- Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
- Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
- Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
- રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
- વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
- 18 જુલાઈનું પંચાંગ
- 18 જુલાઈનું રાશિફળ
- PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
Author: Vikram Raval
New Delhi,તા.૯ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં આરોપી સોનમ રઘુવંશીને મળેલા જામીનને પડકારતી મેઘાલય સરકારની અરજી પર આગામી સુનાવણી મંગળવારે થવાની છે. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સોનમના જામીન રદ કરવાનો ઇનકાર કર્યો હતો. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન હત્યા કરવામાં આવી હતી. તેમની પત્ની સોનમ અને તેમના સાથીઓ પર હત્યાનો આરોપ છે. જોકે, સોનમ રઘુવંશીએ હવે આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટ મંગળવારે હત્યા કેસમાં તેમની પત્ની સોનમ રઘુવંશીને મળેલા જામીનને પડકારતી મેઘાલય સરકારની અરજી પર સુનાવણી કરશે. હાલ પૂરતું, સોનમ રઘુવંશીના જામીન અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી મંગળવાર, ૧૪…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગુરુવારના રોજ ભારતીય શેરબજારમાં અગાઉના કારોબારી સત્રમાં થયેલા ભારે ઘટાડા બાદ સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ આશરે ૫૦૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ મજબૂત સુધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં સુધારો, એશિયન બજારોની મજબૂત શરૂઆત, નીચા ભાવસ્તરે મૂલ્ય આધારિત ખરીદી અને શોર્ટ કવરિંગના કારણે રોકાણકારોની ભાવનામાં સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, મધ્ય પૂર્વમાં વધતી ભૂરાજકીય અનિશ્ચિતતા અને પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો પહેલાંની સાવચેતીને કારણે બજારમાં દિવસ દરમિયાન વધઘટ ચાલુ રહેવાની સંભાવના છે. સેન્સેક્સમાં અગાઉના દિવસના આશરે ૧૭૦૦ પોઈન્ટના ઘટાડા બાદ આજે મજબૂત સુધારો જોવા મળ્યો હતો.…
છાણીમાં ૮ વર્ષની બાળકી સાથે અને અકોટામાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બે અલગ-અલગ બનાવ; બંને આરોપીઓ ઝડપાયા Vadodara, તા.૯ સંસ્કારી નગરી વડોદરામાં સગીરાઓ પર યૌન અત્યાચારના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. છાણી અને અકોટા વિસ્તારમાં અલગ-અલગ બે આરોપીઓએ સગીરાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના મામલા પોલીસ ચોપડે નોંધાયા છે. બંને કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છાણી પોલીસ મથકમાં નોંધાયેલા બનાવમાં આઠ વર્ષની બાળકી યૌન અત્યાચારનો ભોગ બની છે. છાણી વિસ્તારના નારાયણનગર ગરનાળા સામે રહેતા જગદીશ પુંજાભાઈ ગોહિલ (ઉ.વ. ૫૫), જે વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેની ધરપકડ કરવામાં આવી…
બેંક ખાતા વિરુદ્ધ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૨૨૫ જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું Mehsana, તા.૯ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના બે શખ્સોએ મહેસાણામાં પેઢી બનાવી તેના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોનાં નાણાંની હેરાફેરી કરી હોવાનું ખુલ્યું છે. મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે આ સાયબર ફ્રોડ રેકેટમાં વપરાયેલા ‘મ્યુલ એકાઉન્ટ’નો પર્દાફાશ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા બંને જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોકો સંદિપકુમાર અને તેમની ટીમને કેન્દ્રીય ૧૪ઝ્ર સમન્વય પોર્ટલ પરથી કેટલાક શંકાસ્પદ બેંક ખાતાઓ (મ્યુલ એકાઉન્ટ્સ)ના ઇનપુટ્સ મળ્યા હતા. જેની ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ કરાતાં…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૯ રાજુલા પોલિસ ઇન્સ વી.એમ.કોલાદરાની રાહબારી હેઠળ રાજુલા પોલિસની સર્વેલન્સ ટીમ દ્વારા રાજુલા પોલિસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૩૭ (૨), ૮૭ તથા પોકસો એકટ ની કલમ ૧૮ મુજબનો ગુન્હો આચરી રાજુલાના દુર્લભ નગરમાં રહેતા આરોપી સુનીલ રમેશભાઇ સોલંકી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ ભાગી ગયેલ હોય, અને સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને લઇ રાજુલા પોલિસની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમન સોર્સ આધારે આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની ધોરણસર કાર્યવાહીહાથ ધરવામાં આવેલ છે.
તા.10-07-2026 શુક્રવાર તિથિ દશમી (દશમ) – ૦૮ઃ૧૮ઃ૪૯ સુધી, એકાદશી (અગિયારસ) – ૨૯ઃ૨૫ઃ૦૮ સુધી નક્ષત્ર ભરણી – ૧૩ઃ૧૬ઃ૦૬ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૦૮ઃ૧૮ઃ૪૯ સુધી, ભાવ – ૧૮ઃ૫૫ઃ૩૫ સુધી પક્ષ કૃષ્ણ યોગ ધૃતિ – ૦૭ઃ૧૪ઃ૨૧ સુધી, શૂળ – ૨૭ઃ૫૦ઃ૨૪ સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૩૦ઃ૧૮ સૂર્યાસ્ત ૧૯ઃ૨૨ઃ૧૧ ચંદ્ર રાશિ મેશ – ૧૮ઃ૪૫ઃ૪૭ સુધી ચંદ્રોદય ૨૫ઃ૪૮ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૫ઃ૧૩ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૬ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ ૧૩ઃ૫૧ઃ૫૨ અશુભ સમય દુર મુહુર્ત ૦૮ઃ૧૬ઃ૪૧ થી ૦૯ઃ૧૨ઃ૦૯ ના, ૧૨ઃ૫૩ઃ૫૯ થી ૧૩ઃ૪૯ઃ૨૬ ના…
(નયના દવે દ્વારા) Jamnagar તા.9 Jamnagar જિલ્લા ના જામજોધપુર પંથક માં દારૂ નો કેસ નહિ કરવા બાબતે લાંચ માં ઝડપાયેલા બે પોલીસ કર્મચારી ને એક વર્ષ ની કેદ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે. આ કેસ થી બચવા માટે લાંચ ના પૈસા નહિ પરંતુ વાહન મરામત ના ગેરેજ વાળા ના પૈસા આવવાના હોવા.નું પણ ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી વકીલને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી ને સજા નો હુકમ થયો છે. જામજોધપુર માં રહેતા અજય મનસુખલાલ સુરેજા તારીખ ૬/૧/૨૦૧૩ ના જામજોધપુર પંથકમાંથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારી નારણભાઈ વિરમભાઈ ગઢવી અને લખુભા ગંભીરસિંહ રાઠોડ એ…
તા.10-07-2026 શુક્રવાર મેષ આજે ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. મહત્વપૂર્ણ કાર્યો ને સમય ન આપવો અને વ્યર્થ કાર્યો માં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. વૃષભ આજનો દિવસ એવો દિવસ છે જ્યારે તમે આરામ કરી શકશો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. આજે તમે…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૯ Jamnagar સેશન્સ કોર્ટે ચેક રિટર્ન (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮) સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં કાલાવડ કોર્ટે આપેલો ચુકાદો યથાવત રાખ્યો છે. કેસની હકીકત મુજબ, કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના ખેડૂત મનસુખભાઈ ઘાડીયાએ વેપારી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને પ્રતિ મણ રૂ. ૧,૦૦૦ના ભાવે કુલ ૩,૦૦૦ મણ કપાસનું વેચાણ કર્યું હતું. જેના બદલામાં વેપારીએ રૂ. ૩૦,૦૦,૦૦૦નો ચેક આપ્યો હતો. પરંતુ બેંકમાં રજૂ કરતાં ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઘાડીયાએ કાલાવડ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ કાલાવડ કોર્ટે આરોપી રમેશભાઈ પોપટભાઈ વાડોદરિયાને એક વર્ષની સાદી કેદ તથા રૂ. ૪૫,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો…
New Delhi,તા.૯ નવી દિલ્હીના હોટેલ તાજ પેલેસ ખાતે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય હિસ્સેદાર સલાહ-૨૦૨૬ દરમિયાન, ઝારખંડ સરકારે રાજ્યના ડિજિટલ પરિવર્તનને વેગ આપવા અને ઝારખંડને જાહેર વહીવટ-આધારિત કૃત્રિમ બુદ્ધિ ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બનાવવાના હેતુથી એક વ્યાપક રોડમેપ રજૂ કર્યો. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ આ વિઝનનો ઉદ્દેશ્ય શાસન, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ અને નાગરિક સેવાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરીને પારદર્શક, ઝડપી, જવાબદાર અને ડેટા-આધારિત નિર્ણય-નિર્માણ પ્રણાલી વિકસાવવાનો છે, જેથી સામાન્ય જનતાને ગુણવત્તાયુક્ત, અસરકારક અને સુલભ સરકારી સેવાઓ પૂરી પાડી શકાય. આ પ્રસંગે, રાજ્ય સરકારે પ્રસ્તાવિત ઝારખંડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નીતિ ૨૦૨૬-૨૦૩૧ ની રૂપરેખા પણ રજૂ કરી. આ નીતિ શાસન,…
