- Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!
- હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits
- Vapi, Valsad માં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
- ‘બધા માટે ફ્લાઈટ અમારા માટે બસ,ઈરાનથી પાછા આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ભડક્યાં
- Ahmedabad plane crash: અમરેલીની રિદ્ધિ પડસાલાની અંતિમયાત્રા નીકળી
- Amreli ના રાજુલામાં 60 વર્ષીય ગુમ ખેડૂતનો મૃતદેહ નદીમાંથી મળ્યો
- Amreli ના હિપાવડલીમાં ગામના ખેતરો અને સ્મશાનને જોડતો પુલ ધરાશાયી
- Gujarat પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ
Author: Vikram Raval
New Delhi,તા.12 એર ઈન્ડિયાની આજે લંડન જતી ફલાઈટ નં. એઆઈ-0171 કે જે બપોરે 13:10 કલાકે રવાના થઈ હતી અને વિમાન ખરેખર 1.38 મીનીટે ટેકઓફ કયુર્ં હતું. આમ લગભગ 28 મીનીટ આ ફલાઈટ લેઈટ હતી. તેને 1.38 રનવે નં.21 પરથી રવાના થવા માટે મંજુરી મળતા જ પાઈલોટે વિમાનને ટેકઓફ કરાયું હતું. પરંતુ 1.42 કલાકે જ વિમાન તૂટી પડયું હતું. ફક્ત ચાર મીનીટમાં એવું શું બન્યું કે વિમાન ક્રેસ થયું. ફલાઈટ રવાના થતા જ પાઈલોટે કંટ્રોલ ટાવરને મેડે મેસેજ મોકલ્યો હતો. જેનો અર્થ એ હતો કે વિમાનમાં પ્રારંભથી જ કોઈ ક્ષતિ હતી પરંતુ તે ઉડયન પૂર્વે કેમ ધ્યાનમાં ન આવ્યું તે સૌથી…
New Delhi,તા.12 અમદાવાદમાં સર્જાયેલી વિમાની દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ગયેલ છે. આ પહેલા અમિત શાહે અમદાવાદના પોલીસ કમિશ્નર સાથે ફોન ઉપર વાતચીત કરી સમગ્ર દુર્ઘટનાની વાત કરી હતી. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહ અને કેન્દ્રીય નાગરીક ઉડયન મંત્રી રામમોહન નાયડુ સાથે વાત કરી હતી અને બાદમાં શાહને અમદાવાદ પહોંચવા જણાવ્યું હતું. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ આવવા નિર્ણય લીધો હતો અને તેઓ કોઈપણ સમયે અમદાવાદ પહોંચી શકે છે.
New Delhi, તા. 12 અમદાવાદની વિમાની દુર્ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને રાજકીય નેતાઓેએ ઉંડુ દુ:ખ દર્શાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી આ દુર્ઘટનાનું દુ:ખ છે. અમદાવાદમાં ગુજરાત સરકાર તથા ઉડ્ડયન વિભાગ સાથે સતત સંપર્કમાં છે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ સતત વાતચીત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. ઉપરાંત ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ દુર્ઘટનામાં રાહત બચાવ કામગીરી પર દેખરેખ રાખવા માટે બંને સીનીયર પ્રધાનોને અમદાવાદ જવાની સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે…
Ahmedabad તા. 12 અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ક્રેશ થયાની કરૂણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ છે. આ ફલાઇટમાં રાજકોટ ભાજપના પાયાના પથ્થર જેવા સીનીયર નેતા અને પૂર્વ લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ મુસાફર તરીકે હોવાની વિગતો મોડેથી બહાર આવતા ભારે દુ:ખની લાગણી ફેલાઇ છે. આજે બપોરે સૌ પહેલા વિજયભાઇ રૂપાણી આ ફલાઇટમાં હતા કે નહીં તે વાત સત્તાવાર બહાર આવી ન હતી. રાજકોટથી માંડી સરકાર કક્ષાએ સતત તપાસ ચાલુ હતી. પરંતુ આજે બપોરની આ ફલાઇટમાં બિઝનેસ કલાસમાં (ટીકીટ નં. 2-ડી) તેમની ક્ધફર્મ ટીકીટ હોવાનું બાદમાં જાહેર થયું હતું. રાજકોટના ગોંડલ રોડ પર પાસપોર્ટ ઓફિસ પાસે આર.વી.હોલીડેઝ નામના ટુર…
Ahmedabad,તા.12 અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટના જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી હતી અને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. આ ભયાનક અકસ્માત બાદ તેમણે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી હતી. તેમણે ઘાયલ મુસાફરોને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તમામ તબીબી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા…
Ahmedabad, તા.12 અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ…
દેશભરના 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સરકારે ભલે 16 જાન્યુઆરી, 2025ના રોજ આ પંચની રચનાને મંજૂરી આપી હતી. પરંતુ હજી સુધી તેની ઔપચારિક રૂપે રચના કરવામાં આવી નથી. જાહેરાતને છ મહિના વીતિ ગયા હોવા છતાં અત્યારસુધી અધ્યક્ષ અને સભ્યની પણ નિમણૂક થઈ નથી. તેમજ તેના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) ફાઈનલ થયા નથી. જેથી આ પંચનું અમલીકરણ 1 જાન્યુઆરી,2026થી લાગુ થશે કે નહીં. તેના પર સવાલો ઉભા થયા છે. ઐતિહાસિક ધોરણે વિવિધ પગાર પંચની જાહેરાત અને અમલીકરણ પર નજર કરીએ તો નવા પગાર પંચને લાગુ કરવા માટે સરકારને ઓછામાં ઓછા બેથી…
Ahmedabad,તા.12 અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઓફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન…
New Delhi,તા.12 કેનેડામાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G-7 દેશોની પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના વડાપ્રધાનનાં વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેશે. કેનેડા જતા પૂર્વે માર્ગમાં તેઓ સાયપ્રસનાં પાટનગર તિકોસિયા જવાના છે, પાછાં વળતાં તેઓ ક્રોએશિયા જશે. 1991માં યુગોસ્લાવિયાનું વિસર્જન થયા પછી ક્રોએશિયા જનારા મોદી ભારતના પહેલા વડાપ્રધાન હશે. વાસ્તવમાં તેઓ ગયા મહીને જ ક્રોએશિયા જવાના હતા, પરંતુ ભારત-પાક. સંઘર્ષને લીધે તે મુલાકાત યોજી શકાઈ ન હતી. સાયપ્રસ અને ક્રોએશિયા બંને યુરોપિયન યુનિયનના સભ્યો છે. સાયપ્રસ ૨૦૨૬ના પ્રથમાર્ધમાં યુરોપીય સંઘના પ્રમુખપદે રહેશે. આથી સાયપ્રસનું મહત્વ ઘણું છે.1960માં સાયપ્રસ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું પછી આ ભૂમધ્ય સમુદ્રીય ટાપુ દેશમાં ગ્રીક સાયપ્રાઈટ્સ અને…
New Delhi,તા.12 કુંભ ગર્લ મોનાલિસાને હીરોઈન બનાવનાર ડાયરેક્ટર સનોજ મિશ્રા પર રેપનો આરોપ લગાવનાર પૂજા મિશ્રા હવે પોતે જ જેલમાં છે. પૂજાએ અગાઉ પોતાને સનોજ મિશ્રાની આસીસ્ટન્ટ ડાયરેક્ટર બતાવી હતી અને તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પણ પછી તે સોશિયલ મીડિયા પર સનોજની પત્ની સાથે દેખાવા લાગી અને આરોપો પાછા ખેંચી લીધા. જો કે વાત અહીં અટકી નહી. જોધપુર પોલીસે તેની 2024ના ચર્ચિત લૂટેરી દુલ્હન કેસ સંબંધમાં ધરપકડ કરી છે. જોધપુરના ઝાલામંડ ક્ષેત્રના નિવાસી દેવારામ પ્રજાપતે આરોપ લગાવ્યો છે કે પૂજા મિશ્રાએ એક દલાલ વિમલા દેવી સાથે મળીને પોતાનું ખોટુ નામ અને સરનામુ બતાવીને તેની સાથે 10 સપ્ટેમ્બર, 2024ના…