પુત્રની નજર પડતા માતા લટકતી હાલતમાં જોવા મળી,
Rajkot,તા.27
શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી-૩ માં વૃદ્ધાએ બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે, પુત્રની નજર પડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી-૩ માં રહેતા રંજનબેન રસિકભાઈ વાળા (ઉં.વ. ૮૦) ગઈકાલે બપોરના આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ સમયે તેમના પુત્રએ માતાને લટકતી હાલતમાં જોઈ જતાં તુરંત નીચે ઉતારી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક રંજનબેન લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને તેનાથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે જેને માતાની છત્રછાયા ગુમાવી છે. આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

