પિતાએ દીકરી સાથે કોઈ સંબંધ ન હોવાની જાહેરાત કરતા પગલું ભર્યું
Rajkot, તા.09
શહેરના મવડી વિસ્તારમા આવેલા વિશ્વનગર બાલાજી હોલ પાસે ચંદ્રનગર માં ત્રણ વર્ષથી લીવ ઇન માં રહેતી યુવતી નો પિયરયાઓ એ સ્વીકાર ન કરતા સામાજિક એકલતાથી કંટાળી એસિડ પી લેતા મોત થયું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વનગર બાલાજી હોલ પાસે મિત્ર સાથે લિવ ઇન માં રહેતી બીનાબેન દિનેશભાઈ પરમાર ૨૮ એ તારીખ ૭/૫ ના રોજ ૧૨/૪૫ કલાકે એસિડ પી લેતા તેમની સાથે રહેતા સંજય ભાઈ એ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરેલ હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન બીનાબેન પરમાર નું મોત નીપજ્યું હતું. માલવિયા નગર પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ એવી ચાવડાએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી છે કે મરનાર બીનાબેન સિક્યુરિટી ની નોકરી કરે છે અને તે સફાઈ કામદાર સંજય સાથે ત્રણ વર્ષથી લીવ ઈનમાં રહે છે, બીનાબેન ના પરિવારને આ સંબંધ સ્વીકાર્ય ન હતો ,અને થોડા સમય પહેલાં તેના પિતાએ કોઈ જાતનો સંબંધ નથી એવી જાહેરાત કરી હતી મીનાબેન નો પરિવાર દલિત હોય પ્લમ્બર ના વ્યવસાય સાથે જોડાયેલું છે વાલ્મિકી સમાજના સફાઈ કામદાર સાથે રહેતી દીકરી સાથે કોઈ સંબંધ ન હતો રાખ્યો છેલ્લા કેટલાક સમયથી બીનાબેન ગુમસૂમ રહેતા હતા ની સંતાન અને પિયર ના બહિષ્કારથી એકલવાયું લાગતા તેણે આ પગલું ભરી લીધું હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું