(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૦ઃ
ભીમગુડા ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતી વખતે ૪૭ વર્ષના આધેડને ઇલેક્ટ્રિક શોક લાગતા પાણી ભરેલા ખાણમાં પડી જતા ડૂબી જતા મોત નીપજ્યું છે મૂળ યુપીના વતની હાલ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં બેલાની ખાણમાં મજુરી કરતા સુનીલકુમાર જગતનારાયણ બિંદ (ઉ.વ.૪૭) નામના આધેડ ખાણમાં કામ કરતા હોય ત્યારે અકસ્માતે વીજશોક લાગતા બાજુમાં આવેલ ૨૫ ફૂટ ઊંડી પાણી ભરેલ ખાણમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

