંકી હુમલાની તપાસમાં એનઆરઆઈએને અનેક મહત્વની કડી હાથ લાગી છે. એનઆઈએ નજરે જોનારા લોકોની પુછપરછ કરીને પુરાવાઓ એકત્ર કરી રહી છે. મુખ્ય સાક્ષી બહાર આવ્યો: સુત્રોના જણાવ્યા મુજબ આતંકી હુમલાનો મુખ્ય સાથી બહાર આવ્યો છે.જે એક સ્થાનિક ફોટોગ્રાફર છે. આતંકી હુમલા સમયે તે પોતાનો જીવ બચાવવા એક વૃક્ષ પર ચડી ગયો હતો અને પુરા હુમલાનું રેકોર્ડીંગ કરી રહ્યો છે. પહેલા બે આતંકી બહાર આવ્યા: રેકોર્ડીંગ મુજબ શરૂઆતમાં બે આતંકીઓ દુકાનોની પાછળથી છુપાયેલા હતા. આ આતંકીઓ પહેલા બહાર આવ્યા અને આ આતંકીઓએ લોકોને કલમા પઢવાનું કહ્યું, બાદમાં ચાર લોકોને ગોળી મારી દીધી હતી. જેથી તેમના ઘટનાસ્થળે જ મોત…
New Delhi,તા.28 ભારતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને વિદેશી મીડીયા અલગ અલગ રીતે લે છે અને અગાઉ ન્યુયોર્ક ટાઈમ્સને આ આતંકી હુમલામાં સામેલ લોકોને આતંકવાદી અથવા ત્રાસવાદી તરીકે સંબોધવાને બદલે ઉગ્રવાદી તરીકે દર્શાવતા ભારતે તેનો વાંધો લીધો હતો અને અમેરિકી સંસદે પણ ન્યુયોર્ક ટાઈમ્સને આ શબ્દ સુધારવા તાકીદ કરી હતી. તો બીજી તરફ બીબીસીએ પણ તેના રિપોર્ટમાં ત્રાસવાદીઓને ઉગ્રવાદી તરીકે દર્શાવતા ભારત સરકારે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. બ્રિટન સ્થિત આ વૈશ્વિક મીડીયા બીબીસી અનેક વખત ભારત વિરોધી વલણ લઈ ચૂકયુ છે અને તેના એક અહેવાલ પાકિસ્તાન સસ્પેન્ડ વિઝા ફોર ઈન્ડીયન આફટર ડેડલી કાશ્મીર એટેકમાં ત્રાસવાદી શબ્દને બદલે ઉગ્રવાદી શબ્દનો ઉપયોગ…
New Delhi,તા.28 પહેલગામ હુમલા બાદ હવે પાકિસ્તાન સામે આકરી લશ્કરી પગલા લેવાશે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના તમામ નેતૃત્વએ સંકેત આપી દીધા છે અને દિલ્હીમાં ઉચ્ચસ્તરીય સરકાર સેન્ય વચ્ચે બેઠકોનો દૌર ચાલુ છે તો પાક સાથેની સરહદો પર પણ હવે બોર્ડર સિકયોરીટી ફોર્મ (બીએસએફ) પુરી રીતે એકશનમાં આવી ગઈ છે. ખાસ કરીને કાશ્મીર સરહદે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને યુદ્ધના સમયમાં સ્વરક્ષણ કેમ કરવું તે અંગે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને તાલીમ આપવાનું શરૂ કર્યુ છે તો યુદ્ધ છેડાય તો સરહદી ગામો ખાલી પણ કરાવવા પડે તેવા સંકેત છે. તેથી તેના માટે પણ તૈયાર રહેવા જણાવવામાં ગ્રામીણ ક્ષેત્રમાં લોકોએ હવાઈ સહિતના હુમલાથી બચવા…
New Delhi પાટનગર દિલ્હીમાં હવે સરકાર- સૈન્ય વડાઓ વચ્ચે ઉચ્ચ કક્ષાની બેઠકોનો દૌર શરુ થયો છે. ગઈકાલે ભારતીય સૈન્યના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંઘને મળ્યા હતા અને લગભગ 40 કલાક આ બેઠક ચાલી હતી. હવે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ મળશે અને તેમાં પણ સૈન્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. એક તરફ પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકીઓને શોધવાની કામગીરી હવે નિર્ણાયક તબકકામાં છે. તે વચ્ચે પાકિસ્તાન સામે નિર્ણાયક કામગીરી પણ હવે અત્યંત મહત્વના તબકકે છે અને તેની સરકાર માટે પણ હવે નિર્ણય લેવા જરૂરી છે તે વચ્ચે આ બેઠકો પણ મહત્વની…
New Delhi,તા.28 કેન્દ્ર સરકારે બધા નાગરિકો માટે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, પબ્લિક વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને નાણાંકીય લેવડ-દેવડ અને સંવેદનશીલ ગતિવિધીઓ ન કરો. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, વિમાન મથકો, કોફીશોપો અને જાહેર સ્થળો પર મફત પબ્લિક વાઈ-ફાઈ સુવિધાજનક લાગી શકે છે.પરંતુ તે આપની ખાનગી અને નાણાંકીય જાણકારી માટે ખૂબ જ જોખમભર્યુ બની શકે છે. આમાંથી અનેક પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક ઉચિત રીતે સુરક્ષિત નથી જેથી તે હેકર્સ અને કૌભાંડકારો માટે સરળ લક્ષ્ય બની જાય છે. ડિઝીટલ સુરક્ષા જાગૃતિને મજબૂત બનાવવા માટે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે પોતાની ‘જાગૃતિ દિવસ’પહેલ અંતર્ગત આ નવુ રિમાઈન્ડ જાહેર કર્યું છે.…
