- Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા
- હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ
- હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’ : હજારો જુના કેસ રદ
- CM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambli ના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા
- Kashmir સરહદે ગોળીબાર : ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
- હવે ખાનગી કંપનીઓને Medical Colleges ખોલવા મંજુરી : નફો કરી શકશે
- વડાપ્રધાનના હસ્તે વંદેમાતરમ લખાયેલુ Post Card પણ રોકેટ સાથે અવકાશમાં પહોંચ્યું
- દેશના પ્રથમ ખાનગી રોકેટ Vikram-1 નું સફળતાપૂર્વક લોન્ચીંગ
Author: Vikram Raval
New Delhi,તા.૮ દિલ્હી સરકાર રક્ષાબંધન નિમિત્તે રાજ્યની મહિલાઓને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. દિલ્હી સરકાર ’Women’s prosperity scheme’ શરૂ કરશે, જેના હેઠળ આર્થિક રીતે નબળી મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે. સરકાર લાયક મહિલાઓના બેંક ખાતામાં સીધા દર મહિને ૨,૫૦૦ ટ્રાન્સફર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વાકાંક્ષી યોજના ૨૮ ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. દિલ્હી સરકારે આ યોજનાને અમલમાં મૂકવા માટે જરૂરી તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે. એક ઓનલાઈન નોંધણી પોર્ટલ બનાવવામાં આવ્યું છે. પાત્રતા માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭ માં આ યોજના માટે ૫,૧૧૦ કરોડ રૂપિયાનું…
નિર્ભય, અથાક અને બિનસમાધાકારી એવી શિવાની શિવાજી રોય ભારતીય સિનેમાનાં અનેક અત્યંત યાદગાર અને પ્રશંસાપાત્ર પાત્રમાંની એક બની Mumbai, તા.૮ રાની મુખર્જીના નેજા હેઠળ ભારતની અત્યંત વખણાયેલી મહિલા પોલીસ ળેંચાઇઝીની ત્રીજી ફિલ્મ મર્દાની ૩નું ૧૮ જુલાઇના રોજ રાત્રે ૮ કલાકે સોની મેક્સ પર પ્રીમિયીર થશે. દેશભરનાં દિલ જીતી લીધા બાદ અને વર્ષનાં સૌથી વધુ ચર્ચાયેલા થ્રીલરમાંની એક મર્દાની ૩ હવે ટેલિવીઝન પર પોતાનાં સૌથી મોટા પ્રેક્ષકગણ સમક્ષ આવી રહી છે. નિર્ભય, અથાક અને બિનસમાધાકારી એવી શિવાની શિવાજી રોય ભારતીય સિનેમાનાં અનેક અત્યંત યાદગાર અને પ્રશંસાપાત્ર પાત્રમાંની એક બની ગઈ છે. ન્યાયમાં તેની હિંમત, મક્કમતા અને અડગતા એવા પ્રકારની નક્કર સ્ટોરીટેલીંગનો…
New Delhi તા.૮ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalનું ભૂતપૂર્વ સત્તાવાર નિવાસસ્થાન, જેને ભાજપે વિવાદ દરમિયાન ’શીશ મહેલ’ નામ આપ્યું હતું, તે ટૂંક સમયમાં એક ભવ્ય રાજ્ય અતિથિ ગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્રમાં રૂપાંતરિત થવા જઈ રહ્યું છે. દિલ્હી સરકારના સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ આપી છે કે જાહેર બાંધકામ વિભાગ અને ઉચ્ચ-સ્તરીય સરકારી અધિકારીઓએ યોજનાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. દિલ્હીના સિવિલ લાઇન્સ સ્થિત ૬, ફ્લેગસ્ટાફ રોડ પરનો આ બંગલો અરવિંદ કેજરીવાલે નિવાસસ્થાન ખાલી કર્યા પછી ખાલી પડ્યો છે. હવે, આ બંગલોનો ઉપયોગ અન્ય રાજ્યો માટે ’ભવન’ અથવા ’ગેસ્ટ હાઉસ’ તરીકે કરવામાં આવશે. વિવિધ રાજ્યોના મંત્રીઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓ અને દિલ્હીની મુલાકાતે આવતા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૮ Jamnagar તાલુકાના નવી મોખાણા ગામ પછી હવે દીપડો ખીમલીયા ગામમાં દેખાયા ની ફરિયાદ ગ્રામજનો એ કરતાં વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જો કે દીપડા ની અવરજવર અંગે સતાવાર કોઈ ફુટમાર્ક મળ્યા નથી. નવી મોખાણા માંથી પાંજરા દૂર કરાયા છે. જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો. આથી વનવિભાગની તપાસમાં દીપડા ના ફુટમાર્ક મળી આવ્યા હતા. આથી દીપડાને પકડવા વનવિભાગ દ્વારા ગામની સીમમાં બે સ્થળે મારણ સાથે પાંજરા મૂકવામાં આવ્યા હતાં. આ દરમ્યાન, દીપડો પાંજરા પાસે આવ્યો હતો, અને ટ્રેપ કેમેરો તોડી નાસી ગયો હતો. જો કે, છેલ્લા બે-ત્રણ…
Bangladesh,તા.૮ એશિયા કપ ૨૦૨૭ના આયોજન અંગે મુખ્ય વિગતો બહાર આવી છે, જે એશિયાની સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધાઓમાંની એક છે. જો બધું આયોજન મુજબ ચાલશે, તો આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ આવતા વર્ષે બાંગ્લાદેશમાં યોજાશે. ટુર્નામેન્ટની સંભવિત તારીખો પણ જાહેર કરવામાં આવી છે, અને ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે ત્રણ મુખ્ય શહેરોની પસંદગી કરવામાં આવી છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ૨૦૨૭ એશિયા કપ ૧૮ જૂનથી ૪ જુલાઈ, ૨૦૨૭ દરમિયાન બાંગ્લાદેશમાં યોજાશે. ઢાકામાં મીરપુર, ચિત્તાગોંગ અને સિલ્હટને સંભવિત યજમાન શહેરો તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સુરક્ષા સમિતિના અધ્યક્ષ સૈયદ ઇબ્રાહિમ અહેમદે જણાવ્યું હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલએ આ ત્રણ સ્ટેડિયમો અંગે વિગતવાર માહિતી…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૮ Jamnagar શહેરના પાણાખાણના નાકા રોડ વિસ્તારમાં પુઠા ભરવાની સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં બંને પક્ષોએ એકબીજા સામે સામસામી ફરિયાદ નોંધાવતા સીટી ’સી’ ડિવિઝન પોલીસ સ્ટેશને કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પ્રથમ ફરિયાદમાં ફરિયાદી વિજય માલજીભાઈ વાઘેલાએ પ્રવીણ ચનાભાઈ પરમાર, શિવા ચનાભાઈ પરમાર, દેવાંગ રામજીભાઈ પરમાર અને વિજય ચનાભાઈ પરમાર સામે ગાળાગાળી, ઢીકાપાટુનો માર મારવા, લાકડાના ધોકાથી ઈજા પહોંચાડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ જાહેરનામાનો ભંગ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.જ્યારે સામસામી નોંધાયેલી બીજી ફરિયાદમાં ફરિયાદી પ્રવીણ ચનાભાઈ પરમારે વિજય માલજીભાઈ વાઘેલા, વિજય ડાયાભાઈ વાઘેલા, વિશાલ નાથાભાઈ વાઘેલા…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૮ Jamnagar શહેર ની ઠેબા ચોકડી થી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમ ના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન દરમ્યાન સિટી એ ડિવિઝન ની સર્વલન્સ ટીમએ જી.જે.૦૬.ઇ.કયુ.૨૩૧૫ નંબરની વ્હાઇટ વેગેનઆર કારને આંતરીને તલાશી લેતાં કાર ના ચોરખાનામાંથી પોલીસે રૂા.૫૬,૪૦૦ની કિંમતની ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ અને રૂા.૧૦ હજાર ની કિંમત ના ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ કિંમત રૂા.૩૦,૦૦૦ અને રૂપિયા ૦૫ લાખ ની કિંમતની મારૂતિ સુઝુકી કંપની ની વેગેનઆર કાર સાથે વિનોદ નાનજીભાઇ દામા (ઉ.વ.૩૮,…
New Delhi,તા.૮ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં, ટીમ ઈન્ડિયા તેની પહેલી જીત માટે ઝંખી રહી છે, પરંતુ ટીમનું પ્રદર્શન વધુને વધુ ખરાબ થઈ રહ્યું છે. ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની ત્રીજી મેચમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે, ઇંગ્લેન્ડે ૨-૦ થી નિર્ણાયક લીડ મેળવી લીધી છે. આ હાર સાથે, શ્રેયસને ટી ૨૦ ક્રિકેટના ઇતિહાસમાં બીજા કોઈ કરતા અલગ કલંકિત ગણાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અનિશ્ચિત સ્થિતિમાં છે, તે કેવી રીતે જીતવું તે સમજી શકતી નથી. ત્રીજી મેચ પહેલાની બે મેચમાં, ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને લગભગ ૧૯૦ રન બનાવ્યા. જ્યારે પહેલી મેચ…
લગ્ન બાદ પતિએ પત્ની તરીકેનો દરજ્જો ન આપ્યાનો આક્ષેપ, સાસુ-સસરા, નણંદ અને દિયર પર મારકૂટ તથા ગાળાગાળીના આરોપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૮ Jamnagarના મહિલા પોલીસ મથકે નગરની એક પરિણીતાએ પોતાના પતિ સહિત પાંચ સાસરિયાં વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ જામનગરના ખોજા ચકલો વિસ્તારમાં રહેતી શબીનાબેનના નિકાહ તા. ૧૩ મે ૨૦૨૪ના રોજ પોરબંદરના મહમદહુશેન યુનુશભાઈ ધામણીયા સાથે મુસ્લિમ શરીયત મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ પોરબંદરમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નના થોડા સમય બાદથી…
New Delhiતા.૮ નોટિંગહામમાં ત્રીજી ટી ૨૦ માં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ સ્વપ્નથી ઓછી નહોતી. ૨૦૨ રનના લક્ષ્યનો પીછો કરતા, ભારતીય ટીમે પ્રથમ પાંચ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી દીધી, જેનાથી ટી ૨૦ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ બન્યો જે પહેલાં ક્યારેય બન્યો ન હતો. ટોસ જીત્યા પછી, ભારતીય કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે ફિલ સોલ્ટની શાનદાર અડધી સદીની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૦૧ રન બનાવ્યા. જવાબમાં, ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ, અને પાંચ બેટ્સમેન પ્રથમ પાંચ ઓવરમાં ૫૨ રનમાં આઉટ થઈ ગયા. આનાથી ટીમ ઈન્ડિયા માટે શરમજનક રેકોર્ડ બન્યો. ટી૨૦ ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર છે…
