New Delhi,તા,22
ગઈકાલે યોજાયેલી રી-નીટ સમયે જે રીતે બપોરે શરૂ થનારી પરીક્ષામાં પહોંચવા લાખો વિદ્યાર્થીઓ માટે એક ઉચાટ હતો અને માર્ગો પરના ટ્રાફીકમાં કયાંક અટવાઈ જાય તો તેનાથી તમો વિલંબથી પહોંચે તે ડર હતો.
આ અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા કરી હતી. કાલે પ.બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સવારે 1.15 કલાકે દિલ્હી વિમાની મથકે પહોંચ્યા હતા પણ તેઓને ખ્યાલ આવ્યો કે પાટનગરમાં આ સમયે બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષા પુર્વે વિદ્યાર્થીઓ પરિક્ષા કેન્દ્ર પર પહોંચવા માર્ગ પર હશે.
શ્રી મોદીના કાફલાના કારણે માર્ગો બંધ કરાય છે પણ વડાપ્રધાને સૂચના આપી કે તેઓ 2 વાગ્યા સુધી એરપોર્ટ પર જ રહેશે ત્યાં સુધી કોઈ માર્ગ બ્લોક કરાશે નહી અને કોઈ ટ્રાફીક રોકાશે નહી.
શ્રી મોદીએ પરિક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થઈ તે પછી એરપોર્ટ છોડયુ હતુ તથા તેમના નિવાસે જવા રવાના થયા હતા. જેના કારણે `નીટ’ પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને જબરી રાહત થઈ હતી.

