- સલમાન બાદ હવે Aamir Khan ને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી
- પુત્ર રાજવીરને ચમકાવવા સની દેઓલ Arjun 2 બનાવશે
- Humaar Qureshi સાથે ઓક્ટોબરમાં લગ્નની વાત Rachit Singh નકારી
- બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો Sohail Khan
- Rohit-Kohliની નિવૃત્તિની અટકળો વચ્ચે Ameesha Patel એ સમર્થનમાં નિવેદન આપ્યું
- Rohit Sharma નું રમવાનું ચાલુ જ રહેશે : નિવૃત્તિની વાત ફગાવતુ ક્રિકેટ બોર્ડ
- ક્રિકેટનાં સૌથી દિગ્ગજ અને ઓલરાઉન્ડર હતાં Sobers
- FIFA World Cup : કાલે આર્જેન્ટીના-સ્પેન વચ્ચે ફાઇનલ : આજે નંબર-3નો જંગ
Author: Vikram Raval
કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા વૈશ્વિક સ્તરે, ભારતને સદીઓથી માતૃશક્તિની પૂજા કરતી સંસ્કૃતિ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રો કહે છે, “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:,” જેનો અર્થ થાય છે, “જ્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે, ત્યાં દેવતાઓ વાસ કરે છે.” પરંતુ વિડંબના એ છે કે કેટલાક લોકોએ આધુનિક વિજ્ઞાનમાં પ્રગતિનો દુરુપયોગ કરીને સ્ત્રી ભ્રૂણ હત્યાના અમાનવીય ગુનાને જન્મ આપ્યો છે. ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે રચાયેલ અલ્ટ્રાસોનોગ્રાફી જેવી ટેકનોલોજીનો ઉપયોગ હવે ગર્ભના લિંગને ગેરકાયદેસર રીતે નક્કી કરવા અને જન્મ પહેલાં તેમના જીવનનો અંત લાવવા માટે થઈ રહ્યો છે. આ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ બંધારણ, માનવ અધિકારો, મહિલા ગૌરવ…
Mumbai,તા.09 બોલિવૂડ અને બંગાળી ફિલ્મોના જાણીતા સહ-અભિનેતા રાજેશ શર્મા હાલમાં પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. એક ફિલ્મના શૂટિંગ સેટ પર તેમને કોઈ ઝેરી કીડાએ ડંખ માર્યો છે, જેના કારણે તેમની તબિયત સતત બગડતી ગઈ હતી. હાલતમાં સુધારો ન થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને હાલ તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.બંગાળી અભિનેત્રી સુદીપા ચેટર્જીએ 8 જુલાઈએ એક પ્રેસ નોટ જાહેર કરીને, આ દુર્ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજેશ શર્મા હૈદરાબાદમાં પ્રભાસની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન શૂટિંગ સેટ પર જ એક કીડાએ તેમના પગમાં બચકું ભરી…
શ્રીલીલા ફિલ્મના સેટ પર આવતીજતી જોવા મળીપુષ્પા ટુમાં અલ્લુ અર્જુન અને શ્રીલીલાનો ડાન્સ દર્શકોમાં હીટ પુરવાર થયો હતો Mumbai.તા.09 એટલીની ફિલ્મ ‘રાકા’માં અલ્લુ અર્જુન અને દિપિકા પદુકોણની જોડી પહેલીવાર સાથે કામ કરી છે. હવે ફિલ્મના સેટ પર શ્રીલીલાની આવનજાવન વધી હોવાને કારણે આ ફિલ્મમાં શ્રીલીલા પણ જોડાઇ હોવાની અટકળો તેજ બની છે. બીગ બજેટની આ સાયફાય એક્શન ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.’પુષ્પા ટુ’માં શ્રીલીલા અને અલ્લુ અર્જુનના ડાન્સે ધમાલ મચાવી દીધી હતી.તાજેતરમાં ફિલ્મના હીરો અલ્લુ અર્જુનના જન્મદિને શુભેચ્છા આપતાં ફિલ્મનું પોસ્ટર શેર કરતાં શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં મહેમાન કળાકાર તરીકે જોવા મળશે તેવી અટકળો પણ ચાલી છે.…
દાદા ફિલ્મનું પોસ્ટર રજૂ થતાં જ ટીકાનો મારોગાંગુલીનો ઐતિહાસિક શર્ટલેસ પોઝ એઆઈથી જનરેટ કરાયોઃ ફિલ્મ આગામી વર્ષે મેમાં આવશે Mumbai,તા.09 ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પર આધારીત ફિલ્મ ‘દાદાઃ ધ સૌરવ ગાંગુલી’ સ્ટોરીનું પોસ્ટર જારી કરવામાં આવતાં જ આ ફિલ્મમાં હીરો તરીકે રાજકુમાર રાવ મીસફિટ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.ઘણાં એ આ વિષય પર ફિલ્મ બની રહી છે તે બાબતને આવકારી છે પણ ઘણાં સૌરવ ગાંગુલી તરીકે રાજકુમાર રાવને સ્વીકારતાં અચકાઇ રહ્યા છે. ફર્સ્ટ લુકમાં રાજકુમાર રાવના અપિયરન્સથી દર્શકો ખુશ નથી. આ પોસ્ટરમાં દાદા તરીકે રાજકુમાર રાવને એઆઇ દ્વારા રંગરોગાન કરવામાં આવ્યા હોવાનું દર્શકોને લાગે છે.ફિલ્મના પોસ્ટરમાં…
Mumbai,તા.9 સલમાન ખાન પોતાની અદાકારીની સાથે-સાથે ફિટનેસ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેઓ પોતાની આગામી ફિલ્મ ’માતૃભૂમિ’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન સલમાન કેટલીક આરામદાયક પળો વિતાવતા જોવા મળ્યાં, જ્યાં તેઓ મુંબઈનાં ખુશનુમા હવામાનની મજા માણી રહ્યાં છે. સલમાન ખાને પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેમની ફિટનેસ જોઈને ફેન્સ દંગ રહી ગયાં છે. સલમાન ખાન પોતાનાં બાઈસેપ્સ ફ્લોન્ટ કરતાં જોવા મળી રહ્યાં છે. તસવીરમાં જોઈ શકાય છે કે વરસાદની ઋતુ છે, આસપાસ હરિયાળી છે. સલમાન ખાન ખુરશી પર બેસીને આરામ ફરમાવી રહ્યાં છે. તેઓ માથા પર…
Mumbai,તા.09 અભિનેતા આમિર ખાને પોતાની પત્ની ગૌરી સ્પ્રેટે માટે હીરાની પરંપરાગત પસંદગી છોડીને એક ભવ્ય અને રાજવી લુક ધરાવતી માણેક (રૂબી)ની વીંટી ભેટમાં આપી છે. આ કપલે 5 જુલાઈના રોજ મુંબઈમાં પોતાનાં ઘરે જ ખૂબ જ સાદગીભર્યા વાતાવરણમાં લગ્ન કર્યા હતા અને આ નવી શરૂઆતને યાદગાર બનાવવા માટે આમિરે આ ખાસ વીંટી પસંદ કરી છે, જેને બનાવનારી બ્રાન્ડના જણાવ્યાં મુજબ આ માણેક લાખોમાં એક છે. આમિર ખાને આ ખાસ જ્વેલરી માટે ’ક્વીન્સ’ બ્રાન્ડની મદદ લીધી હતી, જેમાં તે પોતે પણ એક વ્યૂહાત્મક રોકાણકાર (સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર) છે. આ અતિ દુર્લભ કિંમતી પથ્થર એટલે કે માડાગાસ્કર રૂબીને શોધવા માટે આ જ્વેલરી બ્રાન્ડની…
London, તા. 9 ભારતીય ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આગામી ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ માટે સમય કરતાં વહેલાં લંડન પહોંચી ગયાં છે. 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થઈ રહેલી આ સિરીઝ માટે રોહિતે ત્યાંની સ્થાનિક ક્લબો, જેવી કે સ્લો ક્રિકેટ ક્લબ અને સ્વિનકોમ્બ ક્રિકેટ ક્લબ ખાતે પોતાનાં મિત્રો અને સ્થાનિક બોલરો સાથે જોરશોરથી નેટ પ્રેકિ્ટસ સેશન શરૂ કરી દીધાં છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર વનડે ફોર્મેટ રમી રહેલાં 39 વર્ષનાં રોહિત શર્મા, ઇંગ્લેન્ડની મુખ્ય ટીમ સાથે જોડાતા પહેલાં ત્યાંની સ્થાનિક પરિસ્થિતિઓ અને વાતાવરણથી સંપૂર્ણ રીતે અનુકૂળ થવા માંગે છે. રોહિત શર્માનો ઇંગ્લેન્ડની ધરતી પર વનડે રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો…
London,તા. 9 બ્રિટનનાં 23 વર્ષીય આર્થર ફેરીએ વિંબલ્ડન 2026માં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખતાં મોટો ઉલટફેર કર્યો છે. તેણે મેન્સ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ફ્રેન્ચ ઓપનના રનર-અપ ફ્લેવિયો કોબોલીને સીધાં સેટોમાં 6-4, 7-6(4), 6-0 થી કારમી માત આપીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વાઇલ્ડ કાર્ડ દ્વારા ટૂર્નામેન્ટમાં એન્ટ્રી મેળવનારા આ ખેલાડીની જીતે ટેનિસ જગતમાં ચર્ચા જગાવી દીધી છે. આ ઐતિહાસિક જીતની સાથે જ આર્થર ફેરી વિંબલ્ડનના ઇતિહાસમાં સેમિફાઇનલ સુધી પહોંચનારો દુનિયાનો બીજો વાઇલ્ડ કાર્ડ ખેલાડી બની ગયો છે. આ પહેલાં વર્ષ 2001માં ક્રોએશિયાના દિગ્ગજ ગોરાન ઇવાનિસેવિચે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા સેમિફાઇનલમાં પહોંચીને ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત, ફેરી ‘ઓપન એરા’માં…
New Delhi, તા.9 ફિફા વર્લ્ડ કપ 2026 ના આ સૌથી મોટા મુકાબલામાં ‘એટલસ લાયન્સ’ તરીકે ઓળખાતી મોરોક્કોની ટીમ પોતાનાં અભેદ્ય ડિફેન્સના જોરે નવો ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. મોરોક્કોની ટીમ પોતાની છેલ્લી 13 મેચોથી સતત અજેય રહી છે અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને અહીં સુધી પહોંચી છે. આજે રાત્રે 1ઃ30 વાગ્યે રમાનારા આ ક્વાર્ટર ફાઇનલ જંગમાં તેમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલા કુલ 6 મુકાબલામાં ફ્રાન્સે 4 મેચ જીતી છે અને 2 મેચ ડ્રો રહી છે, એટલે કે મોરોક્કો હજુ સુધી ફ્રાન્સ સામે એક પણ મેચ જીતી શક્યું નથી.…
Bristol,તા. 9 પોતાની સૌથી મોટી હાર અને બીજા સૌથી ઓછા સ્કોર પર આઉટ થયાં બાદ ટીમ ઈન્ડિયાની શાખ દાવ પર છે. વિશ્વ ચેમ્પિયન ટીમને જો છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર સતત બે સિરીઝ હારવાથી બચવું હોય, તો આજે ઇંગ્લેન્ડ સામે ચોથી ટી-20 મેચમાં જીતવું જ પડશે. આ માટે તેના બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવવો પડશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડની મુશ્કેલ પરિસિ્થતિઓમાં ઢળવા માટે સંઘર્ષ કરી રહી છે. જો ટીમ આ મેચ હારી જશે, તો 2018-19 પછી પહેલીવાર સતત બે સિરીઝ પણ ગુમાવશે. ત્રીજી મેચમાં ટીમ 202 રનના લક્ષ્યનો પીછો કરતા માત્ર 76 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. માત્ર ત્રણ બેટ્સમેનો જ ડબલ…
