શ્રી રઘુવીર ક્રેડિટ સોસાયટીને ૬૦ દિવસની અંદર વળતર ન ચૂકવે તો વધુ છ માસની કેદ
Rajkot,તા.10
શ્રી રઘુવીર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દરજજે લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનામાં લોનધારક સંજય પાલીયાને દોઢ વર્ષની સજા અને ચેક મુજબ નું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કેવડાવાડી વિસ્તારમાં આવેલ રવિ કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા સંજય ધના પાલિયા નામના યુવાને શ્રી રઘુવીર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દરજ્જે લોન લીધી હતી જે લોનના હપ્તા ચૂકવવા આપેલો ₹6.46 લાખનો ચેક વગર વસુલાતે પરત ફરતા જે અંગે કાયદાકીય નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં ફરિયાદીના એડવોકેટ મલ્હાર કે. સોનપાલ દ્વારા ઉચ્ચ અદાલતના અલગ-અલગ ચુકાદાઓ રજૂ રાખી દલીલો કરી અને ફરિયાદીએ પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરેલ હોય અને બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજૂ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઇ આરોપીને સજા કરવા રજૂઆત કરેલી તે ધ્યાને લઈ ચીફ જ્યુ. મેજી. એ.પી.ડેર દ્વારા આરોપી સંજય ધનાભાઈ પાલિયાને દોઢ વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ વળતર ફરિયાદીને ૬૦ દિવસની અંદર ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હૂકમ ફરમાવેલો છે.કામમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી હેમલ બી. ગોહેલ, મલ્હાર કે. સોનપાલ અને કોમલ એસ. કોટક રોકાયેલા.