વિનોદભાઇ માછી નિરંકારી
યુગદ્રષ્ટા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજના દિવ્ય,સર્વપ્રિય સ્વભાવ તથા તેમના વિશાળ અલૌકિક વિચારસરણી માનવકલ્યાણના માટે સમર્પિત હતી.તેમને પૂર્ણ સમર્પણ,સહનશીલતા તથા વિશાળતા સાથે બ્રહ્મજ્ઞાનરૂપી સત્યનો સંદેશ માનવમાત્ર સુધી પહોચાડ્યો અને વિશ્વભાઇચારાની પરિકલ્પનાને વાસ્તવિકરૂપ પ્રદાન કર્યું હતું.
જ્યારે કોઇ મહાન આત્માનું જીવન માનવતાના કલ્યાણના માટે પૂર્ણતઃ સમર્પિત થઇ જાય છે ત્યારે તેમની સ્મૃતિઓ ફક્ત ઇતિહાસમાં વર્ણિત રહેતી નથી પરંતુ યુગો યુગો સુધી જનમાનસના માટે પ્રેરણાનો દિવ્ય સ્ત્રોત બની જાય છે.આવા જ માનવતા,પ્રેમ,વિનમ્રતા અને આધ્યાત્મિકતા જાગૃતિના અદ્વિતિય પ્રતિક યુગ દ્રષ્ટા બાબા હરદેસિંહજી મહારાજની પાવત સ્મૃતિમાં સંત નિરંકારી મિશન દર વર્ષે ૧૩મી મે ને સમર્પણ દિવસ તરીકે ઉજવે છે અને સદગુરૂ બાબાજીના દૈવીજીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા લેવા માટે વિશેષ સંત સમાગમ અને સત્સંગ સમારોહનું આયોજન કરે છે.આ વર્ષે સંત નિરંકારી મિશનના વર્તમાન સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સામલખા (હરીયાણા) ખાતે વિશાળ નિરંકારી સંત સમાગમના રૂપમાં સમર્પણ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે ગોધરા ખાતે સંત નિરંકારી સત્સંગ ભવન,ભુરાવાવ ખાતે સાંજે ૬ થી ૮ કલાકે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે ૩૬ વર્ષ સુધી સદગુરૂના રૂપમાં સંત નિરંકારી મિશનના વડા તરીકે લગામ સંભાળી હતી, તેમને આધ્યાત્મિક જાગૃતિની સાથે સાથે સમાજ કલ્યાણના માટે અનેક કાર્યોની રૂપરેખા પ્રદાન કરી,જેમાં મુખ્યત્વે રક્તદાન,બ્લડબેંકની રચના, આંખની તપાસ શિબીર,વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરેના આયોજનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.એક આદર્શ સમાજની સ્થાપના કરવા માટે મહિલા સશક્તિકરણ તથા યુવાનોની ઉર્જાને નવો આયામ આપવા માટે ઘણી પરિયોજનાઓ માટે કાર્યો કર્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક આપત્તિના સમયે પણ તેમના માર્ગદર્શન હેઠળ સંત નિરંકારી મિશન દ્વારા નિરંતર સેવાઓ આપવામાં આવે છે.
સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજે માનવતાનું દિવ્ય સ્વરૂપ બનાવવા નિરંકારી સંત સમાગમોની અવિરલ શૃંખલા આગળ વધારી જેમાં તેમને માનવમાત્રને બ્રહ્મજ્ઞાનરૂપી દોરામાં પરોવીને પ્રેમ અને નમ્રતા જેવા દિવ્યગુણોથી પરીપૂર્ણ કર્યા.માનવતા એ જ મારો ધર્મ છે-આ વાક્યને ચરિતાર્થ કરીને સંત નિરંકારી મિશનની શિક્ષાઓને નાના નાના ગામડાઓથી લઇને દૂર દેશો સુધી વિસ્તૃત કરી,તેમને હંમેશાં એ જ સમજાવ્યું કે ભક્તિની ધારા જીવનમાં નિરંતર વહેતી રહેવી જોઇએ.
બાબા હરદેવસિંહજીને માનવમાત્રની સેવાઓમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ દેશ વિદેશમાં પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમને ૨૭ યુરોપીય દેશોની સંસદ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને સંયુક્ત રાષ્ટના મુખ્ય સલાહકાર પણ બનાવવામાં આવ્યા હતા, સાથે સાથે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાના હેતુ માટે આંતરરાષ્ટિય સ્તરે તેમનું સન્માનિત કરવામાં આવ્યું હતું.
સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ,બાબા હરદેવસિંહ મહારાજના ઉપદેશોનો ઉલ્લેખ કરતાં કહે છે કે બાબાજીએ પોતાનું સમગ્ર જીવન માનવમાત્રની સેવા માટે સમર્પિત કરી દીધું.સંત નિરંકારી મિશનનું ૩૬ વર્ષો સુધી નેતૃત્વ કરીને તેમને દરેક ભક્તોને માનવતાના પાઠ ભણાવીને તેમના કલ્યાણનો માર્ગ મોકળો કર્યો છે. બાબાજીએ જીવનના દરેક ક્ષેત્રોમાં હંમેશાં સર્વશક્તિમાન નિરાકાર પ્રભુની ઇચ્છા ઉપર વિશ્વાસ રાખવા ભાર મુક્યો છે.સદગુરૂ માતાજી વારંવાર કહે છે કે અમારે અમારા કર્મોથી એક સાચા માનવ બનીને પ્રતિપલ સમર્પિત ભાવથી પોતાનું જીવન જીવવાનું છે અને એ જ સાચા અર્થમાં બાબાજીના પ્રત્યે અમારૂં સૌથી મોટું સમર્પણ કહેવાશે તથા તેમના ઉપદેશો ઉપર ચાલીને અમે તેમને સાચી શ્રદ્ધાંજલી અર્પિત કરી શકીશું.
માનવકલ્યાણના પ્રત્યે સમર્પિત સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ સમગ્ર જીવન દરમ્યાન એક આધ્યાત્મિક માર્ગદર્શકના રૂપમાં માનવમાત્રને સત્યનો માર્ગ બતાવતા રહ્યા.આ દ્રષ્ટિકોણને સકારાત્મક સ્વરૂપ આપીને વર્તમાન સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ એક નવી ઉર્જા તથા મક્કમતાથી આગળ વધી રહ્યાં છે.વર્તમાન સમયમાં સર્વત્ર વેર,ઇર્ષ્યા,દ્રેષનું વાતાવરણ વ્યાપેલું છે,દરેક માનવ અન્ય માનવીનું ફક્ત અહિત કરવામાં જ વ્યસ્ત છે તેવા સમયમાં બાબા હરદેવસિંહજી મહારાજના પ્રેરણાદાયી સંદેશ કુછ ભી બનો મુબારક હૈ પર પહલે તુમ ઇન્સાન બનો,દિવાલ રહિત સંસાર,એકને જાણો એકને માનો એક બની જાઓ,યોગ્યતાનું પહેલું લક્ષણ છે અયોગ્યતાનો બોધ,અયોગ્યતાનું પહેલું લક્ષણ છે યોગ્યતાનો દંભ,એકને જાણો એકને માનો એક બનો,ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહી..વગેરેને જીવનમાં અપનાવવાની નિતાંત આવશ્યકતા છે,તો જ સાચા અર્થમાં વિશ્વમાં અમન અને શાંતિનું વાતાવરણ સ્થાપિત થઇ શકશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

