Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 4 જુલાઈનું રાશિફળ
    • 4 જુલાઈનું પંચાંગ
    • World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3
    • તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે
    • Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Rajkot: ડૂમિયાણી ગામેં જુગારના પાટલા પર દરોડો: 10 ઝબ્બે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Chaitri Navratri: પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના
    ધાર્મિક

    Chaitri Navratri: પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના

    Vikram RavalBy Vikram RavalApril 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા

    શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની...

    નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.આવો આજે નવરાત્રીના પાંચમા દિવસે જેની ઉપાસના કરવામાં આવે છે તે સ્કન્દમાતાના સ્વરૂપ વિશે ચિંતન કરીએ. ધર્મશાસ્ત્રોમાં નવરાત્રી-પૂજનના પાંચમા દિવસને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે.વ્યવહારમાં સંતાનને જન્મ આપ્યા પછી દરેક સ્ત્રી સ્કંદમાતાનું રૂપ બની જાય છે..

    ર્માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંન્દમાતા તરીકે ઉપાસના કરવામાં આવે છે.ભગવાન સ્કંન્દ કાર્તિકેય નામથી ઓળખાય છે.કાર્તિકેય દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા.પુરાણોમાં તેમને કુમાર અને શક્તિધર કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમનું વાહન મોર છે.ભગવાન સ્કંન્દની માતા હોવાના કારણે ર્માં દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંન્ધ માતાના નામથી જાણવામાં આવે છે.તેમની ઉપાસના નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે.આ દિવસે સાધકનું મન વિશુદ્ધ-ચક્રમાં અવસ્થિત હોય છે.આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની તમામ બાહ્યક્રિયાઓ તથા ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે અને તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપની તરફ આગળ વધી રહ્યા હોય છે.તેમનું મન તમામ લૌકિક સાંસારીક માયિક બંધનોથી વિમુક્ત થઇને પદ્માસના સ્કંન્ધમાતાના સ્વરૂપમાં તલ્લિન થઇ જાય છે.આ સમયે સાધકે પૂર્ણ સાવધાનીની સાથે ઉપાસના કરવી જોઇએ.પોતાની તમામ ધ્યાનવૃત્તિઓ એકાગ્ર કરીને સાધનાના માર્ગ ઉપર આગળ વધવું જોઇએ.તેમના ચિત્ર કે મૂર્તિમાં જોઇએ તો ભગવાન સ્કંન્દજી બાળકરૂપમાં તેમના ખોળામાં બેઠેલા હોય છે..

    સ્કંન્દમાતૃસ્વરૂપિણી દેવીને ચાર હાથ છે.તેમના જમણી તરફના ઉપરના હાથથી ભગવાન સ્કંન્દને ખોળામાં બેસાડી પકડેલા છે અને જમણી તરફનો નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.ડાબી બાજુનો ઉપરવાળો હાથ આર્શિવાદ આપતી મુદ્રામાં તથા નીચેનો હાથ કે જે ઉપરની તરફ ઉઠેલો છે તે હાથમાં કમળનું પુષ્પ ધારણ કરેલ છે.તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે તેથી આ દિવસનો રંગ સફેદ છે જે શાંતિ-વફાદારી અને શાણપણ દર્શાવે છે.આ દિવસે સ્કંદમાતાની મૂર્તિ સફેદ સાડી થી શણગારવામાં આવે છે.તે કમળના આસન ઉપર બિરાજમાન છે તેથી તેમને પદ્માસના-દેવી પણ કહેવામાં આવે છે.સિંહ તેમનું વાહન છે..

    નવરાત્રીના પાંચમા દિવસે સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ મૃત્યુલોકમાં જ તેમને પરમશાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે.મોક્ષનું દ્વાર તેમના માટે સુલભ થઇ જાય છે.સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી બાળસ્વરૂપ સ્કંન્ધ ભગવાનની ઉપાસના આપોઆપ થઇ જાય છે.સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના લીધે તેમનો ઉપાસક અલૌકિક તેજ તથા ક્રાંતિથી સંપન્ન થાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્યભાવથી હંમેશાં તેમની ચારે બાજુ પરીવ્યાપ્ત રહે છે.આ પ્રભામંડળ પ્રતિક્ષણ સાધકના યોગક્ષેમનું નિર્વહન કરે છે એટલે અમારે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને ર્માં ની શરણમાં આવવાનો પ્રયત્ન કરવો જોઇએ.ઘોર ભવસાગરના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સુલભ કરવાનો આનાથી ઉત્તમ કોઇ ઉપાય નથી.

    .આલેખનઃ

    વિનોદભાઇ માછી નિરંકારી

    નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3

    July 3, 2025
    લેખ

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય પંદર શ્રાપ.. ભાગ-2

    July 2, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય પંદર શ્રાપ

    July 1, 2025
    લેખ

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    લેખ

    જે પોતે સાંસારિક માયાના બંધનોમાં બંધાયેલો છે તે અન્ય વ્યક્તિને મુક્ત કરી શકતો નથી.

    June 28, 2025
    ધાર્મિક

    રથયાત્રા પર્વ નિમિત્તે વિશેષ લેખ..ભગવાન જગન્નાથની મહિમા

    June 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપ ભાગ-3

    July 3, 2025

    તંત્રી લેખ…અમરનાથ યાત્રા આતંકવાદ સામે પણ એક મોટો સંદેશ આપવા જઈ રહી છે

    July 3, 2025

    Nifty Futures ૨૫૬૭૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    4 જુલાઈનું રાશિફળ

    July 3, 2025

    4 જુલાઈનું પંચાંગ

    July 3, 2025

    World માં ન્યાયતંત્રની શક્તિ – પીએમથી લઈને સામાન્ય નાગરિક સુધી

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.