Goa,તા.14
ગોવાના કર્ટોરિમમાં રહેતા એક 17 વર્ષીય છાત્રે નીટ પરીક્ષા રદ થવાથી આઘાતમાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ ફેલાયો છે. જાણવા મળતી વિગત અનુસાર છાત્ર નીટની પરીક્ષા રદ થવાથી પરેશાન હતો.
નીટ પરીક્ષા પેપર લીક થવાથી રદ થઈ ગઈ હતી. આ કિશોર હાયર સેકન્ડરી સ્કુલનો છાત્ર હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તે હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામેલ નથી થવા માંગતો.
તેના પિતા એક રેલવે ગાર્ડ છે. જયારે તેઓ ઘર પરત ફર્યા તો તેને પુત્રનું શબ મળ્યું. ઘટના પહેલા કિશોરની માતા અને બહેન પોતાના પૈતૃક ગામ ચાલ્યા ગયા હતા. આ પરિવાર બેંગ્લોરનો રહેવાસી છે.
પોલીસના અનુસાર કિશોરે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

