- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ Morbiમાં અવારનવાર નિર્દોષ નાગરિકો લુંટેરી દુલ્હનનો ભોગ બનતા હોવાના કિસ્સા બનતા રહે છે જેમાં તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન માટે એક લાખ આપ્યા બાદ લુંટેરી દુલ્હન લગ્નના નવ દિવસ બાદ જતી રહી હતી પોલીસે વિશ્વાસઘાત-છેતરપીંડીની ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના વાવડી રોડ પર સિંધી સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુલચંદભાઈ અડવાણી (ઉ.વ.૪૭) વાળાએ આરોપીઓ પ્રીતીબેન કેવલરામ વાઘવાણી રહે અમદાવાદ અને નિશા રામચંદ્ર હેમલાની રહે જોધપુર (રાજસ્થાન) હાલ અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ત્રણેક માસ પૂર્વે મોટાબેન ચંપાબેને વાત કરી હતી કે પ્રીતીબેન કેવલરામ વાઘવાણી સિંધી સમાજના અપરણિત માણસોના લગ્ન કરાવી આપે…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯ Morbiમાં શાળાએથી પરત સાયકલ લઈને જતા ૧૧ વર્ષના વિદ્યાર્થીની સાયકલને બોલેરો ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં ૧૧ વર્ષના વિદ્યાર્થીને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા તેમજ શરીરે ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મોરબીના કંડલા બાયપાસ તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા મુળુભાઈ આયદાનભાઈ ગોગરાએ બોલેરો જીજે ૦૩ સયું ૬૫૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ના રોજ દીકરો માધવ (ઉ.વ.૧૧) વાળો આંબાવાડી સ્કૂલે ગયો હતો અને પત્ની મનીષાબેન તેડવા ગયા હતા બાદમાં પત્નીનો ફોન આવ્યો કે દીકરા માધવનું વિરાટ એક્સપ્રેસ હોટેલ સામે અકસ્માત થયો છે જેથી હોસ્પિટલ ગયા હતા…
અગાઉ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં પ્રિયામણી વન ટુ થ્રી ફોર ગેટ ઓન ધ ડાન્સ ફલોર ગીતમાં સ્પેશ્યલ અપિયરન્સમાં દેખાઇ હતી Mumbai,, તા.૯ રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ળેન્ચાઇઝીના પાંચમાં ભાગમાં અજય દેવગણ, અક્ષય કુમાર, શર્મન જોશી બાદ પ્રિયામણી પણ જોડાઇ છે. ‘ગોલમાલ’ ફાઇવમાં પ્રિયામણી નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. જો કે, ફિલ્મની મુખ્ય હિરોઇન કોણ હશે તે રહસ્ય હજી અકબંધ છે.પ્રિયામણીને રોહિત શેટ્ટીની ફિલ્મમાં મહત્વની ભૂમિકા કરવાનું કામ પહેલીવાર મળ્યું છે. અગાઉ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’માં પ્રિયામણીએ વનટુથ્રીફોર ગેટ ઓન ધ ડાન્સ ફલોર ગીતમાં સ્પેશ્યલ અપિયરન્સમાં દેખાઇ હતી.પ્રિયામણી ટૂંક સમયમાં ‘ધ ફેમિલિ મેન’ની સિઝન થ્રીમાં મનોજ બાજપેયી સાથે જોવા મળશે. પ્રિયામણીે ‘જવાન’, ‘આર્ટિકલ ૩૭૦’ અને ‘ઓફિસર ઓન…
ફિલ્મ દર્શકોને પ્રાણીઓ પ્રત્યેનો ભય અને પૂર્વગ્રહ છોડીને પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવવાનો સંદેશ આપે છે Mumbai, તા.૯ ‘ઓહ માય ગોડ ૨’ના સફળ ડિરેક્ટર અમિત રાય હવે પોતાની નવી ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ ‘ઓહ માય ડોગ’ સાથે દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મનું સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ ૩૧ જુલાઈના રોજ થિએટર્સમાં રિલીઝ થશે.બાબુલાલ બાઈસ્કોપ અને થિંકિંગ હેટ્સ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા અમિત રાય, રાજેશ ભારદ્વાજ અને સના વારસી છે.ફિલ્મમાં માહી રાય, પંકજ ત્રિપાઠી, ગીતા અગ્રવાલ શર્મા, રાજેશ કુમાર, પવન મલ્હોત્રા, સુલાખ્યાના બરુઆ, વિજય મિશ્રા ઉપરાંત ડોગ સ્ટાર્સ ઓસ્કર અને બ્રુનો મહત્વનાં રોલમાં જોવા મળશે.…
અભિનય ઉપરાંત અનન્યા પોતાની ફિલ્મી કારકિર્દી સાથે હાઇ-પ્રોફાઇલ ફેશન કોલબરેશન પણ સફળતાપૂર્વક વધારી રહી છે Mumbai,, તા.૯ અનન્યા પાંડેએ તાજેતરમાં પેરિસમાં યોજાયેલા ફોલ/વિન્ટર ૨૦૨૬ હોટે કુટ્યોરમાં શેનેલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શોમાં હાજરી આપી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખાસ પળોની ઝલક ચાહકો સાથે શેર કરી છે. શેનેલની ભારતની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બાદ આ અનન્યાની પ્રથમ હાજરી હતી.અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેનાં સ્ટાઇલિશ લૂક, ફેશન શોની ઝલક અને પેરિસમાં વિતાવેલી યાદગાર પળો જોવા મળી રહી છે. અનન્યાએ શેનેલનો સંપુર્ણ ડેનિમ લૂક પસંદ કર્યો હતો. તેણે સફેદ ટોપ સાથે ફ્રન્ટ પોકેટવાળું સ્ટ્રક્ચર્ડ ડેનિમ જેકેટ અને…
ફિલ્મના ભવ્ય એક્શન સીનને વધુ અસરકારક બનાવવા માટે અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો Mumbai,તા.૯ બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મનું બજેટ આશરે ૪૫૦ કરોડ સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ રકમમાં ફિલ્મના પ્રિન્ટ અને પબ્લિસિટી ખર્ચ તેમજ શાહરુખ ખાનની એક્ટિંગ ફીનો તો સમાવેશ થતો જનથી.લગભગ ત્રણ વર્ષ બાદ શાહરુખ ખાન મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો હોવાથી ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મે ૨૦૨૫માં શરૂ થયેલું ફિલ્મનું શૂટિંગ…
‘મેડ ઇન ઇન્ડિયાઃ અ ટાઇટન સ્ટોરી’ પછી હવે રતન ટાટા, દોરાબજી અને મેહરબાઈ ટાટા તેમજ જમશેદજી ટાટા પર સિરીઝ બનશે Mumbai, તા.૯ તાજેતરમાં આવેલી વેબ સિરીઝ ‘મેડ ઇન ઇન્ડિયાઃ અ ટાઇટન સ્ટોરી’ની સફળતા બાદ, ટી-સિરીઝ ફિલ્મ્સ અને ઓલમાઇટી મોશન પિક્ચરે તેમની અત્યાર સુધીની સૌથી મહત્ત્વાકાંક્ષી સર્જનાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. બંને મળીને હવે ધ ટાટાઝ નામની પ્રીમિયમ મલ્ટી-સીઝન ડ્રામા સિરીઝ બનાવી રહ્યા છે.આ પ્રતિષ્ઠિત સિરીઝ ગિરીશ કુબેરના એવોર્ડ વિજેતા પુસ્તક ‘ધ ટાટાઝઃ હાઉ અ ફેમિલી બિલ્ટ અ બિઝનેસ એન્ડ અ નેશન’ પર આધારિત છે, જેને પ્રતિષ્ઠિત ગાજા કેપિટલ બિઝનેસ બૂક ઓફ ધ યર એવોર્ડ પણ મળ્યો હતો. આ સિરીઝને એક…
શાસ્ત્રી રાજદીપ જોષી તા ૧૦ જુલાઈ જેઠ વદ અગિયારસ શુક્રવાર ના દિવસે સવારે ૮.૧૫ કલાક થી દશમ તિથિ પૂરી થઈ જાય છે અગિયારસ થી શરૂ થઈ જાય છે જે બીજા દિવસે શનિવારે વેલી વેલી સવાર ના ૫.૨૨ કલાક સુધી એકાદશી તિથિ છે આમ જોઈએ તો શુક્રવારે એકાદશી ક્ષય તીથી છે શુક્રવારે શિવપંથી ની એકાદશી તિથિ છે જ્યારે જ્યોતિષ ના નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે એકાદશી તિથિ બારસના દિવસે વહેલી સવારે ૫૬ ઘડી થી વધારે હોઇ હોય તો વૈષ્ણવો એટલે કે જે લોકોના ઘરમાં કૃષ્ણ ભગવાન પુષ્ટાવેલા હોય છે એકાદશી બરસ ના દિવસે કરવી તેવો નિયમ છે બીજા ઘણા એવા સંપ્રદાય છે…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, ભારત વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, પરંતુ જો નાગરિકોની થાળીમાં પીરસવામાં આવતું ભોજન સલામત ન હોય, તો વિકાસની ચમક ઝાંખી પડી જાય છે. 3 જુલાઈ, 2026 ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્રમાં રજૂ કરાયેલ ખાદ્ય સુરક્ષા ડેટાએ રાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર એફડીએ પાસે 1 જૂન, 2026 સુધીમાં પરીક્ષણ માટે ઉપલબ્ધ 13,474 ખાદ્ય નમૂનાઓનો બેકલોગ હતો. ત્યારબાદ, વિભાગે એક ઝુંબેશ હાથ ધરી અને 7,494 નમૂનાઓનું પરીક્ષણ કર્યું. પરીક્ષણ કરાયેલા 7,494 ખાદ્ય નમૂનાઓમાંથી 4,091 (આશરે 54 ટકા), અથવા લગભગ અડધા, માનવ વપરાશ માટે અયોગ્ય જણાયા. આ આંકડા…
કિશન સનમુખદાસ ભવનાની ગોંડિયા વૈશ્વિક સ્તરે, ભારતમાં, દર વર્ષે જુલાઈ મહિનો લાખો વિદ્યાર્થીઓ અને માતાપિતા માટે એક નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરે છે. નવા વર્ગો, નવા સપના, નવા પુસ્તકો, નવા ગણવેશ અને નવી આશાઓ આ બધા ભેગા થઈને શિક્ષણનો ઉત્સવ બનાવે છે. પરંતુ આ ઉજવણી વચ્ચે, એક સમસ્યા વધુ ઊંડી બનતી જાય છે, જે શિક્ષણના હેતુ પર પ્રશ્ન ઉઠાવે છે. વર્ષોથી ફરિયાદો સામે આવી રહી છે કે દેશની ઘણી ખાનગી શાળાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાલીઓને ચોક્કસ દુકાન અથવા શાળામાંથી જ પુસ્તકો, નોટબુક, ગણવેશ, પગરખાં, બેગ અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા દબાણ કરી રહી છે. આનાથી શિક્ષણનો હેતુ જ્ઞાન પ્રાપ્ત…
