આજીવન સજા કાપતા જામકંડોરણા પંથકનો કેદીનું હૃદય રોગના હુમલાથી મોત
Rajkot, તા.09
શહેરના પોપટપરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદ ની સજા કાપતા પાકા કામના કેદી ને જેલની દીવાલ કૂદી ભાગી જવાનો ‘અભરખો’ ભારે પડ્યા હોય તેમ દિવાલ ઠેકતી વખતે પડી જવાથી બંને પગમાં ફેક્ચર થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યારે જામકંડોરળા પંથકનો આજીવન કારાવાસની સજા કાપતા કેદીનું હૃદય રોગના હુમલાથી મોતઆ અંગે પ્રાપ્ત વિગત મુજબ પોપટ પરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતા હત્યા અને પોલીસ પર હુમલા સહિત અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ૧૮વર્ષથી જેલમાં રહેતા (મૂળ રાજકોટ) ના આદમ ઉર્ફે જાવેદ સિદ્દીકભાઈ સંધિ “૫૦’ગઈકાલે સાંજના સુમારે જેલની દીવાલ કૂદીને ભાગવાના પ્રયાસ કરતા દિવાલ પરથી પડી જતા બંને પગમાં ફેક્ચર થતા તેને સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે આ અંગે પ્રદ્યુમન નગર પોલીસે તપાસ હાથ ધરીછે,જ્યારે અન્ય જેલ સંબંધી બનાવવામાં પોપટ પરા સેન્ટ્રલ જેલમાં પાકા કામના આજીવન કેદી તરીકે સજા કાપતા મૂળ જામ કલ્યાણપુરના વતની મેરામણભાઇ રામભાઈ ડાંગર”૬૯”ગત રાત્રે નવક વાગે નવી જેલ ૧ માં પોતાની બેરક માં હતો ત્યારે બેભાન થઈને ઢળી પડયો હતો અને તેને સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા ૯/૩૦ કલાકે મરણ જાહેર કરવામાં આવ્યો હતો આ અંગે પ્ર નગર પોલીસે તપાસ હાથ ધરીછે છે