- ભારતીય ફાસ્ટ બોલર Akashdeep ના ઘરે લગ્નનો સૂર વાગશે, જે ૨૪ જૂને અક્ષિતા સાથે લગ્ન કરશે
- Women’s T20 World Cup ની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડનો કરિશ્મા, ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર
- તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષોનું રાજકારણ વિખેરાઈ રહ્યું છે
- Virdas’ Horror Film બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી
- Janhvi Kapoor પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે
- ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જોઈએ’ : Akshay Kumar
- Salman Khan પૈડીપલ્લીની ફિલ્મ સાથે બિગબોસ ૨૦ પણ કરશે
- Saiee Manjrekar and Raghav Juyal હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જોવા મળશે
Author: Shri Nutan Saurashtra
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓનું મુખ્ય વિશ્લેષણ હંમેશા મુસ્લિમ મતો પર કેન્દ્રિત છે. ઘણા વર્ષોથી રાજ્યમાં સત્તા સંભાળી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીની સતત જીતમાં મુસ્લિમ મતોને મુખ્ય પરિબળ માનવામાં આવે છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, બંગાળની વસ્તી આશરે ૯૧.૩ મિલિયન હતી, જેમાંથી મુસ્લિમો આશરે ૨૫ મિલિયન હતા. હાલમાં, બંગાળની કુલ વસ્તી ૧૦૫ મિલિયનથી વધુ થશે, જેમાં મુસ્લિમોની સંખ્યા ૩ કરોડથી વધુ થવાની સંભાવના છે. બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં મુર્શિદાબાદ (૬૬.૩ ટકા), માલદા (૫૧.૩ ટકા), ઉત્તર દિનાજપુર (૫૦ ટકા), બીરભૂમ (૩૭ ટકા), દક્ષિણ ૨૪ પરગણા (૩૫.૫ ટકા) અને નાદિયા (૨૬.૭ ટકા)નો સમાવેશ થાય છે. જો ભાજપ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જોરદાર લડાઈ…
છ દિવસના તફાવતમાં ફિલ્મના બિઝનેસ પ્રોસ્પેક્ટસમાં બહુ મોટો ફરક પડવાનો નથી Mumbai, તા.૩ અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની રીલિઝ છ દિવસ માટે પાછળ ઠેલવાની જાહેરાત કરાઈ છે. આ સંજોગોમાં આ કોઈ બિઝનેસલક્ષી નિર્ણય કરતાં પબ્લિસિટી માટે ગતકડું હોવાની શક્યતા વધારે છે તેવી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ તા. ૧૦મી એપ્રિલને બદલે હવે તા. ૧૬મી એપ્રિલે રીલિઝ થવાની છે. કારણ એવું અપાયું છે કે હજુ પણ રણવીરની ‘ધુરંધર ટુ’ ટિકિટબારી પર ટંકશાળ પાડી રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર કોઈ ફિલ્મ એકાદ-બે મહિના પાછળ ખસે તો વિતરણની મજબૂરી તથા બિઝનેસની સંભાવનાઓની વાત સમજી શકાય છે. પરંતુ, …
ઓમ રાઉત અને અજય દેવગણ ફિલ્મનું બજેટ ફાઈનલ કરી રહ્યા છે, ત્યારબાદ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરાશે Mumbai, તા.૩ અજય દેવગણ અને ઓમ રાઉત ફરી બીજી વખત સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા તેમણે ફિલ્મ ‘તાનાજી’માં સાથે કામ કર્યું હતું. બન્ન જણા વધુ એક મરાઠા વોરિયરની વાર્તા રજૂ કરશે તેવી ચર્ચા છે. એક રિપોર્ટના અનુસાર, અજય દેવગણ અને ઓમ રાઉત ઘણા સમયથી અનસંગ વોરિયર સીરીઝની નવી ફિલ્મ લાવવા માટે વાતચીત કરી રહ્યા હતા. ઓમ રાઉતે થોડા દિવસો પહેલા જ અજય દેવગણને એક મરાઠા વોરિયરની વાર્તા સંભળાવી હતી જે અભિનેતાને પસંદ પડી હતી. આ પછી ઓમ રાઉત ફિલ્મની તૈયારી…
અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ બીજા દીકરાનો જન્મ થયો હતો Mumbai તા.૩ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ બીજા દીકરાનો જન્મ થયો હતો. સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી શેર કરી હતી. જો કે સોનમ કપૂર કે આનંદ આહુજાએ હજુ સુધી તેના દીકરાની ઝલક દેખાડી ન હતી. પરંતુ હવે સોનમ કપૂરની બહેન રિયા કપૂરે સોનમ કપુરના નાના દીકરાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. રિયા કપૂરે તેના ઈન્સ્ટા અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેના હાથમાં સોનમ કપૂરનો નાનો દીકરો…
ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી Mumbai, તા.૩ જો બધું આયોજન મુજબ થયું હોત, તો સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘બેટલ ઑફ ગલવાન’ આ મહિને ૧૭ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, વધારાના શૂટિંગને કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી. ગયા મહિને, ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ રાખવામાં આવ્યું હતું. ફિલ્મનાં ટીઝર અને બે ગીતો સહિત કેટલીક સામગ્રી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં રિલીઝ ડેટનો ઉલ્લેખ નથી. આ દરમિયાન, ચાહકો સતત સોશિયલ મીડિયા પર પૂછતા રહ્યા છે કે સલમાન ખાન અને નિર્માતાઓ આ ફિલ્મની રિલીઝ ડેટ ક્યારે જાહેર કરશે. ત્યારે…
શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા અભિગમ માટે લોકપ્રિય બની Mumbai, તા.૩ હિટ રોબોટ લવ સ્ટોરી હવે વધુ મોટી અને સ્ટાર-સ્ટડેડ સિક્વલ માટે તૈયાર થઈ રહી છે. ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની પ્રભાવશાળી બોક્સ ઑફિસ સફળતા અને મજબૂત પ્રતિસાદ બાદ, મેડોક ફિલ્મ્સે શાંતિથી તેની સિક્વલ પર કામ શરૂ કરી દીધું છે. એવા અહેવાલો છે કે, શાહિદ કપૂર અને ક્રિતિ સેનનની આ સાય-ફાઈ રોમેન્ટિક કોમેડી, જે પ્રેમ અને ટેન્કોલોજી પરના અનોખા અભિગમ માટે લોકપ્રિય બની, હવે વધુ મોટી ળેન્ચાઇઝી તરીકે વિસ્તારવામાં આવી રહી છે.સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સિક્વલમાં શાહિદ કપૂર…
ફિલ્મ ૨ પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ ૨૦૨૬ ના એન્ડમાં દિવાળી પર રિલીઝ થશે Mumbai, તા.૩ નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મ હોવાનું અનુમાન છે. આ ફિલ્મ ૨ પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ ૨૦૨૬ ના એન્ડમાં દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ જોવાને લઈને દર્શકો આતુર છે. આ આતુરતાનો અંત હનુમાન જયંતીના દિવસે આવ્યો છે. હનુમાન જયંતી પર ફિલ્મના મેકર્સ દ્વારા રામાયણ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામની ઝલક દેખાડવામાં આવી છે. ફિલ્મનું ટીઝર ભવ્ય છે અને તેમાં રણબીર કપૂરને રામ તરીકે દેખાડવામાં આવ્યો…
તમારે પોતાની જાતને પણ પિછાણવી જોઈએ અને માત્ર તમારા કામ પૂરતાં મર્યાદિત ન રહેવું જોઈએ : ફાતિમા Mumbai, તા.૩ ફાતિમા સના શેખે એક્ટિંગની દુનિયામાં પોતાની પ્રભાવશાળી સફર ખેડી છે, જે બાળ કલાકાર તરીકેની તેની પ્રથમ ફિલ્મ “ચાચી ૪૨૦”થી લઈને તેના લોકપ્રિયતા અપાવનાર ફિલ્મ “દંગલ” અને તાજેતરની રિલીઝ “ગુસ્તાખ ઇશ્ક” સુધી તેના અભિનેત્રી તરીકેના વિકાસને દર્શાવે છે. તાજેતરમાં, ફાતિમાએ પોતાની અત્યાર સુધીની સફર, પસંદગીઓ અને અભિનય કળા પ્રત્યે વિકસેલી દૃષ્ટિ વિશે વાત કરી હતી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરતો પર આગળ વધવા અને પરંપરાગત ભૂમિકાઓથી અલગ પસંદગીઓ કરવા વિશે ખુલીને વાત કરી હતી.ફાતિમા સના શેખે જણાવ્યું, “હું એવી વાર્તાઓ તરફ આકર્ષાઉં…
Jakarta, તા.2 યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું છે કે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે ભૂકંપના કેન્દ્રથી 1,000 કિલોમીટર (621 માઈલ) ના દાયરામાં જોખમી સુનામી લહેરોની આશંકા વ્યક્ત કરતા હાઈ એલર્ટ જારી કર્યું હતું. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 6ઃ48 કલાકે મોલુક્કા સાગરમાં 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું. હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમીના દાયરામાં જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે. ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડો…
Mumbai, તા.2 ટીવી જગતનો લોકપ્રિય સિટકોમ `ભાભી જી ઘર પર હૈ’ અંગે દર્શકો માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, લગભગ 11 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો આ શો હવે બંધ થવાની કગારમાં છે. થોડા સમય પહેલા જ `ભાભી જી ઘર પર હૈ 2.0′ તરીકે શો ફરી શરૂ થયો હતો, જેમાં શિલ્પા શિંદે અંગૂરી ભાભી તરીકે પરત ફરી હતી. પરંતુ હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેનલ &TVમાં ચાલી રહેલા મોટા ફેરફારોને કારણે આ શોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, આ નિર્ણય મેકર્સની ઇચ્છા મુજબ નહીં પરંતુ ચેનલની નવી રણનીતિને કારણે લેવાયો હોવાનું માનવામાં આવે…
