Bhavnagar તા.9
અક્ષરબ્રહ્મનાં ઓવરણા અને ભાવનગર મંદિર દ્વિ દશાબ્દિ મહોત્સવ ઉપક્રમે ચાલી રહેલી સત્સંગ શ્રેણીમાં આજે ’યુવા દિન’ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે આજનાં યુવાનો એક્ટરો અને ક્રિકેટરો પાછળ ગાંડા થયા છે, તેનો કોઈ પ્રશ્ન નથી પણ એટલી જ પ્રતીતિ ભગવાન પ્રત્યે થઇ જાય તો યુવાનોનું જીવન અને તેનું ચારીત્ર્ય શુદ્ધ થશે કારણ કે આ પૃથ્વીનાં દરેક જીવનું સર્જન ભગવાને જ કરેલું છે.
તેથી ઈશ્વરમાં જેટલી પ્રતીતિ અને શ્રદ્ધા વિશ્વાસ હશે તેટલું યુવાનોનું જીવન ગેરમાર્ગે દોરાતા અટકાશે. આજની સવારની સભા દરમ્યાન યુવાનોએ પોતાની કૌશલ્યતા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ સમક્ષ રજુ કરી સ્વામીશ્રીનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
આજનાં યુવા દિન નિમિતેઇઅઙજ સંસ્થાના પ્રસિદ્ધ વિદ્વાન અને મોટીવેશનલ વક્તા પૂજ્ય જ્ઞાવત્સલ સ્વામિએ યુવાનોને ખુબ જ સુંદર માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે આજનાં યુવાનો પોતાના જીવન ઘડતર માટે સજાગ રહે. અને પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજ અને પૂજ્ય મહંત સ્વામિ મહારાજનાં વચનો યાદ કરાવતા કહ્યું હતું કે આ સંતો આજનાં યુવાનોનાં જીવન ઘડતર માટે કેટલા પ્રયત્ન શીલ રહે છેતેનાં અનુસંધાનો આપ્યા હતા.
શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ આ સભામાં રહી હતી. પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામિ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનાં સમયમાં સમાજમાં નીતિમત્તા અને ચારિત્ર્ય માટે મંદિરની કેટલી જરૂરિયાત છે તે વિસ્તૃતમાં સમજાવ્યું હતું.
અને અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામિ સમક્ષ યુવાનોએ આજનાં સમયમાં ચારિત્ર્ય ઘડતર માટે ઉત્કૃષ્ટ કહી શકાય તેવો સંવાદ રજુ કર્યો હતો. અને મહંત સ્વામિ મહારાજે આજનાં યુવાનોને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવા સાચાસંતનો સંગ અને સત્સંગ વિશે ખુબ જ સૂચક આશીર્વાદ પાઠવ્યા હતા.આજની સભામાં ભાવનગરનાં રાજવી પરિવારનાં યુવરાજ, કલેક્ટર, એસપી પણ પધાર્યા હતા.

