- એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
- Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
- 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
- હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
- પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
- હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
- BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
- જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
Author: Vikram Raval
નડિયાદની ભૂમિ તપસ્વી અવધૂત પૂ. સંતરામજી મહારાજની પાવન ચેતના સભર જ્યોતિ તો છે જ પરંતુ લોખંડી એકતાના જનક એવા સરદારની જન્મભૂમિ પણ ખરી!તો વળી સરસ્વતીચંદ્ર જેવી પોંખણા કરવા લાયક નવલકથાના સર્જક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની પણ પાવન અવતરણ ભૂમિ છે.અહીં પુ. મોરારિબાપુનો રાજીપો કથાના સ્વરૂપે તારીખ 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન સતત અમીછાંટણા કરતો રહ્યો. આ ભૂમિ ઉપર સંતરામજી મહારાજે ચેતન સમાધિ લઈને એક નવી ઊંચાઈ સુધી તપસ્થલીને લઈ જવાનો પ્રયત્ન તો કર્યો પણ સાથોસાથ અનેક પ્રકલ્પોના માધ્યમથી માનવમાં પ્રભુના દર્શન કરી શકાય તેવા સેવા કાર્યો આજે પણ સતત ધબકી રહ્યા છે. લગભગ 12 દિવસ સુધી ચાલનારો 194 મો સમાધિ મહોત્સવ…
Morbi,તા.10 મેડીકલ કોલેજ ગેટ પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો જે ચોરીના બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબીની ફૂલછાબ કોલોનીમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા (ઉ.વ.૩૩) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧-૦૧ ના સવારથી સાંજ સુધી ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એએ ૩૯૩૭ કીમત રૂ ૩૦,૦૦૦ વાળું રેલ્વે સ્ટેશન પાસે મેડીકલ કોલેજ ગેટ પાસે પાર્કિંગમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Morbi,તા.10 ખાનપર ગામે વાડીની ઓરડીમાં ૫૮ વર્ષીય પૌઢ કોઈ કારણોસર જાત જલાવી લેતા આખા શરીરે દાઝી જતા મોત હતું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી બાબુભાઈ માવજીભાઈ પરમાર (ઉ.વ.૫૮) વાળાએ પોતાની વાડીની ઓરડીમાં પોતાની જાતે શરીરે જ્વ્વ્લંતશીલ પદાર્થ છાંટી આગ ચાપી શરીરે બળી જતા પૌઢનું મૃત્યુ થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
Morbi,તા.10 વિસીપરા વિજયનગર મેઈન રોડ પરથી પોલીસે રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૯૦ બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ અને રીક્ષા સહીત ૮૨,૬૯૦ નો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિજયનગર મેઈન રોડ પરથી સીએનજી રીક્ષાને આંતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૯૦ બોટલ કીમત રૂ ૫૭,૬૯૦ મળી આવીહતી જેથી પોલીસે રીક્ષા અને દારૂ સહીત ૮૨,૬૯૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી જાવેદ ઉમર જેડા રહે કુલીનગર વિસીપરા મોરબી વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી સાજીદ કાદર લધાણીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
Morbi,તા.10 વાઘપરામાં રહેતા ડોક્ટર પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી રોકડ રૂ ૨.૯૦લાખ અને ૧.૪૫ લાખની કિમતના દાગીના સહીત કુલ રૂ ૪.૩૫ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબીના વાઘપરા શેરી નં ૦૮ માં રહેતા ડો. રવિભાઈ મોરારજીભાઈ કણઝારીયા (ઉ.વ.૩૭) અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૬ ના રોજ સાંજના છએક વાગ્યે ફરિયાદી ડોક્ટર, તેના પત્ની અને દીકરો એમ પરિવારના સભ્યો લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ઘરે તાળું માર્યું હતું અને તા. ૦૮ ના રોજ સવારના કાકાના દીકરા…
Morbi,તા.10 માળિયા (મી.) તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોદામમાંથી સરકારી અનાજના જથ્થાની ચોરી કરનાર બે ઇસમોને માળિયા પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે માળિયા (મી.) પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચાચાવદરડા ગામની સીમમાં આવેલ સરકારી ગોદામમાંથી અમુક ઈસમો સરકારી અનાજનો જથ્થો ચોરી કરી તેનું વેચાણ કરી આર્થિક લાભ મેળવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સરકારી અનાજનો ઘઉં, ચોખાના જથ્થા સાથે આરોપી શિવરાજસિંગ કાલીયારન ભૂરેલાલ રાજપૂત અને રાહુલ પુજારામ ભોસુરામ રાજપૂત રહે બંને મધ્યપ્રદેશ વાળાને ઝડપી લીધા હતા ઝડપાયેલા બંને ઈસમોની પૂછપરછ કરતા ત્રણથી ચાર વખત સરકારી ગોદામમાંથી અનાજનો જથ્થો ચોરી કરી…
Morbi,તા.10 મકનસર (પ્રેમજીનગર) ગામે રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું આપઘાતના બનાવ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મોરબી તાલુકાના મકનસર (પ્રેમજીનગર) ના રહેવાસી જયશ્રીબેન કિશનભાઈ જોષી (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ગત તા. ૦૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મૃતકનો લગ્નગાળો ૩ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
આજે આપણે ભગવાન પરશુરામ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.બ્રહ્માજીના પૂત્ર રાજા કુશના ચાર પૂત્રોમાં કુશનાભ બીજા નંબરના પૂત્ર હતા.રાજા કુશનાભે પૂત્ર પ્રાપ્તિ માટે પૂત્રેષ્ટિ યજ્ઞ કર્યો જેના ફળ સ્વરૂપે ગાધિ નામના પરમ ધર્માત્મા પૂત્ર થયા.રાજા ગાધિની સત્યવતી નામની એક કન્યા હતી જેને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિ સાથે પરણાવી હતી. “તમામ લોકો લગ્ન કરીને સાંસારીક સુખ ભોગવતા હોય છે પરંતુ ઋચિક લગ્ન પછી પણ પોતાની પત્ની સત્યવતીને સાથે રાખીને પ્રભુ ભક્તિ અને તપમાં લાગેલા રહે છે.એકવાર સત્યવતી કહે છે કે મારે સાંસારીક સુખ ભોગવવું છે ત્યારે ઋચિક કહે છે તમે સુંદરતાની મૂર્તિ છો,તમારૂં રૂપ જોઇને હું ગાંડો થયો હતો. હું સૌદર્યનો ઉપાસક છું ભક્ષક નથી. ત્યારે સત્યવતી વિનંતી કરે છે કે…
કેવડાવાદી, આકાશદીપ સોસાયટી, શક્તિ સોસાયટી, શીતલ પાર્ક અને નવાગામ મળી રૂ ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે Rajkot,તા.08 શહેર પોલીસે બુટલેગરો પર ધોંસ બોલાવી, કેવડાવાડીમાં , નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં , કુવાડવા ગામે અને શીતલ પાર્ક નજીક વિદેશી દારૂના દરોડા પાડી,વિદેશી દારૂની ૨૩૭ બોટલ અને ૨૪ બિયર ના ટીન મળી રૂ.૧.૦૩ લાખાના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને ઝડપી લીધા છે.બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના કેવડાવાડી શેરી નંબર ૪/ ૨૨ માં રહેતો છત્રસિંહ પથુભા ઝાલા નામનો શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી બાતમીના આધારે ટીમે મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૧૧૫ બોટલ અને મોબાઈલ મળી, રૂ ૮૨ હજારના…
