જુગાર દરમિયાન પ્રૌઢના પગ પાસે ગંજીપાના રહી જતા મારામારી થયા બાદ મોત નીપજ્યું હતું
Rajkot, તા.09
શહેરના કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાછળ શિવધારામાં મકાનમાં રમાતા જુગાર દરમિયાન પ્રૌઢના પગ પાસે ગંજીપાનાના પાના રહી જતા ચીટિંગ બાબતેની માથાકૂટ મારામારી બાદ તબિયત લથડતા સારવારમાં જવા નહીં દેવાતા મૃત્યુ થયાના બનાવમાં નોંધાયેલા હત્યાના કેસમાં અદાલતે આરોપીને બિનતહોમત છોડી મૂકવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના સાઈબાબા સોસાયટી શેરી નંબર નવમા રહેતા રતિગીરી નામના બે વર્ષ પૂર્વે રણુજા મંદિર પાછળ શિવધારા-બેમાં જુગાર રમતા હતા, ત્યારે પગ પાસે ગંજીપાના પાના રહી જતા ચીટીંગ બાબતે સંજય ઉર્ફે વિરમ સાનિયા નામના શખ્સ સાથે બોલાચાલી મારામારી બાદ પ્રતિ ગીરીની તબિયત લથડતા સારવાર માટે લઈ નહીં જવાતા રતિગીરી ગોસાઈનું મોત નીપજતા મૃતક રતિગીરીના પુત્ર ભાવેશગીરી ગોસાઈએ આજીડેમ પોલીસ મથકમાં સંજય ઉર્ફે વિરમ સાનિયા વિરુદ્ધ હત્યા મારા મારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે સંજય ઉર્ફે વિરમ સાનિયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ સાકરીયા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં આરોપી પર ખૂનનો આરોપ જ બનતો ન હોય તેમ છતાં પોલીસે આરોપી સંજય ઉર્ફે વિરમ સાનિયા સામે આઈ.પી.સી.ની કલમ ૩૦૨નો ખોટી રીતે લગાવેલ હોવાની અરજી તેમજ કાયદા વિષયકની તેમજ મરણ જનારના પી.એમ.રીપોર્ટમાં મરણ જનારનું મૃત્યુનું કારણ હૃદય બંધ થવાના કારણે થયેલ હોય. કોર્ટે જે દલીલ માન્ય રાખી આરોપીને આઈ.પી.સી. કલમ ૩૦૨ તથા ૫૦૪નાં ગુન્હામાં બિન તહોમત છોડી મુકવાનો હુકમ જાહેર કરવામાં આવેલો હતો. આ કામે આરોપી સંજય ઉર્ફે વિરમ સિંધાભાઈ સાનિયા(ભરવાડ) તરફે યુવા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા, મિલન પી. થોરીયામેર, રવીન એન. સોલંકી, કાનજી સી. શેખ, ભરત બી. ડાકી, લલિત કે. તોલાણી, કુલદીપ એન.મકવાણા, એકતા જે. સુદાણી, ગોપાલ એલ.સાકરીયા રોકાયા હતા.